________________
90
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : નહીં, સૂઝને વ્યવસ્થિત ના કહેવાય.
પ્રશ્નકર્તા: તો પછી એ કેવી રીતે એનું એડજસ્ટમેન્ટ લેવું, સૂઝનું? એક સૂઝ આપણે એપ્લાય કરી, અને કંઈક પરિણામ આવ્યું એટલે આપણે એને વ્યવસ્થિત કહીએ છીએ તો પછી સૂઝે ય વ્યવસ્થિત થઈને ?!
દાદાશ્રી : ના.
પ્રશ્નકર્તા ઃ આવી સૂઝ આવવી એ પણ વ્યવસ્થિત થઈ જ ને ! એ સૂઝ આવવી એ વખતે, તો એ એનો અર્થ શું ?
દાદાશ્રી : એ વ્યવસ્થિત કહેવું હોય તો કહેવાય. પણ ડિસ્ચાર્જ ના કહેવાય.
પ્રશ્નકર્તા : હા, તો સૂઝ એ વ્યવસ્થિતનો ભાગ ખરો ? દાદાશ્રી : ડિસ્ચાર્જ ના કહેવાય. વ્યવસ્થિત કહેવું હોય તો કહેવાય.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત કહો તો જ એનો ઉકેલ આવે, નહીં તો એ સમજમાં એડજસ્ટ થતું નથી.
દાદાશ્રી : ના, એનો વાંધો નહીં, એ તમારે વ્યવસ્થિત કહો તો વાંધો નથી અને આ સૂઝને બહાર રાખો તો ય વાંધો નથી. સૂઝ એક એવું હથિયાર છે કે નિરંતર સ્વતંત્ર છે અને આ બુદ્ધિથી સારું-ખોટું થાય, તો બુદ્ધિ એનું નિમિત્ત થઈ એટલે એને વ્યવસ્થિત કહેવાયને એ ડિસ્ચાર્જ કહેવાય. બુદ્ધિ, ડિસ્ચાર્જ થતી બુદ્ધિ કહેવાય. આ સૂઝમાં ડિસ્ચાર્જ શબ્દ નથી લાગુ પડતો. આ તો ઉપાદાન છે, સૂઝ ઊંચી ય થઈ જાય એવી વસ્તુ છે. અનંત અવતારનું ઉપાદાન છે એ તો !
પ્રશ્નકર્તા : ઉપાદાન જ છે, ઉપાદાન ખરું. પણ જીવનના પ્રવાહ, જીવન જેમ ચાલી રહ્યું છે, એમાં એ ઉપાદાનનો ઉપયોગ થાય છે ને ?
દાદાશ્રી : એ તો નિરંતર ઉપયોગ થયા જ કરવાનો, પણ એ છે તો એને કોઈ રસ્તે ડિસ્ચાર્જ નથી, એવું કહેવાય.
પ્રશ્નકર્તા : હું નથી કહેતો કે એને ડિસ્ચાર્જ કહો. મારે સમજવું છે
આપ્તવાણી-૧૧
૭૧ કે આ જે થઈ રહ્યું છે બધું, એને આપણે ડિસ્ચાર્જ કહીએ છીએ, એ પણ એટલી જ સાચી વાત છે. પણ એની અંદર ઉપાદાન એમાં ભાગ ભજવે છે એ વાત સાચી ?
દાદાશ્રી : એ છે જ. એ છે તો આ બધું છે. એને તો આપણે મુખ્ય જ વસ્તુ ગણેલી છે.
પ્રશ્નકર્તા ઃ હવે જો ઉપાદાન ભાગ ભજવતું હોય, તો પછી આગળનું જે ચાર્જ છે, એનું આ પરિણામ આવ્યું, એમ કેમ કહી શકાય ?
દાદાશ્રી : ઉપાદાન તો એવું છે ને, વ્યવસ્થિત તો, આમથી ગાડી આવી, બીજી આમથી ગાડી આવીને આમ અથડાઈ, તેમાં આ સૂર્યનારાયણે શું કર્યું ? એવું ઉપાદાન છે. એની હાજરી છે વસ્તુની, એ સૂર્યની હાજરી એ તટસ્થ વસ્તુ છે. એટલે આમ લેવાદેવા નહીં ને ! બીજી અથડાઈ, તેમાં સૂર્યનારાયણ ને શું લેવાદેવા ? આ અજવાળાએ એને હેલ્પ કરી, પણ સૂર્યનારાયણને શું લેવાદેવા ? અજવાળું ભલે હેલ્પ કરતું ? એટલે એને ગણતરીમાં જ ગણવાનું નહીં. એને આમે ય ગણતરીની જરૂર જ નહીં.
અને એ ઉપાદાન છે તે નિમિત્તને આધીન જ હોય. નિમિત્ત પ્રમાણે વેશ ભજવ્યા જ કરે. નિમિત્ત પ્રમાણે ભાગ ભજવ્યા જ કરે.
પ્રશ્નકર્તા : આ મને સૂઝની વાત જરા બરોબર સમજવી હતી, એટલા માટે હું પૂછું છું.
દાદાશ્રી : આમાં શું સમજવાનું છે, કહો ? સૂઝ એ સૂર્યનારાયણ જેવી કાયમની વસ્તુ છે !
પ્રશ્નકર્તા : હા, પણ સૂઝ આપણા જીવનની અંદર કેવો ભાગ ભજવે છે એ જરા સમજવું છે ?
દાદાશ્રી : આ સૂર્યનારાયણ શું ભાગ ભજવે છે ? વાદળું આવ્યું તો જરા ઓછું અજવાળું થાય અને વાદળ વાદળાં હોય તો અંધારું થઈ જાય. એમાં સૂર્યને શું હેલ્પ કરે છે ?
ના સમજાતું હોય તો ફરી ફરી બોલોને ! પણ આ પ્રશ્ન પછી કાઢી