Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 53
________________ ૭૮ આપ્તવાણી-૧૧ હવે હકીકતમાં શું છે કે નિશ્ચય કર્યો પછી ખરેખર પ્રયત્ન કરવાની જરૂર જ નથી. આ જગતનો નિયમ જ એવો છે, નિશ્ચય જ કરવાની જરૂર છે. પ્રયત્ન કરવાનો નહીં. પ્રયત્ન તો પછી સહેજે થઈ જ જાય, કરવો ના પડે. પ્રશ્નકર્તા : આપણે નિશ્ચય કરીએ, એનાથી વ્યવસ્થિતમાં ફેરફાર થાય ? દાદાશ્રી : નિશ્ચય કરો તે ય પૂર્વનો ડિસ્ચાર્જ છે. ને નિશ્ચય ના કરો તે ય પૂર્વનો ડિસ્ચાર્જ છે. કેવો નિશ્ચય થાય છે, તેના પર વ્યવસ્થિત છે. માટે શું થાય છે તે જુઓ ! નિશ્ચય કરવાના ય આપણે કર્તા નથી. આ તો ડિસ્ચાર્જ સ્વરૂપ નિશ્ચય છે. પ્રશ્નકર્તા : તો પૂર્વના ડિસ્ચાર્જમાં હશે તે થશે, એવું બોલાય નહીંને? દાદાશ્રી : એવું બોલાય જ નહીં. એ તો જોખમ છે. ઘેર જમાઈ માંદા હોય ને આપણે કહીએ કે ડિસ્ચાર્જમાં હોય તે થશે. તે બધા કામકાજ ના કરે. હવે આ ય ડિસ્ચાર્જ છે. પણ આવું ઘરમાં કહે તો સમજવું કે જમાઈ મરવાના થયા. હા, અનુભવ જ્ઞાની હોય તેને પ્રયત્ન સહજ થયા કરે. એ ઉદય કર્મને આધીન રહે ને આ લોકો તો ડખો કર્યા વગર ના રહે. આ લોકો ઉદયકર્મને આધીન રહે નહીં. એટલે અમે એને પ્રયત્ન કરવાનો કહીએ છીએ. નહીં તો આવતો ભવ બગાડે. ભાવ-ભાવ અને દ્વવ્ય-ભાવ ! આપ્તવાણી-૧૧ ૭૯ ભાવકર્મ છે જ નહીં ને ! બહાર ભાવકર્મવાળું વ્યવસ્થિત નથી. એનો અહંકાર જે બાજુ ફરે છે તે બાજુ જ છે. ખુલ્લો અહંકાર છેને. પ્રશ્નકર્તા : એટલે ભાવકર્મ વ્યવસ્થિત નહીં ? દાદાશ્રી : વ્યવસ્થિત હોત તો સંસાર આવો હોય પણ નહીં ને ! ભાવકર્મ વ્યવસ્થિત હોય ને તો લોકો આ દુનિયાનો હિસાબ કાઢી નાખત તરત ! પણ આ તો ગૂંચાયા જ કરે છે ને ! અક્રમમાં ભાવકર્મ જ ના હોય આપણે. વ્યવસ્થિત એટલે તો જેવું યોજના હતી તેનું આ ફળ આવ્યું. અને યોજના કરતી વખતે ભાન વગરનું કરેલું. પ્રશ્નકર્તા : અત્યારે મહાત્માઓને જે ભાવ થાય, એનું ફળ પછી તો દરેકને જુદું જુદું આવવાનું ને ? દાદાશ્રી : આ ભાવ હોય, આ તો ઇચ્છાઓ કહેવાય. ઇચ્છાને ભાવ કહીએ છીએ આપણે. ભાવકર્મ તો દેખાય જ નહીં આંખે. ભાવ છે તે બે જાતના. એક ભાવ-ભાવ અને એક દ્રવ્ય-ભાવ. એટલે આ દ્રવ્ય-ભાવ વ્યવસ્થિતમાં હોય અને ભાવ-ભાવ વ્યવસ્થિતમાં ના હોય. પ્રશ્નકર્તા : ભાવ-ભાવ અને દ્રવ્ય-ભાવમાં ફેર શું ? દાદાશ્રી : એ ઇચ્છા કહો, ભાવ કહો, જે કહો એ દ્રવ્ય-ભાવ. પ્રશ્નકર્તા : અને ભાવ-ભાવ એટલે શું ? દાદાશ્રી : ભાવ-ભાવમાં દેખાય નહીં આપે. એમાં યોજના ઘડાય. દ્રવ્યકર્મનું ફળ આવતી વખતે એમાંથી ભાવકર્મ પડે. માટે એ આપણે આજે ચેતીને ચાલો બરાબર ! અને જો ભૂલેચૂકે બોલાઈ જાય તો પ્રતિક્રમણ કરી લેવાનું. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરે એટલે ખરાબ ભાવમાંથી સારા ભાવમાં આવે. એટલે તો ય ભાવકર્મ તો ઊભું જ રહ્યું ને ? પ્રશ્નકર્તા : ભાવકર્મમાંથી દ્રવ્યકર્મ આવે છે, તો આ ભાવકર્મ એ વ્યવસ્થિત છે ? દાદાશ્રી : ના. એ વ્યવસ્થિત નથી. તમારે તો આ ‘જ્ઞાન’ પછી

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155