________________
૧૦૮
આપ્તવાણી-૧૧ | ‘વ્યવસ્થિત’નો અર્થ શો ? કોઈ દોષિત છે જ નહીં ! જો તમે ‘વ્યવસ્થિત’ સમજો તો કોઈ તમને દોષિત દેખાશે જ નહીં.
પહેલાં ય હતું એવું જ !
આપ્તવાણી-૧૧
૧૦૭ તે શું ખોટું છે ?
એવું છે, હવે ચંદુભાઈને એમનું કામ કાઢી નથી લેવું, હવે તો આપણે આપણું કામ કાઢી લેવાનું છે.
એટલે વસ્તુસ્થિતિમાં વ્યવસ્થિતને બહુ જ એડજસ્ટ કરી લો. બધો વ્યવહાર ‘વ્યવસ્થિત’ ચલાવી જ લે છે. કશું ડહાપણ કરવા જેવું નથી. ગમે તે ખોરાક પેટમાં નાખીએ છીએ ને રાતે ઊંઘી ગયાં પછી કોણ ચલાવે છે ? મહીં પિત્તરસ, પાચકરસ બધું નાખવાનું-એ બધું જ ‘વ્યવસ્થિત’ ચલાવે છે. હવે જે અંદર ચલાવે છે તે બહાર નહીં ચલાવે ? પણ આ તો બહાર વખતે પોતે જાગતો છે ને તેથી ડખો કર્યા વગર રહે નહીં ને ! એ જ આવતો ભવ ઊભો કરે છે અને એનું નામ જ આવતા ભવનો સંસાર ઊભો કર્યો. અને આમ ઊંઘી ગયો હોય ને તે ઘડીએ પચ્ચીસ પ્યાલા ફૂટી ગયા હોય તો ય વાંધો નથી. પછી બાઈસાહેબ શું કહેશે કે એમના જાગતાં પહેલાં બધા ટુકડા બહાર નાખી દો, નહીં તો એ જાગશે કે તરત ડખો કરશે. એટલે ઊંઘમાં જતું જ રહે છે ને. તેવું હવે ઉઘાડી આંખે ઊંઘો. પછી વ્યવહાર કેવો થાય છે તે તો જુઓ. આખી રાત ઊંઘે છતાં દાઢી એમ ને એમ ઊગે છે ને ? આ સવારે ઊઠ્યા તો આંખોથી દેખો છો ને ? ઊઠ્યા તો કાનથી તરત સંભળાય છે ને ? તો આ બધું એડજસ્ટમેન્ટ કોણે કર્યું ? એટલે હવે થોડુંક જાગ્રત થવાની જરૂર છે. વ્યવહારમાં પૂછે તો જ જવાબ આપવો. એમ ને એમ ડખલ કરવી જ નહીં.
પ્રશ્નકર્તા : ધણીઓ, દાદાના જ્ઞાન પછી ડાહ્યા થઈ જાય, એટલે બૈરાઓ છે તો ગેરલાભ લે ધણીઓના.
દાદાશ્રી : એ બધી કલ્પનાઓ છે. પહેલા નો'તા લેતા ? એ એમને ખબર જ ક્યાં છે ?
જે વ્યવસ્થિત કહેલું છે, એ એક્કેક્ટ જોઈને કહેલું છે. એમાં ફેરફાર જ ના થાય કંઈ. એ ગેરલાભ લેવાના હશે તે ગેરલાભ લેશે. નહીં લેવાના હશે તે ગેરલાભ છોડી દેશે. તમારા મનમાં, બુદ્ધિના વિકલ્પ બોલે
પ્રશ્નકર્તા : એમને છૂટવું છે. ગેરલાભ લઈને ક્યાં બંધાવવાનું ?
દાદાશ્રી : અમે જે વ્યવસ્થિત જોઈને કહ્યું છે ને, એટલે નિશ્ચિત રહેવા જેવું છે.
આ જેટલું ડિસાઈડડ છે એટલું જ થશે. અન્ડિસાઈડડ કશું થવાનું નથી. તમારી પાસેથી કોઈ લાભ લઈ શકે નહીં. આ જ્ઞાન આપતાં પહેલાં ડિસાઈડડ થઈ ગયેલું છે. એટલે અમે વ્યવસ્થિત કહેલું આ. એટલે તમે જરા ય છેતરાઓ નહીં, માટે નિર્ભય થઈને આ કામ કર્યું જાઓ. નિર્ભય થઈને પણ તમારો શુદ્ધ ઉપયોગમાં રહ્યા કરો. શુદ્ધ ઉપયોગમાં રહેવું. એટલે ‘હું શુદ્ધ જ છું’.
વર્કર્સ સાથે વ્યવસ્થિતતું જ્ઞાત !
કાઢો આ બધાનું લધુતમ !
આ બધું બોલે છે તેનું લઘુત્તમ કાઢો છો તમે ! આ બધું બોલે છે તેનું લઘુત્તમ કાઢી નાખો, એ સમજવાનું અને આ જગતમાં બધું ‘વ્યવસ્થિત’ છે. એટલે કોઈને એમ ના કહેશો કે “તેં ખોટું કર્યું. એવું તો કહેવાય જ નહીં, એવું વિચારાય નહીં. કહેવાની તો વાત ક્યાં ગઈ, બોલે તો સામાને ખોટું લાગે, પણ એવું વિચારાય પણ નહીં. તેથી અમે કહીએ છીએને ‘વ્યવસ્થિત’ છે. એઝેક્ટ ‘વ્યવસ્થિત’ લાગ્યું ને ?
વ્યવસ્થિતના જ્ઞાનમાં રહે તો કાયદો જ જોવાનો ના હોય ને ! એટલે કોઈ વહેલું આવે, કોઈ મોડું આવે, તો ય વ્યવસ્થિત ! એટલે કોઈ માણસને વઢવું ના જોઈએ.
પ્રશ્નકર્તા: હા, દાદા.