Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 87
________________ આપ્તવાણી-૧૧ ૧૫ ૧૪૬ આપ્તવાણી-૧૧ દાદા વર્તે પોટલાતી જ્યમ ! અમે જીવીએ સ્વખાણે... રાતે ચોપડીમાંથી વાત કરવાનો વિચાર કર્યો'તો. આપણે થોડીવાર બેસીને વાત કરીએ. ત્યાર હોરો તમે ગયા. મેં કહ્યું, ‘બરોબર વ્યવસ્થિત પ્રશ્નકર્તા : પણ દાદાજી થાકી ગયા હતા. આ દાદાને કશા પ્રકારનો મોહ જ રહ્યો નથી ને ! તે પછી શેને માટે બાંધે દીવાલ, અને કરતાં હોય તેને ના ય ના કહેવાય. કારણ કે વ્યવસ્થિતની બહાર કશું થવાનું છે ? જે થશે એ વ્યવસ્થિત થશે. અમે વ્યવસ્થિત ઉપર છોડી દીધેલું. અમારે કશું કરવું નથી, વ્યવસ્થિત જે કરતું હોય એ અમારે એક્સેપ્ટ છે. કારણ કે એ છોડવાનું ય નથી ને ? વ્યવસ્થિત છોડે ખરું ? પ્રશ્નકર્તા : ના છોડે. દાદાશ્રી : એટલે અમે શું કહ્યું છે, વ્યવસ્થિતમાં જે હોય ભલે હો, ના હો તે પણ ભલે ના હો. ના પાડનારા કોણ ? આત્મા આવું ના બોલે અને અમારે હા પડાવી છે તે ય કહે નહીં. પ્રશ્નકર્તા : પેલો ય અહંકાર છે ને આ ય અહંકાર છે, આગ્રહ છે. દાદાશ્રી : હા. બેઉ આગ્રહ છે. અમારે તો કશું ય નહીં. અમે તો પોટલું થયાં હવે. જ્યાં ઊંચકી જાય ત્યાં ખરું. પ્રશ્નકર્તા : ખંભાત ઊંચકી જાય કે વડોદરે ઊંચકી જાય. દાદાશ્રી : હા. બધા કહે કે ના, અગાશીમાં. ત્યારે કહે, અગાશીમાં. અત્યારે તમને બધાને જે આનંદ મહીં વર્તે છે, એ આખી દુનિયાનું રાજ તમારી પાસે હોય તો ય આવો આનંદ ના મળે ! તને કેવો આનંદ વર્તે છે ! દાદાશ્રી : એમ નહીં. એ તો હું સમજી ગયો. લોક કહે, રિલેટીવને આધારે જીવે છે ! ના, અમે રિલેટીવના આધારે નથી જીવતાં. અમે અમારા સ્વપ્રાણના આધારે જીવીએ છીએ. સ્વઉપયોગ આધારે જીવીએ છીએ. જેટલું સમજાય વ્યવસ્થિત, તેટલો થયો વીતરાગ ! જગતના લોકો વ્યવસ્થિત છે એવું ના સમજે, પણ “જે થયું તે બરાબર છે” કહેશે. પણ આપણે વ્યવસ્થિત સમજી જવાનું. હવે ‘આપણા લોકો' બહુ ત્યારે ચાર બાબતમાં વ્યવસ્થિત સમજ્યાં હોય. પણ પાછું કહેશે કે આપણું અપમાન કરે કે હલી જાય. પણ પછી તરત જ વ્યવસ્થિત સમજાય તો સ્થિરતા રહે. આ તો એવું છે ને, કેટલી બધી બાબતો રહી ગયેલી હોય, વ્યવસ્થિત જો સમજ્યો હોય ને તેને તો રાગ-દ્વેષ જ હોય નહીં. ભણેલું તો ત્યારે કહેવાય કે વ્યવસ્થિત, એઝેક્ટ સમજે. અપમાન થાય એની સાથે વ્યવસ્થિત છે” કહી અને શોધખોળમાં પડવાનું કે “કેવી રીતે આ ગોળી વાગી ? આવી ક્યાંથી ? મારનાર કોણ ? શું થયું ? કોને વાગી ? આપણે કોણ ?” પેલું તે વ્યવસ્થિત ના સમજાય ત્યાં સુધી એમ જ જાણે કે “આણે મને મારી છે. મેં જાતે જોઈ છે ને'. એટલે આ વ્યવસ્થિત જો સમજ્યો હોત ને તો વીતરાગ થાત. પ્રશ્નકર્તા : પરમ આનંદ. દાદાશ્રી : દાદાને કશું જોઈતું નથી. આ બધું અમે ઊભું કરીએ છીએ, અને તે વ્યવસ્થિત હોય તે પ્રમાણે થશે આ બધું. અમે ય નિમિત્ત છીએ. બધું નિમિત્તને આધીન છે. ચાર ઘોડા કે બે ઘોડા, દાદાને ઘોડા શું કરવાં છે ? ફરી પૈણવા જવું હોય તો વાત જુદી છે અને બોંતરે ય દીવા શેના માટે જોઈએ ?

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155