Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 16
________________ આપ્તવાણી-૧૧ ક્યું ઐસા હો ગયા ?” ત્યારે કહે, ‘હમ ક્યા કરે. વો સાલા બીચ મેં આયા'. આ બધું વ્યવસ્થિત શક્તિ કરે છે. નહીં તો વ્યવસ્થિત શક્તિ અહીં આગળ મુંબઈમાંથી ચાર દિવસ રજા લેને, તો મુંબઈમાં રોજ ચાર લાખ માણસ વટાઈ જાય. એવું ગાંડું ડાઈવીંગ ચાલે છેને. એવા ગાંડા ક્રોસીંગવાળા છે. આ તો વ્યવસ્થિત શક્તિ છે કે જેને કાપવાના હોય તેને કાપે છે, વ્યવસ્થિત શક્તિ નિરંતર વ્યવસ્થિત રાખે છે. વ્યવસ્થિત કંઈ કરી શકે નહીં આપણને. અને જો આપણને વ્યવસ્થિત કરી શકતું હોય તો આપણે શુદ્ધાત્મા ન્હોય, વ્યવસ્થિત તો ચંદુભાઈને કરે, ‘તમને તો કશું કરી શકે નહીંને ! એટલે વ્યવસ્થિતના તાબામાંથી છૂટી ગયા આપણે. ‘હું કર્તા છું ત્યાં સુધી વ્યવસ્થિતના તાબામાં પેસી જઈએ છીએ. ‘હું કર્તા છું' છુટું અને કર્તા વ્યવસ્થિત કહ્યું કે વ્યવસ્થિતના તાબામાંથી છૂટ્યો. ઓટોમેટિકલી છૂટે ને ! પછી વ્યવસ્થિતમાંથી મુક્ત થયો એટલે પછી મુક્ત જ છે. હવે અમથો લખદાય, નહીં તો તો કશું નહીં, લબડાવાની જરૂર જ નથી કશું અને જે ભાવે બંધ બંધાયેલો હશે તે ભાવે નિર્જરા આમ થયા વગર રહે નહીં. પછી એમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી કે કેમ આમ આમ થાય, કેમ એમ થાય છે ?! કર્મો પૂરા થાય એની મેળે જ. આપ્તવાણી-૧૧ આવે ને ! જે કર્મો કરવાના હોય તે, તો ઓફિસે જવાનું, ઓફિસનું કામ કરવાનું ને એ બધું. દાદાશ્રી : એ બધું તો ચાલ્યા જ કરે એની મેળે. આપણે કહેવાનું કે, “ચંદુભાઈ, તમારો ટાઈમ થઈ ગયો છે', કેમ જતાં નથી ?! બસ આટલી ચેતવણી આપીએ આપણે. એ તો એની મેળે ડિસ્ચાર્જ એ બધું થયા જ કરે. આ આવે છે, જાય છે, વાત કરે છે, તમે સર્વિસ કરો છો, તે બધું ય ડિસ્ચાર્જ છે. અને તમારે ચેતવણી આપવા જેવી દશા ખરી તમારી, એટલે એને ચેતવણી આપવાની કે ‘આમાં શું છે ? ચંદુભાઈ લેટ થઈ ગયા છો, જાવ'. એટલું જ જરા ચેતવવા. ‘વ્યવસ્થિત'નાં જ્ઞાનથી આપણને ભય ના રહે, ભય બધા તૂટી જાય. ઘણાંખરાં ખોટા ભય માણસને મારી નાખે છે. બધાં વિપરીત ભય કહેવાય. આખો દહાડો આમ થઈ જશે, આમ થઈ જશે કે તેમ થઈ જશે, એ જ બધી ડખોડખલ. આ વ્યવસ્થિત સમજાય તેને ચિંતા-ઉપાધિ-ભય બધા નીકળી જાય. ન મળે તે દી' ઉપવાસ ! પ્રશ્નકર્તા : પણ હવે સંસારમાં ડ્રામેટિક તો બધું ચાલ્યા જ કરે ને, કે કરવું પડે ? દાદાશ્રી : ડ્રામેટિક તો કરવું પડે નહીં. એ તો થયા જ કરે, કશું કરવા જેવું ય નથી, એની મેળે થયા જ કરે. ઊંઘવાના ટાઈમે ઊંઘ આવી જાય, જાગવાના ટાઈમે જાગી જાય, બધું થયા જ કરે. એટલે ‘કરવું પડે’ એવું બોલીએ છીએ. તે આ ‘કરવા જેવું જ છે' તેવું ના બોલાય. અને કશું કરવા જેવું નથી જ' એવું ય ના બોલાય. કારણ કે કર્તાપણું જ આપણામાં છે જ નહીં ત્યાં આગળ પછી ! આત્મા અકર્તા છે. પ્રશ્નકર્તા : હા, પણ વ્યવહારના જે કર્મો કરવાના હોય એ તો કર્મો હવે સરસ રસોઈ બનાવી હોય. સરસ કેરી હોય, ફર્સ્ટ કલાસ રસ કાઢ્યો હોય. રસ-રોટલી વાઈફે બનાવી હોય અને પછી ટેબલ ઉપર જમવા બેઠાં, તો પછી જરાક સહેજ કઢી ખારી થઈ હોયને તો કહેશે, કહ્યું આવું કર્યું ?” તે પછી એ બધું બગાડે. હવે એમણે કર્યું હોય તો વઢીએ. કોણે કર્યું ? પ્રશ્નકર્તા : વ્યવસ્થિત. દાદાશ્રી : આપણું જ, ભોગવનારના પ્રારબ્ધનું જ આ. એટલે આપણે ના ખાવું હોય તો ના ખાઈએ અને બીજું બધું જમી લઈએ. પછી વાઈફ પૂછે ‘તમે બોલ્યા નહીં, કઢી ખારી હતી તે !' ત્યારે આપણે કહીએ, ‘તમે જમશો ત્યારે તમે ના જાણો ? કંઈ તમને ખબર પડે ને ! મારે વળી કહેવાની શી જરૂર !!” અને દેહ ધારણ થયો છે, તે દેહ તો એનું લઈને આવ્યો હશેને?

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155