Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 18
________________ આપ્તવાણી-૧૧ એટલે સમજવું પડે આ, કારણ કે ઘડિયાળનો ધંધો કરો તો ઘડિયાળની સમજણ વગર ચાલે ખરું ? એવું આમાં ય સમજણ પડવી જોઈએ, નહીં તો બધું બહાર ચક્કર કંઈનું કંઈ ગોઠવી દે. વ્યવસ્થિતનું જ્ઞાન સમજી ગયા છે એટલે તો બિલકુલ પેટમાં પાણી નહીં હાલતું. અમે જ્ઞાન આપીએ એટલે મોક્ષ આપીએ. મોક્ષ પછી જાય નહિ. પણ એ વ્યવસ્થિતને સમજે તો ! - આત્માને અજ્ઞાનથી મુક્ત કર્યો. હવે આ જે પાછલું દેવું છે, તેમાં શું કરવાનું ? ત્યારે કહે છે, એ વ્યવસ્થિત જ છે. એનું પરિણામ જે આવવાનું છે, તે તારે જોયા કરવાનું, આ વ્યવસ્થિતને. આટલી અમારી આજ્ઞા પાળે તો મોક્ષ નિરંતર રહેશે, તમારે કશું કરવું જ ના પડે. તમે જ્ઞાતા-દ્રષ્ટા રહો તો આ કામ સરસ ચાલે, રેગ્યુલર ચાલે. અને દોઢડાહ્યો થયો તો બધું બગડ્યું. વડોદરામાં પેલો એકનો એક છોકરો કપાઈ ગયો, ત્રીસ વર્ષનો. એના ફાધરનું પેટમાં પાણી ના હાલ્યું, એનું શું કારણ ? ‘વ્યવસ્થિત સમજી ગયેલા. એને કંઈ ગાડીએ મારી નાંખ્યો નથી. ગાડી તો એમાંનો એક સંજોગ હતો. બધા સંજોગો ભેગા થયા એટલે બન્યું. એમાં ભગવાનનું પણ ચાલે નહીં. પણ વ્યવસ્થિત સમજાય તો એ દાદાએ સેફસાઈડ આપ્યું, પણ પોતે એવો દોઢડાહ્યો થાય છે તો અનૂસેફ થાય ! કરીએ કે થઈ જાય છે ? આપ્તવાણી-૧૧ કર્તા નથી ને ? પ્રશ્નકર્તા : નથી. દાદાશ્રી : સવારમાં ઊઠો છો, તો કોણ ઊઠાડે છે? કોઈ બીજી શક્તિ ઊઠાડે છે એવું લાગે છે કે તમારી શક્તિથી ઊઠો છો ? પ્રશ્નકર્તા : ના, અમારી શક્તિથી નથી ઊઠાતું. દાદાશ્રી : હા. ત્યારે બીજી શક્તિ છે ને ! પછી ઊઠ્યા પછી આપણે ઘણું વહેલું જવું હોય સંડાસ, પણ ના જવા દે, તો કોણ ના જવા દે ? એ શક્તિ, વ્યવસ્થિત શક્તિ. પછી ચા આવીને ઊભી રહે છે ને. બધાં સંયોગો ભેળાં કરે. સંયોગો ભેગાં કરે, પછી વિયોગો કરી આપે. એ વ્યવસ્થિત શક્તિ. તમે લગામ છોડી દો તો ય બધું ભેગું થયા કરે. એક દહાડો તમે કર્તાપદ છોડી દો, તો બધું મળે કે ના મળે, ચાપાણી બધું ? વ્યવસ્થિત શક્તિ નિરંતર વ્યવસ્થિત રાખે છે. પ્રશ્નકર્તા : વ્યવસ્થિત શક્તિ જો દરેકની પાસે કામ કરાવતી હોય, તો પછી માણસે કંઈ કરવાનું રહેતું જ નથી ને, પ્રોગ્રેસ થાય જ નહીં પછી. દાદાશ્રી : કરે જ છે ને, “મેં આ કર્યું' કહે છે જ ને ! અને તેથી સંસારમાં ભટકે છે. એ જો વ્યવસ્થિત સમજી જાય કે ‘આ કરનાર બીજો કો'ક છે અને હું નથી કરતો.' આ તો મને ખોટું એવું ભાસે છે. તો એ છૂટો થઈ જાય. પણ એવું નહીં, એ તો અહંકાર કરે છે કે “ના, જ કરું છું’. બાકી એને ભાસે છે કે “હું કરું છું, આ બીજો કોઈ તો છે જ નહીં. હું જ છું !' પ્રશ્નકર્તા : આ બધું ફાઈલોનું સર્જન કરીએ આપણે, તો એ ફાઈલોનું સર્જન થાય ત્યારે અહંકાર પોષાય છે, બરાબર ? દાદાશ્રી : એ માને કે ‘આ મેં કર્યું, એટલે પોષાય. પ્રશ્નકર્તા : અને જ્યારે ફાઈલોનું વિસર્જન થાય, ત્યારે અહંકાર જગત ચાલ્યા જ કરે છે, એને લોકો ચલાવે છે. ચાલ્યા કરતું હોય એને શું ચલાવવાનું ? અને એ ઊઠે કે ના ઊઠે, પણ સૂર્યનારાયણ, બધા ઊઠીને તૈયાર, જગત ચાલ્યા જ કરે છે, નિરંતર ચાલ્યા જ કરે છે !! - અત્યારે ચા-પાણી, બધું જમો ને તે વ્યવસ્થિતના તાબામાં જ છે. તમે કશું કંઈ જોવા તપાસ કરવા ના જાવ, તો પણ આવીને ઊભું રહે. ક્યાંથી ખાંડ આવી ? કંઈ આપણે તપાસ કરવી પડે નહીં. કોણે શેરડી પકવી ? એ બધું તપાસ કરવી પડે ? એ બધું આવે છે ને ? કેવું આવે છે ? ગોઠવાયેલા ક્રમ છે. અત્યાર સુધી તો હું જ કર્તા માનતા'તા. ખરેખર

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155