Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 126
________________ આપ્તવાણી-૧૧ ૨૨૧ પ્રશ્નકર્તા : વિધિ કરીને નીકળીએ ઘરેથી તો વિઘ્નો દૂર થઈ જાયને વિઘ્નકર્મ દૂર થઈ જાય ને ! દાદાશ્રી : ના, પણ એ વિધિ એક્ઝક્ટ થાય જ નહીં તે દહાડે. પ્રશ્નકર્તા : એ સાંધો મળે છે. આપે કીધું કે સંજોગો તે વખતે બધા ભેગા થઈ ગયા હોય. દાદાશ્રી : એટલે સરસ વિધિ થાય નહીં. પ્રશ્નકર્તા : તો અમને આ જોવાથી આ ડેમોસ્ટ્રેશન મળ્યું. આ પેલું તો આપે કીધેલું એટલે શ્રદ્ધાથી અમે માની લીધું હતું. પણ આ તો જોવા મળ્યું કે દાદાની દશા આવી છે અને દાદા આ પ્રમાણે રહે છે. બધું છે વ્યવસ્થિત ! પ્રશ્નકર્તા: જો બધું વ્યવસ્થિત જ છે. તો પછી કોઈ કોઈને મદદ કરી શકે છે ? ૨૨૨ આપ્તવાણી-૧૧ જ નીકળે. તો જ એને લેવા આવવાની ભાવના થાય. નિમિત્ત હોય છે આ વસ્તુ. પણ ફેરફાર બહુ હોય. પણ આશીર્વાદ વગરનું અને આશીર્વાદવાળું, પેલું પેકીંગ ના કરેલું હોય આ પેકીંગ કરેલું હોય, બહુ એડજસ્ટમેન્ટ હોય. અમારાથી કહેવાનું નિમિત્ત જ ક્યારે બને ? એ બનવાનું હોય તો જ. નહીં તો સો માણસમાંથી એકાદ માણસ બોલતું હશે કે મને આશીર્વાદ આપો. એ જ્યારે એનો હિસાબ હોય ત્યારે જ કહે. આ બધું હિસાબી છે બધું બાબત. પ્રશ્નકર્તા : પણ અમે તમારી આગળ આવીને બોલીએ નહીં, પણ અમે મનમાં માંગતા હોઈએ તમારી પાસે, તો એ મળે ? દાદાશ્રી : એ માંગતા હોઈએ તે ય માંગવાનું ને. પ્રશ્નકર્તા : અને મળે જ ને ! દાદાશ્રી : વહેલું પૂરું થાય તેને. અંતરાય તૂટી જાય બધા. બધા એ જ કરે છે ને, દાદા ભગવાન પાસે માંગ માંગ જ કરે છે ને એમનું કામ પૂરું થઈ જાય છે. એ કંઈ એક-બે માણસોનું કામ પૂરું થાય છે ? હજારો માણસોનું કામ પૂરું થાય છે. નિમિત્ત છે એ, જશના નિમિત્ત, યશનામ કર્મ છે. પ્રશ્નકર્તા : આપ વ્યવસ્થિત માનો છે, તો પ્રગટ આત્માના આશીર્વાદ ફળે ખરા ? વ્યવસ્થિતનું સૂક્ષ્મ વિજ્ઞાન જાણવું છે. દાદાશ્રી : વ્યવસ્થિતમાં હોય તો જ ફળવાનાને, આશીર્વાદ લેનાર ને દેનાર વ્યવસ્થિતમાં હોય તો જ ભેગા થાય. એટલે ફળે જ ને અને ના ફળવાના હોય તો ના ય ફળે. પણ એનો વ્યવસ્થિત હિસાબ જ છે ને. એ કંઈ નવું થતું નથી. અત્યારે હું બોલી રહ્યો છું તે ય નવું થતું નથી. વ્યવસ્થિત હોય તો જ બધું થાય છે. પ્રશ્નકર્તા : વ્યવસ્થિત એટલે આગળ એનું નક્કી થઈ ગયું હોય. તો કેમનું ફળ ફરે ? દાદાશ્રી : એમનાં આશીર્વાદ એટલે શું હોય છે, એમનું યશનામ દાદાશ્રી : નહીં, મદદ કરી શકે નહીં. મદદ કરી શકે છે અગર મારી શકે છે કે અગર બધું કરી શકે એ બધું વ્યવસ્થિત જ છે. બધું વ્યવસ્થિત છે ત્યાં. આ બોલ્યા તે ય વ્યવસ્થિત. અને હું આ જવાબ આપું છું તે ય વ્યવસ્થિત છે. એટલે વાત તો સમજવી પડશે ને ? પ્રશ્નકર્તા ઃ તો તમે પેલા ભાઈને ક્યા આધારે કહ્યું કે તારી બધી મુશ્કેલીઓ જતી રહેશે. કારણકે બધું વ્યવસ્થિત છે ને ? દાદાશ્રી : એ તો જે થવાનું હોય ને તે અમારા મોઢે વાત નીકળી જાય. એને આશીર્વાદ કહેવાય. નવું કશું કરી ના શકે. આશીર્વાદથી પેકીંગ થઈને માલ આવે અને પેલું પેકીંગ થયા વગરનું આવે. આ સચવાયેલો માલ આવે. પ્રશ્નકર્તા: એ તો જાણવા માટે કે આશીર્વાદથી ફરક પડે ને ? દાદાશ્રી : આશીર્વાદ તો જ નીકળે, એનું જે બનવાનું હોય તો

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155