Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 108
________________ આપ્તવાણી-૧૧ ૧૮૭ ૧૮૬ આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : પણ એવું, સાત વાગે ઊઠે ને આમ ગણાય નહીં વ્યવસ્થિત. પણ એને વ્યવસ્થિત કહ્યું એટલે એ સમાધાન ખોટી રીતે લીધું કહેવાય ને ? દાદાશ્રી : એ સમાધાન ખોટી રીતે લીધું, તેની આ બધી ભૂલો રહી. આઠ વાગ્યે ઊઠ્યો તે બરોબર છે. પેપર વાંચ્યું તે બરોબર છે. એવું જ હોય ને. સમાધાન કરતો કરતો જ ચાલે ને જેટલું સમજણ પડી એટલું સમજાયું તને. તારે સમજણમાં શું ભૂલ હતી ? પ્રશ્નકર્તા : એટલે ખરેખર પેપરે ય વાંચવા જેવું નહોતું ને આટલું મોડું ઊઠવા જેવું ય નહોતું. પણ એ કર્યું અને પાછું વ્યવસ્થિત માન્યું. દાદાશ્રી : એવું પેપર વાંચવામાં હરકત નથી. પણ ‘વ્યવસ્થિત છે’ એવું માનવામાં હરકત છે. શી ભૂલ થાય છે ? વ્યવસ્થિત સમજ્યા નહીં. એનો અર્થ એવો થઈ ગયો. વ્યવસ્થિત એટલે બધાંને સમજાવ્યું, ગાડીનો દાખલો આપીને. પ્રશ્નકર્તા : ગાડીનો દાખલો બરોબર છે. કે સાવધાનીપૂર્વક ગાડી ચલાવી જોઈએ. તો એને આમાં પેલું છાપું વાંચ્યું, સાત વાગે ઊઠ્યો એમાં એ ભૂલ કઈ રહી ગઈ ? સાત વાગે ઊઠ્યા પછી છાપું વાંચ્યું, એ બધામાં કંઈ ભૂલ રહી ગઈ ? દાદાશ્રી : વ્યવસ્થિત માન્યું એટલે. જે હોય તેને બરોબર છે. માન્યું ! અહીં શી ભૂલ થઈ તે સમજાયું ? મોડું ઊઠાયું તે ભૂલ થઈ તને સમજાય ? પેપર વાંચવાથી શું ભૂલ થઈ ? પ્રશ્નકર્તા : એટલે વ્યવસ્થિત સમજવામાં ભૂલ કઈ રહી ગઈ ત્યાં. એ મોડું ઊઠાયું અને છાપાનો દાખલો એમાં વ્યવસ્થિતની સમજણ કેવી રીતે ફીટ કરવી ? દાદાશ્રી : ડિસ્ચાર્જ અહંકાર ખુલ્લો રહે છે પછી. મોડું ઊઠાયું, વહેલું ઊઠાયું તેની તમને ઉપાધિ જ નહીં ને ? ચિંતા જ નહીં ? સાત વાગે ઊઠ્યા અને વ્યવસ્થિત કહીએ. એટલે બીજા દહાડે સાડા સાત થઈ જાય. આઠ વાગી જાય તે. ‘વ્યવસ્થિત, વ્યવસ્થિત’ કરતા કરતા એ લપસી પડે. અનુકૂળ હોય એવું કરે ને એને વ્યવસ્થિત કહે. પ્રતિકૂળને વ્યવસ્થિત ના કહે. પ્રશ્નકર્તા : એ ભૂલ રહી ગઈ ? દાદાશ્રી : તને સમજણ પડી ? બધાને સંતોષ જ થઈ જાય એમ ! પ્રશ્નકર્તા : હા. સંતોષ રહે એને. દાદાશ્રી : તે આવું બધું સમજ્યા ત્યાર પછી રાગે પડી ગયું એમનું. બધા વાક્યોમાં આવી ને આવી ભૂલો. આ તો બે જણ સત્સંગ કરતા હોય, સામસામી અર્થ કહે, એ પદ્ધતિસર છે ? પ્રશ્નકર્તા : ના, એ તો ના જ કહેવાયને ? દાદાશ્રી : અને પોતે માને કે આ પૂરું આપણે સમજી ગયા હવે. હવે જ્ઞાની પાસેથી આ ભૂલ ભાંગે. પ્રશ્નકર્તા ઃ એટલે પેલી ઉપાધિ જેવું લાગ્યા કરવું જોઈતું હતું. ખોટું થયું ત્યાં ઉપાધિ લાગવી જોઈતી હતી એની. દાદાશ્રી : એનો અર્થ કશો ય નહીં ને ? ફરી ખોટું જ થયા કરે ને ? ના સમજાયું ? આ બધી બુદ્ધિની ખેંચ બધી. ભૂલ થઈ છે ને ! નાની કે મોટી ? પ્રશ્નકર્તા : એ તો મોટી જ કહેવાય ને ? ભારે મોટી ! દાદાશ્રી : બહુ મોટી. આ ભૂલને લઈને તો બધું બગડી ગયું હતું. આગળ વધાયું જ નહીં. ના સમજણ પડી હોય, તો પોતે સાવધ રહ્યો નથી. પોતે જાગૃતિ રાખી નથી. તું એની જોડે વાત કરું એ બુદ્ધિપૂર્વક ને ? પ્રશ્નકર્તા : હા, એ તો બુદ્ધિપૂર્વક જ ને દાદાશ્રી : તો જ્ઞાનપૂર્વક નહીં ને ? પણ અમારું કહેલું જ્ઞાન હોય, જ્ઞાનને એની ઉપર તમે ચાલો ત્યારે વ્યવસ્થિત સમજાય ! તમે ય બધું

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155