________________
આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : એટલે એને તો ડિસ્ચાર્જમાં નિર્જરા જ થઈ જાય છે.
દાદાશ્રી : એને નિર્જરા જ થઈ જાય છે. એને ચાર્જ તો થતું નથી. એટલે આ બન્ને વાક્યો તે અનુસંધાનમાં મુકેલાં છે.
ડિસ્ચાર્જ વખતે કર્તા જુદો પડી જાય છે, દરેક મનુષ્ય માત્રને. પણ એ પાછું ભ્રાંતિથી પોતે આરોપ કરે છે કે ‘હું કરું છું', બસ. એ ના કરે તો ચાલે એવું છે. ડિસ્ચાર્જ થયા કરે એવું છે, કર્તા ના હોય તો ય.
પ્રશ્નકર્તા એટલે બધાને જ્ઞાની-અજ્ઞાની દરેકને ડિસ્ચાર્જ થયા કરે છે, પણ એમાં કર્તા જુદો પડી જાય છે.
દાદાશ્રી : જુદો પડી જાય છે. એ બહુ ઝીણી વાત છે. પણ એ જો એને ‘અમે' બહાર પાડી છે. અહીં આપ્તસૂત્રમાં લખ્યું છેને, હવે આ લોકોને શી રીતે સમજાય ! આ વીતરાગોની બહુ ઝીણી વાત છે. એ વીતરાગ થાય ત્યારે સમજાય એવી વાત છે આ.
એ જો ઇટ હેપન્સ, બધું જોયા કરે, તો ડિસ્ચાર્જ વખતે એ કર્તા જુદો જ રહે, છે જ જુદો. એટલે એ ઇટ હેપન્સ તરીકે જુદો ચાલે એવું છે. તો ફરી આવતો ભવ સાંકડો થતો જાય. પણ એને ‘હું કરું છું” એ પાછું બોલે છે. એ ચાર્જ કરે છે પાછો. ડિસ્ચાર્જ વસ્તુને પાછું ‘હું કરું છું” એમ કરીને આવતા ભવના માટે ચાર્જ કરે છે.
પ્રશ્નકર્તા : જ્યારે પેલો જ્ઞાની જે છે, ‘હું કરતો નથી” એ ભાવ હોવાના કારણે તરત જ કાયમ છૂટો પડી જાય.
દાદાશ્રી : વ્યવસ્થિતને અમે મૂકી દઈએ. આ કેવી રીતે બન્યું, એટલે આપણે વ્યવસ્થિત મૂકી દઈએ, એ લોકો વ્યવસ્થિતને સમજે નહીં, છતાં પણ એ એટલું જ જુદું સમજે કે આ ઇટ હેપન્સ હોય છે તે ઘણાં બધા કર્મ બંધાતા અટકી જાય.
નિશ્ચય એ કારણ તે સંયોગ એ પરિણામ ! પ્રશ્નકર્તા : નિશ્ચય કર્યો હોય તો સંયોગમાં ફેરફાર થાય ?
આપ્તવાણી-૧૧
૭૫ દાદાશ્રી : નિશ્ચય તો આપણે કરીએ, સંયોગ એ પરિણામ છે. નિશ્ચય એ કોઝ છે. એટલે આ છે તે ડિસ્ચાર્જનું કોઝ છે. તેનો જે નિશ્ચય છે તે ડિસ્ચાર્જનું કોઝ છે. તે ડિસ્ચાર્જ ન થયો હોય એટલો ફેરફાર થાય. કોઝ શેનું છે ? ડિસ્ચાર્જનું. એટલે ડિસ્ચાર્જના કોઝમાં ફેરફાર થાય. જેના સંયોગોમાં આ ચાર્જ કોઝ થયેલું તે આ ડિસ્ચાર્જ કોઝ આવ્યું.
પ્રશ્નકર્તા: ડિસ્ચાર્જના જે સંયોગો હોય એ સંયોગમાં ફેરફાર થાય નિશ્ચય ક્યથી ?
દાદાશ્રી : આ નિશ્ચય કર્યોને એ કંઈક ફેરફાર તો કર્યા વગર રહે નહીં. નવો ફેરફાર થાય નહીં, પણ આ ડિસ્ચાર્જનું પહેલાં ચાર્જ કરેલું ને તે જ ડિસ્ચાર્જ થાય છે. અત્યારે આ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, જે પહેલાં ચાર્જ થયેલું છે !
પ્રશ્નકર્તા: હા. પણ ડિસ્ચાર્જ એટલે પરિણામ જ થયુંને ? દાદાશ્રી : ડિસ્ચાર્જ એટલે પરિણામ અને પેલું નિશ્ચય એટલે કોઝ !
પ્રશ્નકર્તા : હા, એટલે પરિણામ જે તેની અંદર આપણે આમ કહીએ છીએ કે પરિણામમાં ફેરફાર ન થઈ શકે, એ જનરલ રૂલ છે. હવે જો નિશ્ચય કર્યો હોય તો પછી એ પરિણામની અંદર કોઈ ફેરફાર થઈ શકે ?
દાદાશ્રી : એ ફેરફાર થયો ને ? પણ ચાર્જમાં નિશ્ચય હોવો જોઈએ. એ ચાર્જમાં નિશ્ચય હતો ને તેમાંથી ડિસ્ચાર્જ નિશ્ચય થયો. માટે આ ડિસ્ચાર્જનાં પરિણામ બધાં ફેરફાર થાય. એટલે આમ પાછું કોઈ એવું ના માની બેસે કે આ ડિસ્ચાર્જના નિશ્ચયથી પરિણામ ફેરફાર થાય છે. ચાર્જના નિશ્ચયથી જ થાય છે અને નિશ્ચય ફેરફાર તો કર્યા વગર રહે નહીં. પછી એ તો આપણને મનમાં અવળું સમજણ પડી જાય કે આ નિશ્ચય કર્યો એટલે બધુ ફેરફાર થઈ જશે. જો ચાર્જ કરેલો હોય તો જ નિશ્ચય થશે. નિશ્ચયના સંકલ્પ-વિકલ્પ કરવા, એ નિશ્ચય કહેવાય નહીં. ગણત્રી-બણત્રી બધું જ રાખે છે, આપણા મહાત્માઓ, આમ થઈ જશે ને તેમ થઈ જશે. તેથી અમે શીખવાડીએ હોય કે ભઈ આ ગુણાકાર