Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 111
________________ ૧૯૨ આપ્તવાણી-૧૧ પછી ભક્તિ કરવામાં લાભ ખરો કે નહીં ? દાદાશ્રી : આ આપણી પાંચ આજ્ઞા પાળો એ ભક્તિ જ છે ને. એની મહીં જે ભક્તિ આવે એ બધો જ પુરુષાર્થ છે. હવે છેવટે આત્માની ભક્તિ કરવાની છે, એ પુરુષાર્થ છે. અને પેલી ભક્તિ એ આપણે મંદિરમાં જતા હોય ને એ બધું છે તે પુદ્ગલને આધીન છે. ત્યાં ય આપણે વાંધો નથી. વ્યવસ્થિતમાં હોય તો જવું. ના હોય તો ના જવું. એટલે વ્યવસ્થિત કહેવાનો શું ભાવાર્થ કે આ પુરુષાર્થ કરજો. બીજું બધું તમારે ચિંતા કરવા જેવું નથી, વ્યવસ્થિત જ છે. ડોન્ટ વરી ફોર પુદ્ગલીક, એવું કહેવા માંગીએ છીએ ! આપને કંઈ ગેડ બેસે છે ? શુદ્ધ ઉપયોગ એ જ પુરુષાર્થ ! (૮) પુરુષાર્થ - કેવળજ્ઞાત સુધીનો આત્મભાવે રિયલ પુરુષાર્થ ! પ્રશ્નકર્તા ઃ આપ કહો છો કે બધું વ્યવસ્થિત છે. તો પછી આપણે આ મોક્ષે જવાનો પ્રયત્ન શા માટે કરવો જોઈએ ? દાદાશ્રી : મોક્ષે જવાનો તો પુરુષાર્થ છે, પ્રયત્ન નથી. તમે આત્મા સ્વરૂપ થયા એટલે પુરુષ થયા ને ! પુરુષ ને પ્રકૃતિ બે જુદી પડી ગઈ. અને પુરુષ ને પ્રકૃતિ જુદાં પડ્યાં પછી જ પુરુષાર્થ ચાર્જવાળો છે મોક્ષનો. પ્રશ્નકર્તા : પણ વ્યવસ્થિત છેને બધું ! દાદાશ્રી : પુરુષાર્થ વ્યવસ્થિત નથી. આ પુદ્ગલ વ્યવસ્થિત છે. આ ખાવ, પીવો, એ બધું કરો એ પુદ્ગલની બાબત છે અને તે વ્યવસ્થિત છે, વ્યવસ્થિતમાં હોય તો થાય. નહીં તો ના ય થાય. અને આમ પુરુષાર્થ એટલે મારી આજ્ઞા પાળવી એ, આજ્ઞા પાળવાની ભક્તિ કરવી, એ સાચો પુરુષાર્થ. પ્રશ્નકર્તા: આ જે પાંચ પ્રિન્સિપલ્સ છે એ અમે અનુસરીએ અને પ્રશ્નકર્તા : આ જે હું પેલી વાત કરતો હતો, પુરુષાર્થની અને પૂર્વનિશ્ચિતની. એ વિજ્ઞાનમાં બરાબર નથી વાત બેસતી એટલે ડખાડખ અમને મનમાં થયા કરે છે. દાદાશ્રી : એ ફીટ થાય ત્યારે જ આપણને સમાધાન રહે. પ્રશ્નકર્તા : આપણે એકવાર નક્કી કરીએ કે બધું વ્યવસ્થિત છે અને બીજી બાજુ આપણે એમ કહીએ કે પુરુષાર્થ આપણા હાથમાં છે. દાદાશ્રી : પુરુષાર્થ ધર્મ ખુલ્લો છે. પ્રશ્નકર્તા: હા, એટલે એ ક્યારેક વિરોધાભાસ લાગે. દાદાશ્રી : એ વિરોધાભાસ લાગે કો'કને ! પણ પુરુષાર્થ એ ધર્મ છે. પુરુષ થયા પછી પુરુષાર્થ થયો. પ્રશ્નકર્તા : હા, પણ એ પુરુષાર્થ પણ આપણા હાથમાં છે, એમ ?! દાદાશ્રી : પુરુષાર્થ હાથમાં છે અને આ છે તે પ્રારબ્ધ છે એ વ્યવસ્થિતના તાબામાં છે. પુરુષાર્થ પોતાના હાથમાં છે. પ્રશ્નકર્તા : તો તો હું એટલો બધો પુરુષાર્થ કરવા માંડું કે મારો આજે જ મોક્ષ થઈ જાય, પણ નથી થતો.

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155