________________
૧૧૦
આપ્તવાણી-૧૧ બગાડીએ, એ એનું બગડે. આપણે જો ગુસ્સે કરીએ એટલે આપણું પહેલું બગડ્યું પછી એનું બગડે પાછું.
કામ કરો પણ પીડા ના વહોરો !
આપ્તવાણી-૧૧
૧૦૯ દાદાશ્રી : હવે પછી કાયમનું જે મોડું કરતો હોય, તેને કહેવાય કે ભઈ, આવું લેટ ના કરવું જોઈએ.
પ્રશ્નકર્તા : કાયદામાં સાચું કે ખોટું રિઝલ્ટ આવે. સાચા માટે લડે કાયદો, જ્યારે વ્યવસ્થિતમાં જે આવે તે એક્સેપ્ટ કરવાનું.
દાદાશ્રી : હા, અને વ્યવસ્થિત તો આપણને, તમે લેટ થયા એ મારે પૂછવું જ ના જોઈએ. હું સમજું કે તમે લેટ થાવ એવા માણસ જ ન હોય. સંજોગોએ ગુંચવ્યા છે અને આપણા લોકો તો એવું સમજે જ નહીં ને ? એ તો પેલાને કહેશે, “તેં જ મોડું કર્યું આ તો. તે મારું બધું કામ બગાડ્યું.” અને એની વઢવાડ ચાલે. વ્યવસ્થિત નહીં સમજવાથી બધે ગૂંચાય. તમને સમજાયું કે ?
છોકરા આમ જોવાય તિર્દોષ !
આ તારા છોકરાએ છે તે સો રૂપિયા ખોઈ નાખ્યા અને વ્યવસ્થિત કહ્યું, એટલે પેલા ઉપર દોષ જ થાય નહીં ને !
પ્રશ્નકર્તા એનો અર્થ તો કે એમ ને એમ નક્કી થયું કે મારો કંઈ કહેવાનો અર્થ નથી, એ તો જે કરવું હશે એ કરશે. અમને આપનું જ્ઞાન મળ્યું છે અને સમજયા છે કે મારે કંઈ આમાં કંઈ ડખોડખલ કરવાની જરૂર નથી. છોકરો એ તો એના રસ્તે જ જવાનો છે, અને જે થવાનું હશે એ થશે. તો એ બરાબર જ છે ને કે જેમ થવાનું હશે એ જ થશે?
દાદાશ્રી : ના, ના. એવું નહીં. એવું ના કહેવાય.
પ્રશ્નકર્તા ઃ આપણે છોકરાને નથી કહેતા. આપણે સમજીએ છીએ કે આ જે થાય છે એ વ્યવસ્થિત છે.
દાદાશ્રી : ના. પણ આપણે જ્યાં સુધી ભેગા હોઈએ, જુદા પડી ગયા પછી કશું વાંધો નહીં, પણ ભેગા હોય અને નાનો છોકરો એક હોટલમાં જતો હોય, અને આપણે જોવામાં આવે તો એને એમ કહેવાનું કે ભઈ આ હોટલમાં જવાથી શરીર સારું થાય ? આમતેમ સમજાવીને કહેવાનું બધું. આપણું બગાડવાનું નહીં. એનું ના બગાડાય, આપણું
આપણે કહી છૂટવું કે કાકા, આજ બહુ ઊઠાઊઠ ના કરશો અને પછી આપણે આમ લપાઈને જોયા ના કરવું, કાકા ઊઠે કે નહીં ? આપણે સૂઈ જવું નિરાંતે. તે આપણે ક્યાં આખી રાત લપાઈને જોઈએ ? શા આધારે કાકા ચાલે છે, તે આપણે જાણતા નથી ?
એ બધા સંજોગો શી રીતે બને છે? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે બધા. ખાવું-પીવું તે ય સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. આ પરમાણુ, પરમાણુ વ્યવસ્થિત છે આ જગત. આ જગતની રેગ્યુલારિટી કેટલી બધી છે ? આ રેગ્યુલર છે જગત. તેની રેગ્યુલારિટી કેટલી છે ? એક પરમાણુ-પરમાણુ માત્રની ! તો આ આટલું જથ્થાબંધ તો નહીં પેસી જાય ને ? આપણે સાયન્સ જાણીએ તો, આપણા મનને કંઈક સમાધાન થાય. નહીં તો કાકાને રોજ બોલ બોલ કરીએ ને આપણું કશું વળે નહીં, એના બોલ્યાનો અર્થ નહીં ને ! તમને કેમ લાગે છે ? તેમ બોલવાનો વાંધો નથી, જ્ઞાન તો બોલવું જ જોઈએ. આપણને જે લાગે, એ જ્ઞાન ! બધાં વિકલ્પી જ્ઞાન છે. વિકલ્પી જ્ઞાન એટલે પોતાને જે અનુકૂળ આવે તે જ્ઞાન બોલવું ખરું ? અને સામાને ઠીક લાગે તો ગ્રહણ કરે, નહીં તો ના કરે. આમાં આપણે કંઈ જવાબદાર નથી..
એટલે આ બધી પીડામાં નહીં પડવું. આપણે આપણું કામ સાથે કામ રાખો ને, બધું કુદરત જ કરી રહી છે. આ તો બધું આપણે કંઈક કહીએ, એવું થવાનું નથી ? આપણે જ્ઞાન હાજર કરવું, બોલવું કે આમ કરો. બે વાગ્યા સુધી સૂતા ના હોય તો આપણે કહેવું કે ભઈ, વહેલાં સૂઈ જવાથી તબિયત સારી રહેશે ને આમ છે, તેમ છે એટલું કરીને પછી આપણે ઓઢીને સૂઈ જવું નિરાંતે. આપણે આ ક્યાં જાગ્યા કરીએ, આ ક્યારે ઊંઘશે, હવે ક્યારે ઊંઘશે ? એનો પાર ક્યારે આવે ?
તેથી હું કહું છું ને ભાઈ, આ બધાંની ભાંજગડો તમે ના કરતા.