________________
આપ્તવાણી-૧૧
૧૧૧ તમે કામ કર્યું જાવ. જાણે પારકું કામ હોયને એવી રીતે કર્યું જાવ. દાદાનું કામ હોય એ રીતે તમારી મેળે કર્યો જ જાવ. બીજી કશી ભાંજગડ ના રાખશો. એ તો બુદ્ધિથી માપવા જાયને, ત્યાં સુધી કશું જડે જ નહીં આપણને. તેથી આ ‘વ્યવસ્થિત’ આપેલું ને કે ચિંતા કરશો નહીં, કામ કર્યે જાવ અને કામ કેવું ? જાણે દાદાએ સોંપેલું હોય એવું. એ ફાવે કે ના ફાવે ? પ્રશ્નકર્તા : ફાવેને.
ભયંકર ભૂલ, ધાર્યું કરાવાતી !
આપણા ધાર્યા પ્રમાણે થાય, એવું વ્યવસ્થિત હોય ખરું? પ્રશ્નકર્તા : હોતું જ નથી આવું વ્યવસ્થિત. દાદાશ્રી : કેમ આપણા ધાર્યા પ્રમાણે નથી થતું ને ?
પ્રશ્નકર્તા: ‘ધાર્યું કરવું’ એ જ ગુનો છે? વ્યવસ્થિતનું ધાર્યું થવા દેવાનું?
- દાદાશ્રી : એમ ?! એટલે તું ધારતો નથી ? આ તો ધાર્યા વગર રહે નહીં.
પ્રશ્નકર્તા : એટલે આમ ધારવાનું હોતું નથી, પણ સંજોગો જ ડિસાઈડ કરી આપે કે હવે આવતીકાલે ક્યાં જવાનું છે અને આમ નથી કરવાનું ને આમ કરવાનું છે. એટલે ધારવાનું રહેતું જ નથી પછી.
દાદાશ્રી : અને તું તો ધારું છું ને ? પ્રશ્નકર્તા : હા, દાદાજી. દાદાશ્રી : પછી એ પ્રમાણે થતું નથી. પછી શું કરવું, રડવું
૧૧૨
આપ્તવાણી-૧૧ આવે ને પાછું છૂટું પડી જાય.
દાદાશ્રી : ભૂલો એ થઈ છે.
પ્રશ્નકર્તા: આ ધાર્યું થવામાં તો, અત્યાર સુધીની ભૂલો જે થઈ છેને આવતો ભવ બંધાવવા માટે. કારણ કે ધાર્યું કરવું હતું, ધાર્યું થતું હોતું નથી, પણ આવતો ભવ જરૂર બંધાઈ જાય છે એનાથી. એવું જ છે ને ?
દાદાશ્રી : એવું જ છે, આવતા ભવનાં બીજ પડે. વ્યવસ્થિતને ખોટું જેવું કહ્યું કે બીજ પડે. અને તે વ્યવસ્થિત એ ભગવાન જેવી શક્તિ કહેવાય. એને ખોટું કંઈ બીજું બોલતાં નહીં. પણ એની પર શંકા કરી તો પણ બીજ પડે.
પ્રશ્નકર્તા : આખું કર્તાભાવની જે દ્રષ્ટિ બંધાયેલી છે, તે જ આખો આવતો ભવ બંધાવે છે ?
દાદાશ્રી : હા. એ જ બીજું કોણ. અહંકાર છેને તે જ. પ્રશ્નકર્તા : અને આ વ્યવસ્થિતની આજ્ઞાથી એ દ્રષ્ટિ છૂટે છે !
દાદાશ્રી : છૂટી જાય અને વ્યવસ્થિત જ છે. છેવટે વ્યવસ્થિત આધીન કરવું પડે છે. ત્યાર પહેલાં સીધી રીતે એ કરતાં હોય તો શું ખોટું ? છેવટે વ્યવસ્થિતને માન્ય કરવું પડે ને ?
પ્રશ્નકર્તા : માન્ય કરવું જ પડે ને ! અને તે જ પ્રમાણે બનતું હોય છે. વ્યવસ્થિતને આધીન જ બનતું હોય છે.
દાદાશ્રી : એને આધીન જ બને ને ! એ રાજીખુશીથી સ્વીકારીએ તો આનંદ રહે અને ફૂલિશનેશ કરીએ તો મહીં દુઃખ પડે. કરું છું તું ફુલિશનેશ ?
પ્રશ્નકર્તા : ઘણીવાર થાય છે એવું. વ્યવસ્થિત છે એવું કહે તો પણ મન માને નહીં ને ? કાવાદાવા કરે જ.
દાદાશ્રી : માને નહીં એવું મન છે ? એટલે વ્યવસ્થિત કે બીજું કશું જ્ઞાન પહોંચે જ નહીં ને !
આપણે ?
પ્રશ્નકર્તા : પછી ગૂંચાયો એટલે ખબર પડે કે આ માર ખાધો. ધારીને ના થાય એટલે પછી મહીં ફોકેશન થાય. એટલે પછી જાગૃતિ