________________
૨૪૪
આપ્તવાણી-૧૧
તેમ વાણીમાં ફેરફાર થતો જાય.
પ્રશ્નકર્તા : એ તો આ જેમ આજ્ઞામાં રહીએ, એમ એમ પુરુષાર્થ વધતો જાય.
દાદાશ્રી : વધતો જાય.
ત્યારે દિસે જગત તિર્દોષ !
આપ્તવાણી-૧૧
૨૪૩ દાદાશ્રી : હા. સામાના કલ્યાણ માટે. ફળ તો આવે જ ને એનું. પણ એ ફળ બહુ ઊંચી જાતનું આવે. એ જ્ઞાનાવરણ ખસેડે એવું ફળ આવે. સંપૂર્ણ થોડું બાકી રહ્યું હોય જે ચાર ડીગ્રી, તે પછી બે ડીગ્રી એ ખસેડે. બીજું એક ખસેડે. એટલે આ બધું જ્ઞાન આપવાનું એ તો બધું પુરુષાર્થ છે. એ પ્રકૃતિ નથી, એ પુરુષાર્થ છે. એટલે ઘણો ખરો પુરુષાર્થ જ અમારો હોય.
પ્રશ્નકર્તા : હવે મુખ્ય પુરુષાર્થ જ રહ્યો ને ? દાદાશ્રી : હા. આ બધું સમજાવીએ તે ય પુરુષાર્થ છે.
પ્રશ્નકર્તા : જેમ દાદાનો આ પુરુષાર્થ છે. તેમ અમારે પણ કંઈ પુરુષાર્થ તો કરવાનો હોય જ ને !
દાદાશ્રી : પુરુષાર્થ તો તમારે. આજ્ઞા જેટલી પાળો છો ને એ બધું પુરુષાર્થ જ છે ને ! આ પ્રકૃતિમાં રહેવાનું અને પુરુષાર્થ કરવાનો.
પ્રશ્નકર્તા: પાંચ આજ્ઞા આપની છે. એમાં રહીએ એ પુરુષાર્થ જ છે ને ?
દાદાશ્રી : એમાં રહીએ તો પુરુષાર્થ. હવે એમાં ના રહીએ, તો આપણું મન ગૂંચાય. આપણું મન ગૂંચાય, તો જાણવું કે આ પુરુષાર્થ જરા કાચો છે. આજ્ઞામાં નથી રહેવાતું, તો પછી સ્થિર થઈ જાય પાછું.
પ્રશ્નકર્તા: આજ્ઞા પાળવી એ સિવાય બીજો ક્યો પુરુષાર્થ કરવાનો?
દાદાશ્રી : બીજા તો પુરુષાર્થ હજુ આગળ ઉપર આવશે. એક વાર આ પૂર્ણાહુતિ થાય એટલે આગળ ઉપર આવશે. આ પૂરો થશેને, આ મોક્ષના દરવાજામાં, પછી પુરુષાર્થ બદલાયા કરવાના.
પ્રશ્નકર્તા : મોક્ષના દરવાજામાં પુરુષાર્થ બદલાયા કરવાના.
દાદાશ્રી : હા. આ જ્ઞાન મળ્યા પછી મોક્ષના દરવાજામાં પેઠાં, અને દરવાજામાં પેઠાં એટલે પુરુષાર્થ બદલાયા કરવાના. જેમ જેમ નજીક આવતું જાયને, તેમ તેમ પુરુષાર્થ બદલાતો જાય. તેમ સુંગધી વધતી જાય.
પ્રશ્નકર્તા: પણ જે આજ્ઞામાં રહીએ, એ સિવાય બીજું તો કંઈ રહેતું નથીને, આવતું નથીને ?
દાદાશ્રી : બીજું શું કરવાનું? બીજું કશું જ નહીં. જે કંઈ પણ થાય, તરત જ સમજાઈ જવું જોઈએ કે આ વ્યવસ્થિત છે, અને તરત ન સમજાય તો પાંચ મિનિટ પછી પણ એ સમજવું જોઈએ. થોડો વખત વાર લાગે, પણ પછી સમજાઈ જવું જોઈએ કે આ વ્યવસ્થિત જ છે. કોઈનો દોષ ન દેખાય. જગતને નિર્દોષ જુએ.
પ્રશ્નકર્તા : આપના જ્ઞાન પછી તો નિર્દોષ જ દેખાય.
દાદાશ્રી : નિર્દોષ જ દેખાય. જેણે આપણા તરફ દોષ કર્યો હોયને, એ જ આપણને નિર્દોષ દેખાય. એ આપણા જ્ઞાનનું મોટામાં મોટું ફળ
પ્રશ્નકર્તા : હા. તો જ જ્ઞાનનું પરિણામ છે. એમ કહી શકાય.
દાદાશ્રી : નહીં. જ્ઞાની જ કહેવાય એને. આ ક્રમિક માર્ગના જ્ઞાનીઓ, એ છે તે દોષિતને નિર્દોષ ન દેખી શકે એકદમ. દોષિત એને દોષિત જ લાગે.
પણ અહીં તો અજાયબી છે આ મોટી !!!