________________
આપ્તવાણી-૧૧
૧૬૧ દર્શન-જ્ઞાન ભેગા થાય એટલે ચારિત્ર ઊભું થાય !
‘વ્યવસ્થિત છે' એમ માનીને પછી તે જોવા જાયને તો બધું સારી રીતે સમજાઈ જાય પછી. અને વણિકોને તો વ્યવસ્થિત જલ્દી સમજાઈ જાય. વણિક એટલે શું ? વિચારશીલ !
પ્રશ્નકર્તા : વ્યવસ્થિતનું જ્ઞાન તો ક્રમિકમાર્ગમાં જ્ઞાનીને ય હોય પણ આ અક્રમ માર્ગનું જ્ઞાન નહીં હોય.
દાદાશ્રી : ના. ક્રમિકમાર્ગમાં તો એમને એમ થાય કે “આ ત્યાગ કરવો છે, પણ થતો નથી”. અને આ અક્રમની શોધખોળમાં આ વ્યવસ્થિત હોય. વ્યવસ્થિત ક્રમિકમાર્ગમાં ના હોય. આ અક્રમની શોધખોળ છે. અક્રમ એટલે કંઈ કરવાનું નહીં, લિફટ માર્ગ,
‘દાદા’ કરે એ ખરું. એ ‘દાદા’ બધું કરે એમની મેળે અને આપણે લિફટમાં બેસી જવાનું. એમની “આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ.” બીજો ડખો નહીં ને !