Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 65
________________ આપ્તવાણી-૧૧ ૧૦૧ ત્યારે મૂઆ શું કરવા કૂદાકૂદ કરે છે અમથો વગર કામનો ? પૈડાં ય પાછા આવેલાં. આ પ્રયત્ન ય સફળ ના થયો બળ્યો ! બીજા બધા પ્રયત્ન સફળ થાય, શાદી કરવા જાય ત્યાંથી પાછું આવવું પડે એ સમજણ, પણ મૂઆ આ ય ના થયું ! એવું અમે આ જ્ઞાનથી બધું જોઈને બોલીએ છીએ. કરવા મોકલવાનો, પાછો આવે એટલે કહીએ કે વ્યવસ્થિત છે, સૂઈ જા બા. આપણે એને કહેવાનું ઊછું. શું કહેવાનું ? નિરાંતે સૂઈ જા. અને ના ખાધું હોય તો ખઈ લે, ચાલ જલદી. - આહારીને કહેવું પડેને ! એણે ના ખાધું હોય તો ‘ખઈ લે', કહીએ. અને વેઢમી તો સારી બનાવી હોય, પુરણપોળી, ‘તો બે-ચાર ખઈને સૂઈ જા, સારું છે, ઘી ઘરનું છે ! નહીં તો કેરીનો રસ સારો છે', ત્યારે કહેશે, વાયુ થઈ જશે !' ‘તો દેખ લેંગે, નાખ સુંઠ મહીં. ખાઈને પછી સૂઈ જાને છાનોમાનો, મળી તો મળી, નહીં તો ફરી ઠેકાણું પડ્યું કે ના પડ્યું પાછું. સંયોગિક પુરાવા છે એમાં શું કરવા તું કચકચ કર્યા કરે છે, અમથો !” અતિથિને આવકારો ચોખ્ખા મતે ! ૧૦૨ આપ્તવાણી-૧૧ વ્યવસ્થિતનું જ્ઞાન રૌદ્રધ્યાન-આર્તધ્યાન બેઉ બંધ કરાવી દે એવું છે. આ વ્યવસ્થિતનું જ્ઞાન તો બહુ હેલ્પીંગ છે. આ તેને લીધે તો નિરાંત રહ્યા કરે છે અને એક્ઝક્ટ વ્યવસ્થિત છે. પ્રશ્નકર્તા : વ્યવસ્થિત બેસી ગયું તો અડધું કામ પતી જાય. દાદાશ્રી : આખું ય કામ પતી જાય છે. વ્યવસ્થિત બધું મૂક્યું. વ્યવસ્થિતનું જેને જ્ઞાન રહે છે, તેને આત્મા આપેલો છે. ઘરમાં ના ગમતું કોઈ આવ્યું હોય ને એ જાય નહીં ત્યારે મહીં અણગમો રહ્યા કરે, નહીં ? હવે નથી રહેતું એવું ? હવે આવ્યું તે વ્યવસ્થિત. અને આપણું કાઢ્યું જવાનું નથી. એટલે આપણે જોયા કરવાનું, વ્યવસ્થિત શું કરે છે તે. પ્રશ્નકર્તા છતાં પણ ક્યારેક એમ ભાવ આવી જાય, પણ આપણને ખબર પડે. દાદાશ્રી : એ ભાવ આવી જાય છે એ ખબર પડે. એટલે ભાવ તો આવે. ભાવ તો આવવો અવશ્ય છે, મહીં છે એટલે. જેટલા ભાવ ભરેલા છે, એટલા નિર્જરા તો થવાના જ ને ? તે નિર્જરા ક્યારે થઈ કહેવાય ? કે પેલા સંવર હોય, ફરી તે વખતે તન્મયાકાર ના થાય. સંવર રહે, એટલે બસ થઈ ગયું. એક નિર્જરા થઈ ને આ બાજુ સંવર થયું. નિર્જરા તો અવશ્ય થવી જ જોઈએ મહીં છે તો નિર્જરા થવાની છે. ના ગમતો મહેમાન આવે ત્યાંથી જ કંટાળો આ મનુષ્યોને હોય. ના ગમતો મહેમાન હોય કે ના ગમતું માણસ આવ્યું હોય તો મનમાં એમ થયા કરે કે આ ક્યારે જાય, ક્યારે જાય, ક્યારે જાય ? છતાં ય એ ય જાણતું નથી બિચારું, કે મારા માટે આવું ધ્યાન કર્યા કરે છે. પણ આપણી આંખો પરથી સમજી જાય, કે હું ગમતો નથી. એને ભગવાને આર્તધ્યાન કહ્યું. અને આર્તધ્યાન ક્યારે ? કે પેલાને દુ:ખ ના થાય એવું વર્તન આપણું હોય તો, દુઃખ થાય એવું વર્તન તો રૌદ્રધ્યાને ય સાથે થયું. અને ગમતું આવે તો, ‘ના, બે દહાડા પછી જવાનું. નહી જવાનું, નહી જવાનું કહીએ તો ય વ્યવસ્થિત તેડી જાય એને અને આંખમાંથી મને આ જ્ઞાન થયું હોતું તો ય પણ વ્યવસ્થિતનું જ્ઞાન હું લઈને આવ્યો હતો કે આ વ્યવસ્થિત જગત છે. એટલે પેલા ઘેર જે મહેમાન આવ્યા છે, તે વ્યવસ્થિત જ છે. તો પછી એને શા માટે તરછોડવા જોઈએ ! એટલે કે કોઈ દા'ડો ય છે તે હું બહાર કોઈને એમ બોલું નહીં કે ‘તમે ક્યાં ઉતર્યા છો ને મારે ઘેર કેમ ના આયા ?' પણ ઘેર આવ્યા એટલા અતિથિ. ઢસેડી લાવવાના નહીં કોઈને. વ્યવસ્થિતને વ્યવસ્થિત જ રહેવા દેવાનું. અને ઘેર આવ્યા એ તો વ્યવસ્થિત છે જ એમાં. અને આ વ્યવસ્થિતનું જ્ઞાન તમને નિશ્ચિંત બનાવે એવું છે. હવે વ્યવસ્થિતના આધીન આવ્યા. પાંચ-સાત દહાડા સુધી ખસે નહીં, તો મનમાં ભાવ બગાડે કે બળ્યું, આ અત્યારે ક્યાં આવ્યા છે ? આ લોકો અહીંથી જાય તો સારું. એ ભાવ બગડ્યા કહેવાય. એવું ન થવું જોઈએ. વ્યવસ્થિતના આધીન આવ્યા ને વ્યવસ્થિતના આધીન જશે. આપણા હાથમાં છે કશું ? એ એમની મેળે નથી આવ્યા, એમની શક્તિ નથી બિચારાની, એમની ઉપર શું કરવા કકળાટ કરો છો તે ? આ

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155