________________
૧૪૪
આપ્તવાણી-૧૧
આપ્તવાણી-૧૧
૧૪૩ તો કહેશે, ‘હું આવો છું, એવું તું જાણું છું ને હાથ ઘાલું છું. એમાં હું શું કરું !'
પ્રશ્નકર્તા: હાથ ઘાલીશ, તો ઇફેક્ટ થવાની જ છે.
દાદાશ્રી : તેમાં ય લખ્યું છે ને, કે એક વ્યવસ્થિત સમજમાં આવ્યું હોત તો અમે તરીને પાર ઉતરી જાત. દાદાનું વ્યવસ્થિત સમજણપૂર્વક આવ્યું હોત તો. દ્રષ્ટિપૂર્વક, પણ દ્રષ્ટિ હોય ક્યાંથી ! તપ કર્યા સિવાય દ્રષ્ટિ ઉત્પન્ન થાય નહીં અને દ્રષ્ટિ કાયમ રહે નહીં.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિતમાં રહે તો જ્ઞાનની સમજણ ઓટોમેટિકલી આવતી જ જાય એને.
દાદાશ્રી : હા. ખરું કહ્યું.
પ્રશ્નકર્તા: આ ‘વ્યવસ્થિત’ અને ‘ભોગવે તેની ભૂલ'થી આખો બોજો ઓછો થઈ ગયો. પહેલી આપ્તવાણી વાંચીને, તે આખો બોજો ઓછો થઈ ગયો.
દાદાશ્રી : હં. તારો હાથ બળી જાય છે એવું તું જાણું છું, છતાં ય તું પાછો હાથ ઘાલું છું. પણ એમ કરતાં કરતાં જ્ઞાન ફીટ થાય. આ ભગવાને તપનો પાયો મૂક્યો છે, તે ખોટો નથી મૂક્યો આ. ભોગવે જ છૂટકો. એ તપ થાય છે જ માણસને.
પ્રશ્નકર્તા : તે વગર છૂટકો નથી તપ કર્યા વિના. એ એનું પોતાનો જ હિસાબ છે ને, બીજાનું નથી.
દાદાશ્રી : હા. પણ તપ કરવું જ પડે છે, તપવું જ પડે છે. હવે દાદા છેટા રહ્યા તો તપવું ના પડે. ત્યારે એટલું આપણી પ્રગતિ ય ના થાય. તપવાનું આવે ત્યારે જ પ્રગતિ થાય.
અમને લોકો કહે ને, કે તમારી જોડે રહેવું બહુ ભારે હોય છે. કારણ કે આખો દિવસ હું તો જાગ્રત ને !
પ્રશ્નકર્તા : હા, નિરંતર આખો દિવસ સંપૂર્ણ જાગૃતિ ! વ્યવસ્થિત જો મગજમાં ઊતરી ગયું તો કંઈ દુ:ખ છે જ નહીં.
દાદાશ્રી : પણ તે ય જોવા જેવું હોય છે.
પ્રશ્નકર્તા : હા, જોવા જેવું. આપણને વ્યવસ્થિત કેવું શીખવાડી જાય છે ! અનુભવ આપી જાય છે. સુંદર સુંદર અનુભવ આપે છે. સમજણ આપે છે બધી.
દાદાશ્રી : બોજો લાંબો રહે નહીં ને, બોજો જ સામો ના રહે એવું આ વિજ્ઞાન છે. બોજો ઊભો થાય જ નહીં ને, એવું વિજ્ઞાન !
પ્રશ્નકર્તા : આખો ફોડ પડી ગયો. કોયડાનો જવાબ આવી ગયો આખો.
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : નહીં તો જબરજસ્ત કોયડો હતો, શું કરવું ? શું કરવું? શું કરવું ? દાદાશ્રી : તે ઉકેલ આવી જાય !
વધે ધંધો તો ય ત વાંધો !
દાદાશ્રી : વ્યવસ્થિત શું કહેવા માંગે છે કે ડખોડખલ કરશો નહીં. વ્યવસ્થિત જ છે, આમ જ છે. એ જ ખરું છે. તમે માનો છો એ ખોટું છે એવું કહેવા માંગે છે.
પ્રશ્નકર્તા : ખરી વાત છે.
તમારે દવાખાનું બંધ કરવાની જરૂર જ નથી. દવાખાનું બીજું થાય તો ય વાંધો નથી. એ બધું વ્યવસ્થિતના તાબામાં છે. એમાં આપણને શું ?
પહેલા કર્તા માનીને આપણે દવાખાનું બાંધ્યું હતું. પણ હવે આપણને એ છૂટી ગયું કે આ તો આપણે કર્તા જ નથી. બાકી ઉદયકર્મ જ દવાખાનું બાંધે છે.