Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 51
________________ આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : એટલે એને તો ડિસ્ચાર્જમાં નિર્જરા જ થઈ જાય છે. દાદાશ્રી : એને નિર્જરા જ થઈ જાય છે. એને ચાર્જ તો થતું નથી. એટલે આ બન્ને વાક્યો તે અનુસંધાનમાં મુકેલાં છે. ડિસ્ચાર્જ વખતે કર્તા જુદો પડી જાય છે, દરેક મનુષ્ય માત્રને. પણ એ પાછું ભ્રાંતિથી પોતે આરોપ કરે છે કે ‘હું કરું છું', બસ. એ ના કરે તો ચાલે એવું છે. ડિસ્ચાર્જ થયા કરે એવું છે, કર્તા ના હોય તો ય. પ્રશ્નકર્તા એટલે બધાને જ્ઞાની-અજ્ઞાની દરેકને ડિસ્ચાર્જ થયા કરે છે, પણ એમાં કર્તા જુદો પડી જાય છે. દાદાશ્રી : જુદો પડી જાય છે. એ બહુ ઝીણી વાત છે. પણ એ જો એને ‘અમે' બહાર પાડી છે. અહીં આપ્તસૂત્રમાં લખ્યું છેને, હવે આ લોકોને શી રીતે સમજાય ! આ વીતરાગોની બહુ ઝીણી વાત છે. એ વીતરાગ થાય ત્યારે સમજાય એવી વાત છે આ. એ જો ઇટ હેપન્સ, બધું જોયા કરે, તો ડિસ્ચાર્જ વખતે એ કર્તા જુદો જ રહે, છે જ જુદો. એટલે એ ઇટ હેપન્સ તરીકે જુદો ચાલે એવું છે. તો ફરી આવતો ભવ સાંકડો થતો જાય. પણ એને ‘હું કરું છું” એ પાછું બોલે છે. એ ચાર્જ કરે છે પાછો. ડિસ્ચાર્જ વસ્તુને પાછું ‘હું કરું છું” એમ કરીને આવતા ભવના માટે ચાર્જ કરે છે. પ્રશ્નકર્તા : જ્યારે પેલો જ્ઞાની જે છે, ‘હું કરતો નથી” એ ભાવ હોવાના કારણે તરત જ કાયમ છૂટો પડી જાય. દાદાશ્રી : વ્યવસ્થિતને અમે મૂકી દઈએ. આ કેવી રીતે બન્યું, એટલે આપણે વ્યવસ્થિત મૂકી દઈએ, એ લોકો વ્યવસ્થિતને સમજે નહીં, છતાં પણ એ એટલું જ જુદું સમજે કે આ ઇટ હેપન્સ હોય છે તે ઘણાં બધા કર્મ બંધાતા અટકી જાય. નિશ્ચય એ કારણ તે સંયોગ એ પરિણામ ! પ્રશ્નકર્તા : નિશ્ચય કર્યો હોય તો સંયોગમાં ફેરફાર થાય ? આપ્તવાણી-૧૧ ૭૫ દાદાશ્રી : નિશ્ચય તો આપણે કરીએ, સંયોગ એ પરિણામ છે. નિશ્ચય એ કોઝ છે. એટલે આ છે તે ડિસ્ચાર્જનું કોઝ છે. તેનો જે નિશ્ચય છે તે ડિસ્ચાર્જનું કોઝ છે. તે ડિસ્ચાર્જ ન થયો હોય એટલો ફેરફાર થાય. કોઝ શેનું છે ? ડિસ્ચાર્જનું. એટલે ડિસ્ચાર્જના કોઝમાં ફેરફાર થાય. જેના સંયોગોમાં આ ચાર્જ કોઝ થયેલું તે આ ડિસ્ચાર્જ કોઝ આવ્યું. પ્રશ્નકર્તા: ડિસ્ચાર્જના જે સંયોગો હોય એ સંયોગમાં ફેરફાર થાય નિશ્ચય ક્યથી ? દાદાશ્રી : આ નિશ્ચય કર્યોને એ કંઈક ફેરફાર તો કર્યા વગર રહે નહીં. નવો ફેરફાર થાય નહીં, પણ આ ડિસ્ચાર્જનું પહેલાં ચાર્જ કરેલું ને તે જ ડિસ્ચાર્જ થાય છે. અત્યારે આ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, જે પહેલાં ચાર્જ થયેલું છે ! પ્રશ્નકર્તા: હા. પણ ડિસ્ચાર્જ એટલે પરિણામ જ થયુંને ? દાદાશ્રી : ડિસ્ચાર્જ એટલે પરિણામ અને પેલું નિશ્ચય એટલે કોઝ ! પ્રશ્નકર્તા : હા, એટલે પરિણામ જે તેની અંદર આપણે આમ કહીએ છીએ કે પરિણામમાં ફેરફાર ન થઈ શકે, એ જનરલ રૂલ છે. હવે જો નિશ્ચય કર્યો હોય તો પછી એ પરિણામની અંદર કોઈ ફેરફાર થઈ શકે ? દાદાશ્રી : એ ફેરફાર થયો ને ? પણ ચાર્જમાં નિશ્ચય હોવો જોઈએ. એ ચાર્જમાં નિશ્ચય હતો ને તેમાંથી ડિસ્ચાર્જ નિશ્ચય થયો. માટે આ ડિસ્ચાર્જનાં પરિણામ બધાં ફેરફાર થાય. એટલે આમ પાછું કોઈ એવું ના માની બેસે કે આ ડિસ્ચાર્જના નિશ્ચયથી પરિણામ ફેરફાર થાય છે. ચાર્જના નિશ્ચયથી જ થાય છે અને નિશ્ચય ફેરફાર તો કર્યા વગર રહે નહીં. પછી એ તો આપણને મનમાં અવળું સમજણ પડી જાય કે આ નિશ્ચય કર્યો એટલે બધુ ફેરફાર થઈ જશે. જો ચાર્જ કરેલો હોય તો જ નિશ્ચય થશે. નિશ્ચયના સંકલ્પ-વિકલ્પ કરવા, એ નિશ્ચય કહેવાય નહીં. ગણત્રી-બણત્રી બધું જ રાખે છે, આપણા મહાત્માઓ, આમ થઈ જશે ને તેમ થઈ જશે. તેથી અમે શીખવાડીએ હોય કે ભઈ આ ગુણાકાર

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155