Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 85
________________ આપ્તવાણી-૧૧ નહીં. ૧૪૧ પ્રશ્નકર્તા : તરત ખબર પડી જાય. દાદાશ્રી : ત્યાર પછી હવે બીજું શું પૂછવાનું છે ? પ્રશ્નકર્તા : ના દાદા, એ મને મારી ભૂલ દેખાઈ. દાદા એવાં છે દાદાશ્રી : બધાને થાય, તમારે નહીં. પ્રશ્નકર્તા : એ થોડોક ટાઈમ રહે. પણ વળી પાછું જ્યારે ખ્યાલ આવે ત્યારે થાય કે આ તો ભયંકર ભૂલ થઈ. એના કેટલાં પ્રતિક્રમણ કરવા પડ્યા, કલાકોના કલાક બેસીને. વળી પાછું એ હલકું થઈ જાય છે. દાદાશ્રી : પણ ત્યારે જ અનુભવ જ્ઞાન થાયને ! પ્રયોગમાં હાથ ઘાલે તો છેવટે અનુભવ થાયને. પ્રશ્નકર્તા : આ કર્યા પછી પશ્ચાતાપ એવો થાય, એવો થાય, એવો થાય કે વાત નહીં પૂછાય. દાદાશ્રી : હા, એ તો હું જોઉં છું ને પણ, તપ આવ્યું છે, ભયંકર ભારે તપ આવ્યું છે. પણ આ તપ આવ્યા વગર છૂટકો નથી. આ તપની જરૂરિયાત છે. હવે એ તપ છે તે આપણે ગોઠવવા જઈએ તો બને નહીં. પ્રશ્નકર્તા : ન બને. દાદાશ્રી : કો’ક ને ઘેર બને નહીં. આ તો જ બને. નહીં તો બને શી રીતે ? એ પુછ્યું, મહાપુણ્ય ભેગી થાય ત્યારે આ પ્રશ્નકર્તા : ખરી વાત છે. તો મહીં ભેગું રહેવાનું હોય આ તો એની મેળે કુદરતનું છે, ભેગું થાય. દાદાશ્રી : નહીં તો પેલા બારણાં ઉઘાડવા માટે દોડે આગળ આગળ, આગળ, આવડો મોટો માણસ હોય તે. તેનું શું કારણ છે કે આ પુણ્ય જાગી છે. હું ય જોયા કરું કે વાહ ! કહેવું પડે આ પુછ્યું !! જેમ રાજાની આગળ પેલા ના દોડે. એટલું દોડ્યાં. ત્યારે હું ના જાણું કે આ કેવી પુણ્ય જાગી છે ! ૧૪૨ આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : ખરી વાત છે. દાદાશ્રી : દાદાને તો એવુંતેવું કશું જોઈતું નથી. પણ આ પુણ્યે જોઈ લઉં, કે આ પુણ્યે કેવી જાગી છે અને પાછા તપે ય કેવા જાગ્યા! પ્રશ્નકર્તા : બન્નેવ, બધું ય એવું જ છે. દાદાશ્રી : તમારે તપ આવે કોઈ દહાડો ? રોજે રોજ નહીં આવતા? ત્યારે સારું. પહેલાં તો રોજ આવતું હતું. હવે પ્રયોગમાં હાથ ઘાલતા બંધ થઈ ગયા, નહીં ? બહુ નહીં ઘાલતા. અણસમજણમાં શું ના કરે ! હવે એને તે હું શું કરવાનો હતો ? તો વિધિ મૂકી આપું, ધીમે ધીમે એની દ્રષ્ટિ પછી સીધી થઈ જાય. કંઈ ઉપાય છે એનો ? કશું નહીં, નહીં ? એમને ય મનમાં એમ લાગતું હતું કે આ પેસી ગયા બધા. મેં કહ્યું, જેટલું બને છે તે વ્યવસ્થિતની બહાર કશું થવાનું નથી. શું કરવા ગભરાવ છો ? શું પેસીને લઈ જવાના છે. તમારું છે એ તમારી પાસેથી કોઈ લઈ જવાનું નથી અને લઈ જવાનું હશે તે તમારી પાસે પાછું આવવાનું ય નથી. આ તમે શું કરવા વિચારો છો ? ભય છોડીને ના બેસીએ ! તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : કંઈ વ્યવસ્થિતની ઉપર શ્રદ્ધા થોડી ઘણી બેઠી છે કે નથી બેટી ? પ્રશ્નકર્તા : ઘણી બેઠી છે. વ્યવસ્થિતમાં બધું આવી ગયું અંદર, આખું જ્ઞાન ! દાદાશ્રી : એ ગાળો દેતો હોય તો તેને ત્યાં આપણે સામા જઈએ. કારણ કે ગાળો દે છે એ વ્યવસ્થિત અને જઈએ છીએ એ હિસાબ છે આપણો. વાત સમજે તો આ દુનિયામાં કશું દુઃખ છે નહીં, અને ના સમજે અને પ્રયોગમાં હાથ ઘાલે તો એમાં પ્રયોગ બિચારો શું કરે તે ?! પ્રયોગ

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155