Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 50
________________ આપ્તવાણી-૧૧ આપ્તવાણી-૧૧ ૭૩ નાખો. ઉપયોગ આત્મામાં રાખવાનો છે. પ્રશ્નકર્તા : હા, એ પ્રશ્ન કાઢી જ નાખવો જોઈએ. દાદાશ્રી અને છેવટે ના ફીટ થાય તો આ મૂકી દીધું આમ, આવા એક-બે નહીં, આવા તો બધા, અટકી જવાના તો લાખો પ્રશ્નો છે ! પ્રશ્નકર્તા : આપે એક સરસ મૌલિક વાત કીધેલી કે તાવ આવ્યો અને ટપ થઈને મરી ગયા. લાંબુ કરવાનું નહીં ! દાદાશ્રી : હા, બસ એનો ઉકેલ આવે. અત્યારે તો આત્મા-આત્મા કરવાનો સરસ ટાઈમ મળ્યો છે ! આ સૂર્યનારાયણ જેવું છે. આમાં, એવી સૂઝ એ તટસ્થ વસ્તુ છે. જો વાદળા બહુ ઘનઘોર આવ્યા હોય, તો આપણું કામ બરોબર જેવું જોઈએ એવું થાય નહીં અને જો ચોખ્યું હોય તો થાય. એટલે એ સુઝને કશું લેવાદેવા નથી. એ તો એની મેળે એની જગ્યાએ છે, એટલે આ એનું જે અજવાળું છે, એ કામ કર્યા કરે. ઓછું અજવાળું હોય ત્યારે ઓછું કામ થાય. વધારે અજવાળું હોય તો વધારે કામ થાય એટલે આને આની જોડે ગ્રંથીમાં નથી, એ કંઈ સંકલનામાં નથી. આ સંકલનામાં એ આવતી નથી. આ સંકલનાનાં ભાગને જ આપણે વ્યવસ્થિત કહીએ છીએ. આ સૂઝ તો છેટે રહીને કામ કરે છે, પણ એ કર્તા નથી. પ્રશ્નકર્તા : એ કર્તા નથી, તો કોણ કરે છે ? દાદાશ્રી : આ સૂર્યનારાયણ છે તો આ અજવાળાથી લોકો કામ કરે છે, તેમાં સૂર્યનારાયણ શું કરે ? પ્રશ્નકર્તા : હા, એ કર્તા નથી. દાદાશ્રી : એની હાજરીથી કામ થયા કરે છે. પ્રશ્ન ફરી યાદ આવશે હવે ? સમાધાન થયું. પ્રશ્નકર્તા ઃ હવે એડજસ્ટમેન્ટ થઈ જશે. દાદાશ્રી : ના, એવું ખોટું એડજસ્ટમેન્ટ નહીં કરવાનું. સમજીને કરી નાખો, નહીં તો પછી બાજુએ મૂકી દેવાનું, અમારા જેવું ક્ષત્રિય થઈ જવાનું. એક બાજુ આત્મા સિવાય બીજી વાતને મારે શું કરવી છે ? આ દરિયામાં નાખી દીધું ! પ્રશ્નકર્તા : બાજુએ મૂકવાનો સ્વભાવ નથી. એ તો એડજસ્ટ થઈ જશે. એડજસ્ટમેન્ટ આવી જશે બરાબર. દાદાશ્રી : આ સૂર્યનારાયણ જેમ ઊગે ને સૂર્ય જેમ તટસ્થ છે ને, એવું એ સુઝથી તટસ્થ રીતે કામ થઈ રહ્યું છે. એ સૂઝને નથી કહ્યું. આ સૂઝ પાંડવી, અજવાળું કરવું કે અંધારું કરવું, એવું છે નહીં. પોતે આમ સ્થિરતા કરે એટલે નિયમથી એને સૂઝ પડી જ જાય. પછી ઊંધે રસ્તે જનારાને ય પડે અને છતે રસ્તે જનારને ય, પણ બેઉનું તે વખતે અટકે નહીં, સૂઝ પડી જ જાય. એટલે અટક્યો હોય માણસ, હવે આગળ જવાનો રસ્તો જડતો નથી, તે ઘડીએ આમ કર્યું. તે ઘડીએ સૂઝ પડી જાય. પછી ઊંધે રસ્તે પણ જાય, અને છતે રસ્તે ય જાય. જેને જે રસ્તે જવું હોય એ રસ્તે જાય. એ ઉદયાધીન છે. પ્રશ્નકર્તા : પાછો વ્યવસ્થિતનો જ ભાગ થયો ને એ ! દાદાશ્રી : ગયો એ વ્યવસ્થિતને આધીન એ ગયો. પણ તેમાં પેલી સૂઝ જે છે એ તટસ્થ વસ્તુ છે. તેને કશું લેવાદેવા નથી ! પ્રશ્નકર્તા : એને કોઈ બાજુ લેવાદેવા નથી. હવે સમજાયું. બરોબર છે ! જુદો કર્તા ચાર્જ, ડિસ્ચાર્જ સમે ! પ્રશ્નકર્તા : આપ્તસૂત્રનું એક વાક્ય છે. “ચાર્જ વખતે કર્તા જુદો છે અને ડિસ્ચાર્જ વખતે કર્તા જુદો છે.” દાદાશ્રી : ચાર્જ વખતે કર્તા જુદો હોય. ચાર્જ વખતે કર્તા તન્મયાકાર હોય. ‘હું કરું છું’ એ ભાન હોય તો ચાર્જ કહેવાય. તે વખતે કર્તા હોય જ. અજ્ઞાનીઓને ચાર્જ અને ડિસ્ચાર્જ બન્ને વખતે કર્તા હોય જ. અને જ્ઞાન આપણું લીધેલું હોય તેને ડિસ્ચાર્જ વખતે કર્તાપદ ના હોય.

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155