Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 49
________________ 90 આપ્તવાણી-૧૧ દાદાશ્રી : નહીં, સૂઝને વ્યવસ્થિત ના કહેવાય. પ્રશ્નકર્તા: તો પછી એ કેવી રીતે એનું એડજસ્ટમેન્ટ લેવું, સૂઝનું? એક સૂઝ આપણે એપ્લાય કરી, અને કંઈક પરિણામ આવ્યું એટલે આપણે એને વ્યવસ્થિત કહીએ છીએ તો પછી સૂઝે ય વ્યવસ્થિત થઈને ?! દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા ઃ આવી સૂઝ આવવી એ પણ વ્યવસ્થિત થઈ જ ને ! એ સૂઝ આવવી એ વખતે, તો એ એનો અર્થ શું ? દાદાશ્રી : એ વ્યવસ્થિત કહેવું હોય તો કહેવાય. પણ ડિસ્ચાર્જ ના કહેવાય. પ્રશ્નકર્તા : હા, તો સૂઝ એ વ્યવસ્થિતનો ભાગ ખરો ? દાદાશ્રી : ડિસ્ચાર્જ ના કહેવાય. વ્યવસ્થિત કહેવું હોય તો કહેવાય. પ્રશ્નકર્તા : વ્યવસ્થિત કહો તો જ એનો ઉકેલ આવે, નહીં તો એ સમજમાં એડજસ્ટ થતું નથી. દાદાશ્રી : ના, એનો વાંધો નહીં, એ તમારે વ્યવસ્થિત કહો તો વાંધો નથી અને આ સૂઝને બહાર રાખો તો ય વાંધો નથી. સૂઝ એક એવું હથિયાર છે કે નિરંતર સ્વતંત્ર છે અને આ બુદ્ધિથી સારું-ખોટું થાય, તો બુદ્ધિ એનું નિમિત્ત થઈ એટલે એને વ્યવસ્થિત કહેવાયને એ ડિસ્ચાર્જ કહેવાય. બુદ્ધિ, ડિસ્ચાર્જ થતી બુદ્ધિ કહેવાય. આ સૂઝમાં ડિસ્ચાર્જ શબ્દ નથી લાગુ પડતો. આ તો ઉપાદાન છે, સૂઝ ઊંચી ય થઈ જાય એવી વસ્તુ છે. અનંત અવતારનું ઉપાદાન છે એ તો ! પ્રશ્નકર્તા : ઉપાદાન જ છે, ઉપાદાન ખરું. પણ જીવનના પ્રવાહ, જીવન જેમ ચાલી રહ્યું છે, એમાં એ ઉપાદાનનો ઉપયોગ થાય છે ને ? દાદાશ્રી : એ તો નિરંતર ઉપયોગ થયા જ કરવાનો, પણ એ છે તો એને કોઈ રસ્તે ડિસ્ચાર્જ નથી, એવું કહેવાય. પ્રશ્નકર્તા : હું નથી કહેતો કે એને ડિસ્ચાર્જ કહો. મારે સમજવું છે આપ્તવાણી-૧૧ ૭૧ કે આ જે થઈ રહ્યું છે બધું, એને આપણે ડિસ્ચાર્જ કહીએ છીએ, એ પણ એટલી જ સાચી વાત છે. પણ એની અંદર ઉપાદાન એમાં ભાગ ભજવે છે એ વાત સાચી ? દાદાશ્રી : એ છે જ. એ છે તો આ બધું છે. એને તો આપણે મુખ્ય જ વસ્તુ ગણેલી છે. પ્રશ્નકર્તા ઃ હવે જો ઉપાદાન ભાગ ભજવતું હોય, તો પછી આગળનું જે ચાર્જ છે, એનું આ પરિણામ આવ્યું, એમ કેમ કહી શકાય ? દાદાશ્રી : ઉપાદાન તો એવું છે ને, વ્યવસ્થિત તો, આમથી ગાડી આવી, બીજી આમથી ગાડી આવીને આમ અથડાઈ, તેમાં આ સૂર્યનારાયણે શું કર્યું ? એવું ઉપાદાન છે. એની હાજરી છે વસ્તુની, એ સૂર્યની હાજરી એ તટસ્થ વસ્તુ છે. એટલે આમ લેવાદેવા નહીં ને ! બીજી અથડાઈ, તેમાં સૂર્યનારાયણ ને શું લેવાદેવા ? આ અજવાળાએ એને હેલ્પ કરી, પણ સૂર્યનારાયણને શું લેવાદેવા ? અજવાળું ભલે હેલ્પ કરતું ? એટલે એને ગણતરીમાં જ ગણવાનું નહીં. એને આમે ય ગણતરીની જરૂર જ નહીં. અને એ ઉપાદાન છે તે નિમિત્તને આધીન જ હોય. નિમિત્ત પ્રમાણે વેશ ભજવ્યા જ કરે. નિમિત્ત પ્રમાણે ભાગ ભજવ્યા જ કરે. પ્રશ્નકર્તા : આ મને સૂઝની વાત જરા બરોબર સમજવી હતી, એટલા માટે હું પૂછું છું. દાદાશ્રી : આમાં શું સમજવાનું છે, કહો ? સૂઝ એ સૂર્યનારાયણ જેવી કાયમની વસ્તુ છે ! પ્રશ્નકર્તા : હા, પણ સૂઝ આપણા જીવનની અંદર કેવો ભાગ ભજવે છે એ જરા સમજવું છે ? દાદાશ્રી : આ સૂર્યનારાયણ શું ભાગ ભજવે છે ? વાદળું આવ્યું તો જરા ઓછું અજવાળું થાય અને વાદળ વાદળાં હોય તો અંધારું થઈ જાય. એમાં સૂર્યને શું હેલ્પ કરે છે ? ના સમજાતું હોય તો ફરી ફરી બોલોને ! પણ આ પ્રશ્ન પછી કાઢી

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155