________________
આપ્તવાણી-૧૧
૭૭ થયેલો છે પહેલાં, એના સંયોગ ઊભા થયેલા જ છે. જે ખસેડવાના છે એ તો ખસી જ ગયેલા છે, પણ હવે ડિસ્ચાર્જ થાય ત્યારે એઝેક્ટ દેખાવમાં આવે. બે જાતના સંયોગ, ભાવ સંયોગ અને દ્રવ્ય સંયોગ. ભાવ સંયોગ તો તે ઘડીએ ચાર્જ કરતી વખતે થઈ ગયેલા હોય અને દ્રવ્ય સંયોગ હવે રૂપકમાં આવે છે.
પ્રશ્નકર્તા : વિષય ભાવ પછી પાછળથી એ બ્રહ્મચર્યનો નિશ્ચય કરે તો પછી પહેલો જે વિષય સંબંધી જે ભાવ કરેલો તે ઉડી જાય કે રૂપકમાં આવે ?
આપ્તવાણી-૧૧ ભાગાકાર ના કરશો. આ તો પછી પરિણામ બદલાઈ જાય. બાકી નહીં તો નિશ્ચય તો ગમે તે જાતના ગુણાકાર આવે તો ઉડાડી દે.
પ્રશ્નકર્તા : અત્યારે જે નિશ્ચય થાય તે પહેલાના ચાર્જ પ્રમાણે નિશ્ચય થતો હશે.
દાદાશ્રી : બીજું શી રીતે થાય ?
પ્રશ્નકર્તા : આપણું જ્ઞાન વાક્ય પણ આવે છે કે “નિશ્ચયની ખામી છે તારામાં'. જો ખામી હોય તો નિશ્ચયની ખામી છે ને નિશ્ચય કર્યો જ નથી, વાતો જ કરી છે.
દાદાશ્રી : હા. પહેલાં નિશ્ચય કર્યો ના હોય એટલે આજે નિશ્ચય આવે નહીં ને દહાડો વળે નહીં.
પ્રશ્નકર્તા : હા. એટલે ઘણાં કહે છે ને મારાથી આજે નિશ્ચય થઈ શકતો જ નથી. તે આ માટે કે પહેલાં એણે નિશ્ચય કર્યો જ નથી, તો પછી ક્યાંથી આવે ?
દાદાશ્રી : હા. માટે એ છોડી દેવાનું. અને ‘ક્યાં ક્યાં નિશ્ચય થાય છે' એ કરવું આપણે. જેટલો કરેલો હોય પહેલાનો એ આપણાથી થઈ શકે તે કરવો. એમાં ઢીલ નહીં કરવી અને મોડું થવાનું હોય તો ય પણ અત્યારે નિશ્ચય કરી રાખવાથી શું ખોટું છે ?
પ્રશ્નકર્તા : હા. એ તો બરોબર છે. દાદાશ્રી : ત્રણ વર્ષે પણ થાય.
પ્રશ્નકર્તા : એટલે એમ તો કહી શકાય ને કે નિશ્ચયની આ સંયોગો ઉપર અસર થાય છે, ડિસ્ચાર્જ સંયોગો હોય તો પણ.
દાદાશ્રી : અત્યારે ને અત્યારે થતું નથી. એવો નિયમથી જ છે કે નિશ્ચય કર્યો એટલે સંયોગો ઊભા થયેલા જ છે. જે સંયોગ ખસવાના છે,
જે સંયોગ વાગવાના છે એ ઊભા થઈ ગયેલા જ છે. હવે આ ડિસ્ચાર્જ નિશ્ચય થાય એટલે પેલા ભેગા થઈ જાય અને છૂટા પડી જાય. જે નિશ્ચય
દાદાશ્રી : પહેલાનો આ પુરુષાર્થ અને પછીનો આ પુરુષાર્થ, બેની અથડામણમાં ક્યો પુરુષાર્થ જીતે છે તેના ઉપર રૂપક આધાર રાખે છે.
પ્રશ્નકર્તા : એટલે નિશ્ચયની બળવત્તા ઉપર આધાર છે.
દાદાશ્રી : હા, બે લઢે પછી એ, એમાંથી જે જીતે એના બાપનું. ઘણાં ખરા બધું વિરોધાભાસ જ આવું જ હોય બધા, મહીં વઢવાડ ચાલતી જ હોય.
નિશ્ચય સ્વાધીન, વ્યવહાર પરાધીત !
નિશ્ચય એ સ્વાધીન છે અને વ્યવહાર એ પરાધીન છે. અને પરિણામ તો પરાધીનનું ય પરાધીન છે. માટે આપણે નિશ્ચય કરવાનો. પછી વ્યવહારની ભાંજગડ કરવાની નથી.
વ્યવહાર તો વ્યવસ્થિત ચલાવે છે. તમારે જોયા જ કરવાનું છે. ફક્ત તમને ધીરજ રહેતી નથી. અને ધીરજ રહેવી એકદમ તો બને જ નહીં. કારણ કે ઘણાં કાળથી ધીરજ રહેતી નથી ! એટલે થોડા દહાડા અભ્યાસ કરવો પડે.
છતાં આપણે શું કહીએ છીએ કે, કોઈ પણ વસ્તુ બનતાં પહેલાં આપણે પ્રયત્ન કર્યા કરવાનાં, પછી એનું ફળ છે તે વ્યવસ્થિત આપશે. ફળ વ્યવસ્થિત ઉપર છોડી દેવું. આપણે તો કામ કર્યું જવાનું. એનું ફળ વ્યવસ્થિતના તાબામાં છે.