Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 75
________________ આપ્તવાણી-૧૧ ૧૨૧ પૈસા ઓછા હશે તો પણ અંદર શાંતિ રહેશે અને નીતિ નહીં હોય, ને પૈસા ખૂબ હોય તો ય અશાંતિ રહેશે, એ જોવોનું. પૈસા તો કરોડો રૂપિયા હોય પણ મહીં જાણે જલતી ભઠ્ઠી જ જોઈ લોને ! અકળામણ, અકળામણ ! પાર વગરની અકળામણ ! તમે કોઈ દહાડો અકળામણ જોયેલી ખરી ! પ્રશ્નકર્તા : બહુ જોયેલી ! દાદાશ્રી : બહુ જોયેલી ? ભારે ! તે અત્યારે હવે સમાધિ ય એવી રહે છે ને ! પ્રશ્નકર્તા : હા, પણ વ્યવહારમાં નીતિ રાખવી એ એના પોતાના હાથમાં ખરું ? દાદાશ્રી : એ નથી પોતાના હાથમાં. પ્રશ્નકર્તા : તો ‘વ્યવસ્થિત'ને આધીન છેને એ તો ? દાદાશ્રી : ‘વ્યવસ્થિત’ને આધીન ખરું, પણ આ તો જ્ઞાન હોવું જોઈએને કે આ સાચું જ્ઞાન કે આ સાચું જ્ઞાન ? ત્યારે કહે, ‘વ્યવહારમાં નીતિ રાખવી જોઈએ, એ સાચું જ્ઞાન છે’. પછી આપણે આપણામાં નીતિ કેટલી રહે છે ? એ તપાસી જોવું. એવું કઈ કહ્યા પ્રમાણે થઈ જતું નથી. થાય ખરું એવું ? પણ આ સાંભળ્યું, ત્યારથી આપણે નક્કી કરવું જોઈએ છે કે આ નીતિવાળું જ્ઞાન સાચું છે. અનીતિનું જ્ઞાન આપણે સાચું ઠરાવ્યું હતું, તેની પર શ્રદ્ધા બેઠેલી, તેનું આ ફળ આવ્યું છે. પણ હવે નીતિની શ્રદ્ધા બેસે ત્યારે એનું ફળ પછી આવશે. આ જ્ઞાન લીધું એટલે હવે તો આપણે શ્રદ્ધા જોઈતી જ નથી ને. આપણે તો ઉકેલ લાવી નાખવો છે હવે ! હવે આ સંસારનો કાયમ ઉકેલ લાવી નાખવાનો, આ સંસાર તો કોઈ દહાડો ય સુખિયો જ ના થવા દે ! પાંપણતો પલકારો ય વ્યવસ્થિતાધીત ! પ્રશ્નકર્તા : બધું વ્યવસ્થિતને આધીન છે. તો એના માટે પ્રયત્ન કરવાની જરૂ૨ કે નહીં ? આપ્તવાણી-૧૧ દાદાશ્રી : પ્રયત્ન તમારે કરવાં હોય તો શુદ્ધાત્મામાં રહીને કરજો. આ મન-વચન-કાયા તો વ્યવસ્થિતને તાબે છે. તેને તમારે ના નહીં કહેવાની. પ્રયત્ન કોણ કરી શકે છે ? આ મન-વચન-કાયા કરી શકે તો એમાં તમને અધિકાર નથી, એટલે કરવું કે ના કરવું, એવી કશી ડખલ કરવાની તમારે જરૂર નથી. એ તો મહીં એની મેળે પ્રેરણા આપે કે ચાલો ચંદુભાઈ આજે આમ જવાનું છે. પ્રેરણા ય થાય છે ને હાથ-પગ હલાવીને ય કામ થાય છે. આ આંખનો મિચકારો એ પણ વ્યવસ્થિત તાબે છે. તારે દરેક કામ વખતે સંજોગો ભેગા થાય છે કે ? ૧૨૨ પ્રશ્નકર્તા : સંજોગો ભેગા થાય છે, અને કોઈ વસ્તુ ન થવાની હોય તો સંજોગો ભેગા થતાં ય નથી. દાદાશ્રી : પણ આપણે ભેગા થઈ જવું, એ સંજોગોમાં. પછી એ કામ ના થાય, તો પછી ત્યાંથી ખસી જવું. કારણકે આપણે લીધે જો અટક્યું હોય તો આપણે એને ભેગા થઈએ તો એની સાથે એ કામ પૂરું થઈ જાય. પ્રશ્નકર્તા : સંજોગોને આપણે ભેગા થઈ જવું એટલે શું ? આપણે એડજસ્ટ થઈ જવું ? દાદાશ્રી : કોઈ કામ હોય અને આપણે જઈએ ત્યારે એ સંજોગ ભેગા થાય ને ! અને જઈએ અને પછી થઈ જાય તો જાણવું કે આપણે લીધે અટક્યું હતું આ આપણા સંજોગથી. જો પછી ના થાય, તો જાણવું કે બીજી કોઈ ચીજને લીધે અટક્યું છે. પ્રશ્નકર્તા : ઉદયકર્મ નથી એટલે જ ના થયું ને ! દાદાશ્રી : એ તો દીવા જેવી વાત છે. શાથી ભેગા ના થયા સંજોગો? તો એવો ઉદય નથી. જગતને ખબર જ નથી. આ કામ કેમ થયું અને આ કેમ કામ ન થયું. એનો પુરાવો લોક સમજી શકે નહીં. નહીં તો કહેશે. ‘એનામાં આવડત નથી, એનું આમ નહીં, તેં બગાડ્યું. મારાથી નથી થતું’. આ તો સંજોગો ભેગા થયા નથી. સંજોગો ભેગા થાય એટલે કાર્ય થયે જ છૂટકો

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155