Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 102
________________ ૧૭૪ આપ્તવાણી-૧૧ કરતો હતો, સારું થયું ત્યારે રાજી થતો હતો. કામ તો કરતો હતો એવી રીતે જ કરવાનું એમાં હરક્ત નથી. ફળમાં ફેર છે. આનું ફળ વીતરાગતા ! એટલે આ સમાધિ રહે છે ને. પહેલા ય જોયેલી ને તમે ! “જ્ઞાન” લેતાં પહેલાંની ! પ્રશ્નકર્તા : પહેલાં આવું હોતું જોયું. સ્થિતિમાં ફેર હતો. દાદાશ્રી : આ સીટ જુદી, પેલી સીટ જુદી. પ્રશ્નકર્તા: સમાધિનો અર્થ પહેલાં જુદો જ સમજાતો હતો, અત્યારે સમાધિનો અર્થ જુદો સમજાય છે. દાદાશ્રી : અત્યારે તો આધિ-વ્યાધિ ને ઉપાધિ હોવા છતાં સમાધિ રહે છે. બિલકુલ સાવધાની, સાવધાનીપૂર્વક ! નહીં તો વ્યવહાર પતે જ નહીં. વ્યવહાર આદર્શ કહેવાય જ નહીં. ભગતો એકલા જ ઘેલા હોય, કે અસાવધપણે સંસાર ચલાવે. પણ જ્ઞાનીઓ તો સાવધપૂર્વક ચલાવે. અમે હઉ વ્યવહારની વાત ઝીણી ઝીણી બોલીએ છીએ, એનું શું કારણ ? અમે જ્ઞાનમાં રહીએ છીએ. તે વખતે જ્ઞાન હાજર હોય. આ જ્ઞાન એવું છે. વ્યવહારના બેઝમેન્ટ ઉપર રહેલું આ જ્ઞાન છે. કારણ કે જ્ઞાની પુરુષ જ પોલું ના મૂકે. બીજા બધાને પોલું મૂકાઈ જાય. એવું છે ને આ વ્યવસ્થિત કહે છે તે પદ્ધતિસર હોવું જોઈએ ને ! પ્રશ્નકર્તા : એમાં આપે કહ્યું કે આ સાવધાની જે રાખવામાં આવે છે, એ આત્માનો પુરુષાર્થ છે ? દાદાશ્રી : ના. એ આત્માનો કોઈ પુરુષાર્થ હોતો જ નથી આમાં. સાવધાનીપૂર્વક રહેવું એ જાગૃતિ છે. નહીં તો સાવધાનીપૂર્વક ના રહે તો બધા ય કામ બગડી જાય. એ તો આ દુરુપયોગ ના થાય એટલા માટે આ સાવધાની કહ્યું. આ બ્રહ્મચારી છોકરાઓ છે ને, એ બધા ય દ્રઢ નિશ્ચય લઈને બેઠા છે, તે પછી આવતું જ નથી કશું, ઉડી જાય. આપ્તવાણી-૧૧ ૧૭૫ પ્રશ્નકર્તા : હા. પણ દ્રઢ નિશ્ચય એ વાત ઈફેક્ટીવ છે, આગળ એમણે નિશ્ચય કરેલો છે, કોઝિઝ કરેલાં છે. દાદાશ્રી : નહીં, ઇફેક્ટનો અર્થ આવો નહીં કરી નાખવાનો. અત્યારે એટલું તો આપણે કરવું જોઈએ કે ઉઘાડી આંખે અને સાવધાનીપૂર્વક તો કરવું જ જોઈએ. એ ના થાય આપણને તો આ ખોટું થયું સમજવાનું છે. અને જો સાવધાનીપૂર્વક ના થાય તો એને ઇફેક્ટ માને તે ખોટું છે. પ્રશ્નકર્તા : સાવધાનીપૂર્વક કરવાની જે વાત છે. એ આત્માથી બળ આવે છે, ક્યાંથી આવે છે ? દાદાશ્રી : જાગૃતિ છે એ તો બસ, બીજું કશું નહીં, એ જાગૃતિ ના રાખીએ ને મંદ રહીએ તો કામ બગડી જાય. પ્રશ્નકર્તા : જાગૃતિ એટલે કઈ જાગૃતિ ? પૌગલિક જાગૃતિ કે આત્મિક જાગૃતિ ? દાદાશ્રી : એ જાગૃતિ એક જ પ્રકારની હોય. જાગૃતિ બે પ્રકારની ના હોય. એટલે એ જાગ્રત રહીએ તો કામ હૈડે. ઉપયોગમાં રહે તો આ કામ હૈડે. પ્રશ્નકર્તા : પછી એનો અર્થ છેવટે આવ્યો પ્રજ્ઞા. દાદાશ્રી : પ્રજ્ઞા તો કામ કર્યા જ કરે છે એની મેળે, પણ તે ઉપયોગમાં ‘આપણે’ રહેવું જોઈએ. ઉપયોગ તો આપણે રાખવો જ જોઈએ, ઉપયોગ ના રાખીએ તો કાર્ય બધાં બગડ્યા કરે. એટલે ઉપયોગ એટલે શું ? ત્યારે કહે, ‘જે બને છે એને જોયા કરો, એ શુદ્ધ ઉપયોગ.' હવે સાવધાની વગર થાય એ ઉપયોગમાં જ નથી. પ્રશ્નકર્તા : તો ઉપયોગ મૂકીને દ્રઢ નિશ્ચય કરવા પડે છે એ પેલી ઇફેક્ટની બહુ પ્રબળતા નથી બતાડતી ? દાદાશ્રી : ઇફેક્ટ જ છે, પણ ઇફેક્ટને જુએ બરોબર એક્ઝક્ટ ત્યારે ઉપયોગ કહેવાય અને તો ઇફેક્ટ ઇફેક્ટીવ રહે, આ તો તે ઘડીએ આ લાઈટ જ બદલાઈ ગયેલું હોય એ ના ચાલે.

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155