________________
૭૮
આપ્તવાણી-૧૧ હવે હકીકતમાં શું છે કે નિશ્ચય કર્યો પછી ખરેખર પ્રયત્ન કરવાની જરૂર જ નથી. આ જગતનો નિયમ જ એવો છે, નિશ્ચય જ કરવાની જરૂર છે. પ્રયત્ન કરવાનો નહીં. પ્રયત્ન તો પછી સહેજે થઈ જ જાય, કરવો ના પડે.
પ્રશ્નકર્તા : આપણે નિશ્ચય કરીએ, એનાથી વ્યવસ્થિતમાં ફેરફાર થાય ?
દાદાશ્રી : નિશ્ચય કરો તે ય પૂર્વનો ડિસ્ચાર્જ છે. ને નિશ્ચય ના કરો તે ય પૂર્વનો ડિસ્ચાર્જ છે. કેવો નિશ્ચય થાય છે, તેના પર વ્યવસ્થિત છે. માટે શું થાય છે તે જુઓ !
નિશ્ચય કરવાના ય આપણે કર્તા નથી. આ તો ડિસ્ચાર્જ સ્વરૂપ નિશ્ચય છે.
પ્રશ્નકર્તા : તો પૂર્વના ડિસ્ચાર્જમાં હશે તે થશે, એવું બોલાય નહીંને?
દાદાશ્રી : એવું બોલાય જ નહીં. એ તો જોખમ છે. ઘેર જમાઈ માંદા હોય ને આપણે કહીએ કે ડિસ્ચાર્જમાં હોય તે થશે. તે બધા કામકાજ ના કરે. હવે આ ય ડિસ્ચાર્જ છે. પણ આવું ઘરમાં કહે તો સમજવું કે જમાઈ મરવાના થયા.
હા, અનુભવ જ્ઞાની હોય તેને પ્રયત્ન સહજ થયા કરે. એ ઉદય કર્મને આધીન રહે ને આ લોકો તો ડખો કર્યા વગર ના રહે. આ લોકો ઉદયકર્મને આધીન રહે નહીં. એટલે અમે એને પ્રયત્ન કરવાનો કહીએ છીએ. નહીં તો આવતો ભવ બગાડે.
ભાવ-ભાવ અને દ્વવ્ય-ભાવ !
આપ્તવાણી-૧૧
૭૯ ભાવકર્મ છે જ નહીં ને ! બહાર ભાવકર્મવાળું વ્યવસ્થિત નથી. એનો અહંકાર જે બાજુ ફરે છે તે બાજુ જ છે. ખુલ્લો અહંકાર છેને.
પ્રશ્નકર્તા : એટલે ભાવકર્મ વ્યવસ્થિત નહીં ?
દાદાશ્રી : વ્યવસ્થિત હોત તો સંસાર આવો હોય પણ નહીં ને ! ભાવકર્મ વ્યવસ્થિત હોય ને તો લોકો આ દુનિયાનો હિસાબ કાઢી નાખત તરત ! પણ આ તો ગૂંચાયા જ કરે છે ને !
અક્રમમાં ભાવકર્મ જ ના હોય આપણે. વ્યવસ્થિત એટલે તો જેવું યોજના હતી તેનું આ ફળ આવ્યું. અને યોજના કરતી વખતે ભાન વગરનું કરેલું.
પ્રશ્નકર્તા : અત્યારે મહાત્માઓને જે ભાવ થાય, એનું ફળ પછી તો દરેકને જુદું જુદું આવવાનું ને ?
દાદાશ્રી : આ ભાવ હોય, આ તો ઇચ્છાઓ કહેવાય. ઇચ્છાને ભાવ કહીએ છીએ આપણે. ભાવકર્મ તો દેખાય જ નહીં આંખે.
ભાવ છે તે બે જાતના. એક ભાવ-ભાવ અને એક દ્રવ્ય-ભાવ. એટલે આ દ્રવ્ય-ભાવ વ્યવસ્થિતમાં હોય અને ભાવ-ભાવ વ્યવસ્થિતમાં ના હોય.
પ્રશ્નકર્તા : ભાવ-ભાવ અને દ્રવ્ય-ભાવમાં ફેર શું ? દાદાશ્રી : એ ઇચ્છા કહો, ભાવ કહો, જે કહો એ દ્રવ્ય-ભાવ. પ્રશ્નકર્તા : અને ભાવ-ભાવ એટલે શું ?
દાદાશ્રી : ભાવ-ભાવમાં દેખાય નહીં આપે. એમાં યોજના ઘડાય. દ્રવ્યકર્મનું ફળ આવતી વખતે એમાંથી ભાવકર્મ પડે. માટે એ આપણે આજે ચેતીને ચાલો બરાબર ! અને જો ભૂલેચૂકે બોલાઈ જાય તો પ્રતિક્રમણ કરી લેવાનું.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરે એટલે ખરાબ ભાવમાંથી સારા ભાવમાં આવે. એટલે તો ય ભાવકર્મ તો ઊભું જ રહ્યું ને ?
પ્રશ્નકર્તા : ભાવકર્મમાંથી દ્રવ્યકર્મ આવે છે, તો આ ભાવકર્મ એ વ્યવસ્થિત છે ?
દાદાશ્રી : ના. એ વ્યવસ્થિત નથી. તમારે તો આ ‘જ્ઞાન’ પછી