Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 99
________________ આપ્તવાણી-૧૧ દાદાશ્રી : હા, પરિણામમાં જ વ્યવસ્થિત રાખવાનું, ઠેઠ સુધી પકડી રાખવાનું. ફક્ત તમારે એમ નહીં કહેવું જોઈએ, કે આ બધું વ્યવસ્થિત ચાલ્યા કરે છે, એવું ના બોલવું. એ ચંદુભાઈના મન-વચન-કાયા જે કાર્ય કરતા હોય ને તો એને કરવા દેવું કે તમે તમારે કરો કહીએ. ખરેખર પોતે કર્તા નથી. કરવું, ના કરવું તે પૂછવું, બધો અહંકાર ! પ્રશ્નકર્તા : આ ફાઈલ નં.૧ જે છે એ સંપૂર્ણ વ્યવસ્થિતના તાબામાં જ છે ને ? ૧૬૮ દાદાશ્રી : વ્યવસ્થિત સમજ્યા પછી વ્યવસ્થિતના તાબામાં. વ્યવસ્થિત સમજાયેલું ના હોય તેને વ્યવસ્થિતના તાબામાં નથી. પ્રશ્નકર્તા : તો દાખલો આપીને સમજાવો, કેવી રીતે ? દાદાશ્રી : આપણા મહાત્મા વ્યવસ્થિત સમજ્યા છે એમને વ્યવસ્થિતનું જ્ઞાન આપ્યું છે. જગતનું લોક વ્યવસ્થિતના જ્ઞાનને સમજતું ન્હોતું એટલે એમને વ્યવસ્થિતના તાબામાં નથી અને આ તો વ્યવસ્થિતના તાબામાં છે આપણા મહાત્માઓ. પ્રશ્નકર્તા : મારી આગળ કોઈ બે-ચાર છોકરા ચાલતા હોય, અને રસ્તો ધૂળવાળો હોય, અને છોકરા પગથી ધૂળ ઉડાડતા હોય, અને હું પાછળ પાછળ આવતો હોઉં, તો શું એ વ્યવસ્થિત છે ? દાદાશ્રી : તો શું અવ્યવસ્થિત છે ? પ્રશ્નકર્તા : તો મારે એને કહેવાય નહીં કે કેમ ઉડાડે છે એવું ? દાદાશ્રી : ના કહે તે ય વ્યવસ્થિત અને કહે તો ય વ્યવસ્થિત. પ્રશ્નકર્તા : પણ કહેવું કે ના કહેવું ? દાદાશ્રી : કહો તો ૫ વ્યવસ્થિત. ના કહો તો ય વ્યવસ્થિત. ના કહો તો એક પ્રકારનો અહંકાર છે, કહો તો ય એક પ્રકારનો અહંકાર આપ્તવાણી-૧૧ ૧૬૯ છે. બધું વ્યવસ્થિત છે. ના કહો તો બીજા પ્રકારનો અહંકાર છે, કે આપણે સહન કરી લો. પ્રશ્નકર્તા : પણ મૂળ તો છે એક જ વસ્તુ. બધું વ્યવસ્થિત જ છે. દાદાશ્રી : હા, વ્યવસ્થિત જ છે. પણ વ્યવસ્થિત કહેવું તો બન્યા પછી કહેવું. નહીં તો આપણા લોકો શું કરે ? દવા બરોબર ના કરાવે. દવા તો બરોબર કરવાના છે. પણ ભાવ બગાડે, કે હવે જે વ્યવસ્થિતમાં હશે તે દવા થશે. અલ્યા, માંદુ-સાજું હોય ત્યાં સુધી આવું ના બોલાય. દવા આપણે ફુલ જોસથી કરવાની, વ્યવસ્થિત જેવી વસ્તુ જ નથી, એમ માનીને કરવાની. પ્રશ્નકર્તા : પછી પરિણામ આવે તે સાચું. દાદાશ્રી : પછી આવી દવાઓ કરતા, મહેનત કરતાં, બધુ જ કરતાં જો પછી એકદમ ઓફ થઈ જાય, તો વ્યવસ્થિત કહીને રડારોડ નહીં કરવાની. પ્રશ્નકર્તા : કહેવું તે ય અહંકાર છે ને ના કહેવું તે ય અહંકાર ? ત્યારે શું કરવું ? દાદાશ્રી : કરવું શું પૂછે છે, તે ય અહંકાર છે ! વ્યવસ્થિત કહેતાં બંધ સંકલ્પ-વિકલ્પ ! આ એક્ઝેક્ટ વ્યવસ્થિત છે. મેં જોયેલું છે. તમારાં પ્રયત્નો ય તેવાં થશે. પણ આ શેને માટે ચેતવણી આપવી પડે છે ? કેટલાંક માણસો આ પ્રયત્નો મોળા પડી જાય એવું કરી નાખે છે. ભાવના મોળી કરી નાખે છે કે, ‘વ્યવસ્થિત’ છે ને, હવે શું વાંધો છે ? એટલે પછી ધંધા પરે ય જાય નહિ. આમ વ્યવસ્થિત બોલાય નહિ. જ્યારે જરુર પડે ત્યારે જ ‘વ્યવસ્થિત’ બોલાય. નહિ તો ‘વ્યવસ્થિત’ કહેવાય જ નહિ. પ્રશ્નકર્તા ઃ બન્યા પછી ‘વ્યવસ્થિત’. દાદાશ્રી : હા, બન્યા પછી વ્યવસ્થિત. એટલે આપણને સંકલ્પ

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155