Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 101
________________ ૧૭૨ આપ્તવાણી-૧૧ આપ્તવાણી-૧૧ ૧૭૩ નથી એમ કહે તો જાગ્રત રહી શકે નહીં કોઈ. પ્રશ્નકર્તા : હા, એ હું સમજ્યો. બરાબર છે. દાદાશ્રી : તેથી આપણે કહીએ છીએ ‘વ્યવસ્થિત', તે તમે તમારી ભાષામાં ના સમજી જશો. હું એકલો ‘વ્યવસ્થિત’ આગળથી બોલું. પણ તમારાથી આગળથી ના બોલાય. તમારે છે તે કામ થયા પછી ‘વ્યવસ્થિત' બોલવાનું. પ્રશ્નકર્તા : તે ય બોલવાનું નથી, સમજવાનું છે. દાદાશ્રી : સમજવાનું છે, કામ થયા પછી, ચા-પાણી પીતાં પ્યાલો ફૂટી ગયો, ત્યાર પછી ‘વ્યવસ્થિત' કહેવાનું. પહેલેથી ‘વ્યવસ્થિત’ કહેશો તો ફૂટી જશે બધું. સમજ સાવધાનીપૂર્વકતી ! છે, જોઈ લેવાનું ? દાદાશ્રી : ના, એવું હાથમાં નથી. છતાં ભાવ બગાડે છે ને ! પ્રશ્નકર્તા : પણ ભાવ બગાડવાનું એના હાથમાં છે ? દાદાશ્રી : મારું કહેવાનું, એ ભાવ બગાડે છે. આ જ્ઞાન લીધું છે એટલે એનું શું થાય છે, કે આ જે મહીં એ ભાવ બગાડે છે ને, એ ભાવ ડિસ્ચાર્જના ભાવ બગડે છે. ચાર્જના ભાવ નથી બગડતા, એટલે ફરી કર્મ બંધાય એવા નહીં. પણ આ ડિસ્ચાર્જના ભાવ બગાડે છે. એટલે એમણે વ્યવસ્થિત છે, એ કહીને બેસી ના રહેવાય. પ્રશ્નકર્તા : હા, એ તો ખરું ! દાદાશ્રી : આ કલીયર એટલું સમજજોને કે આ વ્યવસ્થિત છે તે બન્યા પછી જ બોલાય. પ્રશ્નકર્તા : હા, એ તો બધું સમજીએ છીએ. દાદાશ્રી : પણ ડિસ્ચાર્જ એટલે ડિસ્ચાર્જ છે, પણ આ તો એવું છે ને કે જેને દુરુપયોગ કરવો નથી, તેના માટે આ વાક્ય છે. જે ડિસ્ચાર્જને ડિસ્ચાર્જ માનીને ચાલતા હોય તેનો વાંધો નથી પણ જે દુરુપયોગમાં એની ટેવ પડેલી છે, તેને આ એક બ્રેક મારી આપીએ છીએ. પ્રશ્નકર્તા : એ તો બરાબર છે, આપને તો બ્રેક મારવી જ પડે. દાદાશ્રી : બધાનું જોડે જોવું પડે ને ! તમને ના ચેતવીએ. અમે અમુક માણસોને ચેતવીએ નહીં. હવે તમારે બીજું તો શું કરવું પડે ? જેટલું તમારે ‘જોયા’ બહાર જાય એ ફરી ‘જોવું તો પડશે. ફરી એ સહી કરવી પડશે તમારે. પ્રશ્નકર્તા : પણ મારા મનમાં શું ચાલે છે કે જાગૃતિ પણ મારા હાથમાં છે ? મારે જાગ્રત ઘણું રહેવું છે છતાં... - દાદાશ્રી : એ એવું ના બોલાય આપણે. જાગૃતિ પોતાના હાથમાં છે જ આ. અને નથી જાગૃતિ રહેવા દેતું તે અંતરાય છે. તે મારા હાથમાં એટલે આ તો અજાયબ વસ્ત થયેલી છે. કામ જ કાઢી લેવા જેવું છે. અબજો રૂપિયા જતા હોય તો ભલે જાય. છતા ધંધો ભેલાડી નહીં દેવો. ધંધામાં વ્યવસ્થિતનો અર્થ અવળો ના થવો જોઈએ. પ્રશ્નકર્તા એ સાવધાનીપૂર્વકમાં વિચાર આવે કે આ સાવધાનીપૂર્વક કરો. દાદાશ્રી : હા. એ બરોબર છે. પોતાને કશું કરવાનું નહીં. ‘ચંદુભાઈ શું કરે છે તેને જોવાનું. હવે ‘વ્યવસ્થિત છે, કશું કરવાની જરૂર નથી” એમ કરીને ચંદુભાઈ ટાઢા થઈ જાય, રિટાયર્ડ થઈ જાય. પ્રશ્નકર્તા : સાવધાનીપૂર્વક એમાં કંઈ ક્રિયા આવે કે નહીં ? દાદાશ્રી : એ અમે એવું કહેવા માંગીએ છીએ કે બીજો વિચાર જ નહીં. દેહ પહેલાં જેવી રીતે કામ કરતો હતો એ જ રીતે કામ કર્યા કરે અને એનું ફળ વ્યવસ્થિત. ખોટું થયું તો ય વ્યવસ્થિત, સારું થયું તો ય વ્યવસ્થિત અને પહેલાં જે કામ કરતો હતો એ ખોટું થયું ત્યારે બબડાટ

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155