Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 120
________________ આપ્તવાણી-૧૧ ૨૦૯ જ્યારે ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી ડખલ રહી. કારણ કે એ ક્રમિક એ શુદ્ધ સમકિત નથી. એમાં હજુ આત્મા કેવો હશે ? એવો એનો મોહ છે એ જાણવાનો. સંપૂર્ણ મોહ પૂરો થાય, આ તો સંપૂર્ણ મોહ પૂરો થયો. પછી શુદ્ધાત્મા બનાવ્યો છે તમને. હવે શુદ્ધાત્મા કેમ કહેવાની જરૂર પડી ? જ્ઞાન આપતી વખતે શુદ્ધાત્મા કેમ આપીએ છીએ ? પ્રશ્નકર્તા : એટલે શુદ્ધપણું પોતાનું છે એવું ટકી રહે એટલા માટે છે ને ? દાદાશ્રી : શુદ્ધ થઈ ગયેલો છે હવે. હવે કોઈ જાતનો આત્મા સંબંધી વિચાર કરીશ નહીં અને મારી આજ્ઞામાં રહે હવે. રહેવાય કે ના રહેવાય ? પ્રશ્નકર્તા : રહેવાય. દાદાશ્રી : ત્યારે કહે છે ‘ચંદુભાઈના(પોતાનું જ નામ) (ફાઈલ નંબર ૧) હાથે ગમ્મે તેવું ભયંકર કાર્ય થઈ જાય, ખૂન થઈ જાય તો ?” ત્યારે કહે ‘તો ય તું પોતે શુદ્ધ છું. તારું શુદ્ધપણું ચૂકાવું ના જોઈએ’. ચૂકયો કે બગડ્યું ? પ્રશ્નકર્તા : ત્યાં શુદ્ધપણું જાગ્રત કેવી રીતે રાખવું ? દાદાશ્રી : શુદ્ધ જ છું, તું પોતે શુદ્ધ છું, આ તો જે બની ગયું એ ગયું, અને એ વ્યવસ્થિતને તાબે હતું તે. પણ તે ઘડીએ શુદ્ધપણું રહે નહીં ને શંકા પડે. એટલે આપણે શુદ્ધાત્મા આપેલો કે ગમે તેવી સ્થિતિમાં તું શુદ્ધ જ છું, એવું આ માનજે. એટલે બધું સમજી કરીને શુદ્ધાત્મા થયેલો છું તું. એમ ગપ્પુ નથી માર્યું આ. પ્રશ્નકર્તા : ના, ગપ્પુ નથી. આમ એક્ઝેક્ટનેસ છે આમાં તો. આમાં તો આટલાં બધાં તાળા મળી શકે એવું છે, બધી રીતે તાળા આપેલા છે આપે. હવે આ જે જ્ઞાન આપ્યું, હું શુદ્ધ જ છું. હવે એથી આગળનું સ્ટેપ પેલું એને વર્તે જ એવું... આપ્તવાણી-૧૧ દાદાશ્રી : હવે આજ્ઞામાં રહેવાનું, બીજું કશું નહીં. અમે શું કહીએ છીએ, તું શુદ્ધ જ છું, એ રાઈટ બિલિફ અને હવે આજ્ઞામાં રહે એ બીજું. બસ, એનું ફળ એની મેળે આવશે. ૨૧૦ પ્રશ્નકર્તા : એટલે જે પેલું વર્ત્યા કરે, એ દશા જ વર્તે, એ... દાદાશ્રી : વર્ત્યા કરે એ જરૂર જ નહીં, આપણે તો આજ્ઞામાં રહે, એટલે વર્તવું જ જોઈએ. લોકો કહે છે, મને વર્તાતું કરતું નથી, તો શું કરવું ? પ્રશ્નકર્તા : હા, એવું જ થઈ જાય. દાદાશ્રી : તું હવે પુરુષ થયો છું, માટે પુરુષાર્થ જોઈએ. આજ્ઞા એ પુરુષાર્થ ! એ છે કેવળ દર્શત ! આ તો શું કહેવા માંગે છે, જાણો : ‘આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે, તે જગતને પોષાય યા ન પણ પોષાય, છતાં હું કંઈ જ કરતો નથી, એવો નિરંતર ખ્યાલ રહેવો તે કેવળદર્શન છે.' આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે, ખરું-ખોટું, ગમે તે કરવામાં આવે, તે જગતને પોષાય એટલે આ ચાલીના આ બાજુના કહેશે, ‘ના નથી પોષાતું' અને આ બાજુવાળાને આપણું પોષાય, તે એનો વાંધો નહીં આપણને. જગતને પોષાય યા ન પણ પોષાય, છતાં ‘હું કંઈ જ કરતો નથી’, એવો ખ્યાલ રહેવો, નિરંતર ખ્યાલ રહેવો એ જ કેવળ દર્શન છે. છૂટો રહે તો પંદર ભવે મોક્ષ ! કંઈ પણ કરે ત્યાં સમતિ પ્રાપ્ત ના થાય. જ્ઞાતા-દ્રષ્ટા થયો કે સમકિત થઈ ગયું. શું શું થઈ રહ્યું છે એનો જ્ઞાતા-દ્રષ્ટા થયો, કર્તાપણું છૂટવું ને જ્ઞાતા-દ્રષ્ટા થયો એટલે થઈ ગયું. મહીં છૂટેલું ને છૂટેલું જ રહેવું જોઈએ. ફરી પાછો લબદાવો ના જોઈએ. છૂટેલો રહે એટલે પંદર ભવે

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155