Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 68
________________ ૧૦૮ આપ્તવાણી-૧૧ | ‘વ્યવસ્થિત’નો અર્થ શો ? કોઈ દોષિત છે જ નહીં ! જો તમે ‘વ્યવસ્થિત’ સમજો તો કોઈ તમને દોષિત દેખાશે જ નહીં. પહેલાં ય હતું એવું જ ! આપ્તવાણી-૧૧ ૧૦૭ તે શું ખોટું છે ? એવું છે, હવે ચંદુભાઈને એમનું કામ કાઢી નથી લેવું, હવે તો આપણે આપણું કામ કાઢી લેવાનું છે. એટલે વસ્તુસ્થિતિમાં વ્યવસ્થિતને બહુ જ એડજસ્ટ કરી લો. બધો વ્યવહાર ‘વ્યવસ્થિત’ ચલાવી જ લે છે. કશું ડહાપણ કરવા જેવું નથી. ગમે તે ખોરાક પેટમાં નાખીએ છીએ ને રાતે ઊંઘી ગયાં પછી કોણ ચલાવે છે ? મહીં પિત્તરસ, પાચકરસ બધું નાખવાનું-એ બધું જ ‘વ્યવસ્થિત’ ચલાવે છે. હવે જે અંદર ચલાવે છે તે બહાર નહીં ચલાવે ? પણ આ તો બહાર વખતે પોતે જાગતો છે ને તેથી ડખો કર્યા વગર રહે નહીં ને ! એ જ આવતો ભવ ઊભો કરે છે અને એનું નામ જ આવતા ભવનો સંસાર ઊભો કર્યો. અને આમ ઊંઘી ગયો હોય ને તે ઘડીએ પચ્ચીસ પ્યાલા ફૂટી ગયા હોય તો ય વાંધો નથી. પછી બાઈસાહેબ શું કહેશે કે એમના જાગતાં પહેલાં બધા ટુકડા બહાર નાખી દો, નહીં તો એ જાગશે કે તરત ડખો કરશે. એટલે ઊંઘમાં જતું જ રહે છે ને. તેવું હવે ઉઘાડી આંખે ઊંઘો. પછી વ્યવહાર કેવો થાય છે તે તો જુઓ. આખી રાત ઊંઘે છતાં દાઢી એમ ને એમ ઊગે છે ને ? આ સવારે ઊઠ્યા તો આંખોથી દેખો છો ને ? ઊઠ્યા તો કાનથી તરત સંભળાય છે ને ? તો આ બધું એડજસ્ટમેન્ટ કોણે કર્યું ? એટલે હવે થોડુંક જાગ્રત થવાની જરૂર છે. વ્યવહારમાં પૂછે તો જ જવાબ આપવો. એમ ને એમ ડખલ કરવી જ નહીં. પ્રશ્નકર્તા : ધણીઓ, દાદાના જ્ઞાન પછી ડાહ્યા થઈ જાય, એટલે બૈરાઓ છે તો ગેરલાભ લે ધણીઓના. દાદાશ્રી : એ બધી કલ્પનાઓ છે. પહેલા નો'તા લેતા ? એ એમને ખબર જ ક્યાં છે ? જે વ્યવસ્થિત કહેલું છે, એ એક્કેક્ટ જોઈને કહેલું છે. એમાં ફેરફાર જ ના થાય કંઈ. એ ગેરલાભ લેવાના હશે તે ગેરલાભ લેશે. નહીં લેવાના હશે તે ગેરલાભ છોડી દેશે. તમારા મનમાં, બુદ્ધિના વિકલ્પ બોલે પ્રશ્નકર્તા : એમને છૂટવું છે. ગેરલાભ લઈને ક્યાં બંધાવવાનું ? દાદાશ્રી : અમે જે વ્યવસ્થિત જોઈને કહ્યું છે ને, એટલે નિશ્ચિત રહેવા જેવું છે. આ જેટલું ડિસાઈડડ છે એટલું જ થશે. અન્ડિસાઈડડ કશું થવાનું નથી. તમારી પાસેથી કોઈ લાભ લઈ શકે નહીં. આ જ્ઞાન આપતાં પહેલાં ડિસાઈડડ થઈ ગયેલું છે. એટલે અમે વ્યવસ્થિત કહેલું આ. એટલે તમે જરા ય છેતરાઓ નહીં, માટે નિર્ભય થઈને આ કામ કર્યું જાઓ. નિર્ભય થઈને પણ તમારો શુદ્ધ ઉપયોગમાં રહ્યા કરો. શુદ્ધ ઉપયોગમાં રહેવું. એટલે ‘હું શુદ્ધ જ છું’. વર્કર્સ સાથે વ્યવસ્થિતતું જ્ઞાત ! કાઢો આ બધાનું લધુતમ ! આ બધું બોલે છે તેનું લઘુત્તમ કાઢો છો તમે ! આ બધું બોલે છે તેનું લઘુત્તમ કાઢી નાખો, એ સમજવાનું અને આ જગતમાં બધું ‘વ્યવસ્થિત’ છે. એટલે કોઈને એમ ના કહેશો કે “તેં ખોટું કર્યું. એવું તો કહેવાય જ નહીં, એવું વિચારાય નહીં. કહેવાની તો વાત ક્યાં ગઈ, બોલે તો સામાને ખોટું લાગે, પણ એવું વિચારાય પણ નહીં. તેથી અમે કહીએ છીએને ‘વ્યવસ્થિત’ છે. એઝેક્ટ ‘વ્યવસ્થિત’ લાગ્યું ને ? વ્યવસ્થિતના જ્ઞાનમાં રહે તો કાયદો જ જોવાનો ના હોય ને ! એટલે કોઈ વહેલું આવે, કોઈ મોડું આવે, તો ય વ્યવસ્થિત ! એટલે કોઈ માણસને વઢવું ના જોઈએ. પ્રશ્નકર્તા: હા, દાદા.

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155