Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 81
________________ ૧૩૩ આપ્તવાણી-૧૧ લેવાનું નથી. આપણે જ્ઞાનનું અવલંબન લેવાનું. પ્રશ્નકર્તા : જ્ઞાનનું કયું અવલંબન લેવાનું ? દાદાશ્રી : એવું છે ને, કર્તા વ્યવસ્થિત છે. એ કંઈ કર્તા છે નહીં એનો. એટલે એનાથી ડીપ્રેશન આવવાની જરૂર જ ના રહીને ! એટલે એ એવાં જ્ઞાનના અવલંબનથી આપણને મસ્તી ના આવે. બાકી “એની પ્રકૃતિ જ એવી છે” સંસારની બાબતમાં લોકો એવું કહે. એવું અવલંબન લઈને ચલાવી લે. આપણને એવી જરૂર નહીં. આપણી પાંચ આજ્ઞાઓ જ એવી છે. એની મહીં બધું જ સમાઈ જાય અને મસ્તી ઉત્પન્ન ના થાય, કશું થાય નહીં. વિકારી ભાવ ઉત્પન્ન ના થાય. પ્રતિકાર પણ વ્યવસ્થિતાધીત ! ૧૩૪ આપ્તવાણી-૧૧ છે. લોકોને અવ્યવસ્થિત લાગે, પોતાની દ્રષ્ટિથી. આ ચાલે છે, વ્યવસ્થિત થઈ રહ્યું છે અને અવ્યવસ્થિત બોલ્યો કે મહીં ઉપાધિ થશે, એઝેક્ટ છે બધું. એક જણ પૈણતો હોય છે, એક જગ્યાએ કાંણ ચાલતી હોય... બધું ચાલ્યા જ કરવાનું જગતમાં. આ બધું મિકેનિકલ ચેતનની બધી વ્યવસ્થા છે, વિનાશી ચેતનની. દરઅસલ ચેતનની વ્યવસ્થા હોય, આ સચરની છે, અચળની જાય. સચરાચર જગત છે. તેમાં સચરની આ વ્યવસ્થા છે ને અચળ છે તે અચળની વ્યવસ્થા કરશે. અચળ દરઅસલ આત્મા છે, ને સચર એ મિકેનિકલ આત્મા છે. તે મિકેનિકલ આત્માને સાચો આત્મા માનવામાં આવે છે. એટલે ફોરેન ડીપાર્ટમેન્ટને હોમ માનવામાં આવે છે અને તેથી આ બધો માર ખાય છે બધાં. હોમ ડીપાર્ટમેન્ટમાં રહેવું જોઈએ. આ મેં હાથ ઊંચો કર્યો એ વ્યવસ્થિતનાં આધીન છે. એનાં પરથી તમે સમજી જાવને બધું. એના પરથી તમે સમજી ગયા ? વ્યવસ્થિતના તાબામાંથી કશું બહાર જતું નથી. તમે તમારા જ્ઞાતા-દ્રષ્ટામાં રહો એ વ્યવસ્થિતની બહાર કહેવાય, તમારું પરાક્રમ કહેવાય. જ્ઞાતા-દ્રષ્ટા એટલે રાગ-દ્વેષ ન થાય, તો તમે જ્ઞાતા-દ્રષ્ટા. ઇન્દ્રિયો - અંતઃકરણના કાર્યો, વ્યવસ્થિત ! પ્રશ્નકર્તા: ‘ગુનેગારનો પ્રતિકાર કરવો', એ વ્યવસ્થિત છે ? દાદાશ્રી : ગુનેગારનો પ્રતિકાર થાય છે તે વ્યવસ્થિત છે. ને પ્રતિકારને ય જોવો જોઈએ આપણે. પ્રતિકારના ય આપણે જ્ઞાતા છીએ. અહીં જે પ્રતિકાર કરે છે, એ આત્મા નથી કરતો. આત્મા આમાંનું કોઈ ચીજ કરતો નથી. પ્રતિકારે ય પુદ્ગલ કરે છે. એ મિકેનિકલ ચેતન એ પ્રતિકાર કરે છે ને ગજવું કાપનારે ય મિકેનિકલ ચેતન છે. આત્મા આમાં કશું કરતો નથી. પ્રશ્નકર્તા: ગુનેગારનો પ્રતિકાર પોલીસ કરે છે એ પણ વ્યવસ્થિત છે? દાદાશ્રી : હા, એક્ઝક્ટ વ્યવસ્થિત છે. બધું વ્યવસ્થિત જ છે. પ્રશ્નકર્તા : તો પોલીસની ફરજ છે, તે લોકોએ ન લેવી જોઈએ. લોકોએ પ્રતિકાર ન કરવો જોઈએ. દાદાશ્રી : એ તો લોકો કરે તે ય વ્યવસ્થિત છે ને પોલીસ કરે છે તે ય વ્યવસ્થિત. આ જે બધું થઈ રહ્યું છે, બધું વ્યવસ્થિત જ થઈ રહ્યું પ્રશ્નકર્તા: આ બાહ્ય ઇન્દ્રિયો બધી કંઈ અવ્યવસ્થિત કરે છે ? દાદાશ્રી : ના. મૂળ વ્યવસ્થિતના આધારે ગુસ્સો આવ્યો અને ગુસ્સાના આધારે એક જણે પોલીસવાળાને માર્યો. ત્યારે કહે, ગુસ્સો આવ્યો તે અવ્યવસ્થિત નહોતું, માર્યો તે ય અવ્યવસ્થિત નહોતું. હવે પછી એનું પરિણામ આવે. પોલીસવાળો અહીંયા પકડવા આવે, જેલમાં લઈ જાય, તે વ્યવસ્થિત જ છે. પણ એને અવ્યવસ્થિત આપણે માનવું ના જોઈએ. જેલમાં ઘાલે તે ય જોયા કરો ને બધું જોયા કરો, શું પરિણામ આવે છે ?! એ પરિણામ કહેવાય, તેને જોયા કરવાનું. એ વ્યવસ્થિત જ હોય છે. એનું પાછું મહીં પરિણામ પુરું ય થાય અને પછી બીજું આવે પાછું. પછી કોઈ ફુલહાર ચઢાવા આવે તો એ ય વ્યવસ્થિત. એ જે બને છે એ વ્યવસ્થિત.

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155