Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 86
________________ ૧૪૪ આપ્તવાણી-૧૧ આપ્તવાણી-૧૧ ૧૪૩ તો કહેશે, ‘હું આવો છું, એવું તું જાણું છું ને હાથ ઘાલું છું. એમાં હું શું કરું !' પ્રશ્નકર્તા: હાથ ઘાલીશ, તો ઇફેક્ટ થવાની જ છે. દાદાશ્રી : તેમાં ય લખ્યું છે ને, કે એક વ્યવસ્થિત સમજમાં આવ્યું હોત તો અમે તરીને પાર ઉતરી જાત. દાદાનું વ્યવસ્થિત સમજણપૂર્વક આવ્યું હોત તો. દ્રષ્ટિપૂર્વક, પણ દ્રષ્ટિ હોય ક્યાંથી ! તપ કર્યા સિવાય દ્રષ્ટિ ઉત્પન્ન થાય નહીં અને દ્રષ્ટિ કાયમ રહે નહીં. પ્રશ્નકર્તા : વ્યવસ્થિતમાં રહે તો જ્ઞાનની સમજણ ઓટોમેટિકલી આવતી જ જાય એને. દાદાશ્રી : હા. ખરું કહ્યું. પ્રશ્નકર્તા: આ ‘વ્યવસ્થિત’ અને ‘ભોગવે તેની ભૂલ'થી આખો બોજો ઓછો થઈ ગયો. પહેલી આપ્તવાણી વાંચીને, તે આખો બોજો ઓછો થઈ ગયો. દાદાશ્રી : હં. તારો હાથ બળી જાય છે એવું તું જાણું છું, છતાં ય તું પાછો હાથ ઘાલું છું. પણ એમ કરતાં કરતાં જ્ઞાન ફીટ થાય. આ ભગવાને તપનો પાયો મૂક્યો છે, તે ખોટો નથી મૂક્યો આ. ભોગવે જ છૂટકો. એ તપ થાય છે જ માણસને. પ્રશ્નકર્તા : તે વગર છૂટકો નથી તપ કર્યા વિના. એ એનું પોતાનો જ હિસાબ છે ને, બીજાનું નથી. દાદાશ્રી : હા. પણ તપ કરવું જ પડે છે, તપવું જ પડે છે. હવે દાદા છેટા રહ્યા તો તપવું ના પડે. ત્યારે એટલું આપણી પ્રગતિ ય ના થાય. તપવાનું આવે ત્યારે જ પ્રગતિ થાય. અમને લોકો કહે ને, કે તમારી જોડે રહેવું બહુ ભારે હોય છે. કારણ કે આખો દિવસ હું તો જાગ્રત ને ! પ્રશ્નકર્તા : હા, નિરંતર આખો દિવસ સંપૂર્ણ જાગૃતિ ! વ્યવસ્થિત જો મગજમાં ઊતરી ગયું તો કંઈ દુ:ખ છે જ નહીં. દાદાશ્રી : પણ તે ય જોવા જેવું હોય છે. પ્રશ્નકર્તા : હા, જોવા જેવું. આપણને વ્યવસ્થિત કેવું શીખવાડી જાય છે ! અનુભવ આપી જાય છે. સુંદર સુંદર અનુભવ આપે છે. સમજણ આપે છે બધી. દાદાશ્રી : બોજો લાંબો રહે નહીં ને, બોજો જ સામો ના રહે એવું આ વિજ્ઞાન છે. બોજો ઊભો થાય જ નહીં ને, એવું વિજ્ઞાન ! પ્રશ્નકર્તા : આખો ફોડ પડી ગયો. કોયડાનો જવાબ આવી ગયો આખો. દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : નહીં તો જબરજસ્ત કોયડો હતો, શું કરવું ? શું કરવું? શું કરવું ? દાદાશ્રી : તે ઉકેલ આવી જાય ! વધે ધંધો તો ય ત વાંધો ! દાદાશ્રી : વ્યવસ્થિત શું કહેવા માંગે છે કે ડખોડખલ કરશો નહીં. વ્યવસ્થિત જ છે, આમ જ છે. એ જ ખરું છે. તમે માનો છો એ ખોટું છે એવું કહેવા માંગે છે. પ્રશ્નકર્તા : ખરી વાત છે. તમારે દવાખાનું બંધ કરવાની જરૂર જ નથી. દવાખાનું બીજું થાય તો ય વાંધો નથી. એ બધું વ્યવસ્થિતના તાબામાં છે. એમાં આપણને શું ? પહેલા કર્તા માનીને આપણે દવાખાનું બાંધ્યું હતું. પણ હવે આપણને એ છૂટી ગયું કે આ તો આપણે કર્તા જ નથી. બાકી ઉદયકર્મ જ દવાખાનું બાંધે છે.

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155