Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 106
________________ ૧૮૨ આપ્તવાણી-૧૧ ઠેકાણું નહીં ! એ સાચું પડવાને માટે કંઈ લખાયું નથી. તને સમજ પડીને ? પ્રશ્નકર્તા : અત્યારે એ પ્રશ્ન સોલ્વ કરવાનો નથી ! દાદાશ્રી : હા, અને એમાં કોઈના તાબાની વસ્તુ નથી આ. પ્રશ્નકર્તા : એ કાગળ આવ્યો, ને વાંચ્યો, પછી જ વ્યવસ્થિત છે એમ કહેવાનું આવ્યું ને ! દાદાશ્રી : પણ વ્યવસ્થિત આપણે કહ્યું શા માટે ? કે આપણને વગર કામનો ભય ના લાગે. આ કંઈ સાહેબના તાબામાં ઓછું છે આ બધી દુનિયા ! દોઢ લાખનો દંડ લખનારો સાહેબ શેના આધીન છે ? કર્માધીન છે. આપણા કર્મના આધીન એ ફર્યા કરશે અને આપણે ય કર્માધીન છીએ. તેમાં જમતી ઘડીએ ખાવાનું ના ભાવે, એવું ના કરીશ. પ્રશ્નકર્તા : એટલે આપણી શાંતિ જળવાય એટલી. દાદાશ્રી : હા, વ્યવસ્થિત કહો એટલે શાંતિ જળવાઈ રહેશે. એવા કેટલાક કેસોમાં અગાઉથી બોલી ઊઠવું, જ્યાં આગળ આમ પેલો ખોટો ભય લાગતો હોય ને ખોટું ઉપાધિ લાગતી હોય તો વ્યવસ્થિત કહી દેવું. અગર તો બીજી અમુક બાબતમાં આગળથી બોલાય કે એકદમ કો’ક કહેશે કે ‘તમારે ભોગવવું પડશે. એની રેખા સારી નથી અને મરી જશે’. એટલે આપણે એ વાક્યને તોડવા માટે કહેવાનું, મનમાં કે ‘વ્યવસ્થિત છે, બરોબર છે.' કોઈ શાસ્ત્રોએ કોઈએ આ શબ્દ જ નથી આપ્યો. આ ‘વર્ડ’થી તો લોકોનો ભય જતો રહ્યો ! આમ ત વપરાય સોતાતી કટાર ! એક બાજુ ‘વ્યવસ્થિત’ કહ્યું, ત્યાં આગળ ભાંજગડ જ કયાં રહી !! પણ ‘વ્યવસ્થિત જ છે જગત’ એવું બોલવાની જરૂર જ નહીં. એવું બોલે આપ્તવાણી-૧૧ ત્યાં ‘વ્યવસ્થિત’નો દુરુપયોગ થાય. હંમેશા દરેક વસ્તુના બે ઉપયોગ હોય, સોનાની કટાર આમ એના કામમાં ય આવે અને મહીં પેટમાં મારે તો માણસ મરી ય જાય. તેથી તેનો દુરુપયોગ ના થવો જોઈએ. એવું વ્યવસ્થિતનો ય દુરુપયોગ ના થવો જોઈએ. ૧૮૩ કંઈ પણ થઈ ગયું અગર તો કંઈ ભડક લાગે એવું હોય, ત્યારે જ પહેલેથી કહી દેવું કે વ્યવસ્થિત છે. કાગળ આવ્યો કોઈકનો કે અમે તમને, તમારા ઘર બધું બાળી મૂકીશું’. તો આપણે ‘વ્યવસ્થિત’ કહીને કાગળ ઊંચો મૂકીને જમવા બેસવું નિરાંતે ! અગર તો એવો કોઈ ભડકાવે, બીજો ભડકાવે કે ‘તમને આમ કરી નાખીશું, ને તેમ કરી નાખીશું’, તો આપણે ‘વ્યવસ્થિત’ એમ કહીને મૂકી દેવાનું. કારણ કે આ તો કોઈ એવી સ્વતંત્ર શક્તિવાળો જન્મ્યો જ નથી ને આ દુનિયામાં !! ‘વ્યવસ્થિત’માં હશે તો જ થશે !! એટલે કશું બને એવું નથી કોઈથી ! માટે આવતી પીડાને તો ‘વ્યવસ્થિત’ કહીને બાજુએ મૂકી દેવી. છે ગોઠવાયેલું, માત્ર જ્ઞાતીતી દ્રષ્ટિએ ! પ્રશ્નકર્તા : વ્યવસ્થિત એટલે બધું ગોઠવાયેલું જ છેને, એવું કહેવાય ? દાદાશ્રી : હા, એમ બોલ બોલ ના કરવું જોઈએ કે વ્યવસ્થિતમાં હશે તો સત્સંગમાં જવાશે.' એવું બોલવાનું નહીં, નહીં તો પછી ના જવાય. આપણે જવું છે એવું નક્કી કરવાનું. નક્કી કર્યા પછી સામે કોઈ આડું આવે તો ‘વ્યવસ્થિત' કહીને આપણે સમભાવે ફાઈલનો નિકાલ કરવાનો. એટલે ‘વ્યવસ્થિત'નો દુરુપયોગ ના થવો જોઈએ. આ ‘વ્યવસ્થિત’નું જ્ઞાન તો બહુ શાંતિ આપે, જરા ય ઉપાધિ ના થવા દે ને ! આ જ્ઞાન દુરુપયોગ કરે તો ડખલ કર્યા વગર રહે નહીં એ ! એટલે ડખોડખલ નહીં કરવાની. સહજ ભાવે રહેવાનું. અમે રહીએ છીએને સહજ ભાવે ! ‘મારે' ‘પટેલ’ને કહેવાનું કે રોજ ચાર વાગ્યે સત્સંગમાં જવાનું, નહીં તો તો પછી થઈ જ રહ્યું ને ! એવું ‘ગોઠવાયેલું’

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155