Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 40
________________ આપ્તવાણી-૧૧ ૫૩ વખત થયે સંયોગો બધા ભાગશે, ઊઠી ઊઠીને. આપણે જો આ બધું માણસ ભેગું થયું ને. હડહડાટ બધું જતું રહેશે ! ક્યાં ઊભું રહે છે બધું ? અને કો'ક બુદ્ધિશાળી આવે ત્યારે કહેશે, ‘મારે કામ છે ને આ ક્યારે ખાલી થશે.’ ‘અલ્યા મૂઆ, હમણે જતું રહેશે, બારોબાર. તું આ ધીરજ રાખને થોડો વખત.’ કંઈ ઊભું રહેતું હશે આ બધું ? સંયોગો પોતે જ વિયોગી સ્વભાવના છે. એ જો વિયોગી સ્વભાવના ના હોતને, તો આ જગતમાં કોઈનો મોક્ષ થાત જ નહીં ! સંયોગ પોતે કર્તાભાવથી ઊભા કરે છે, પણ જો વિયોગ પોતાને કરવો પડતો હોત તો એ છૂટે જ નહીં. કર્તાભાવથી જો વિયોગ થતો હોય, તો કર્તાભાવ છે ત્યાં સુધી મુશ્કેલીઓ ઊભી થાય ! એટલે વિયોગ અકર્તા ભાવથી કરવાનો છે, સંયોગ કર્તાભાવથી થયેલો છે. હા, એટલે વિયોગી સ્વભાવના છે, લોકોને ગમતું નથી. ‘માટે આ સુખ આવ્યું હતું તો તે બધું જતું રહ્યું.’ ત્યારે મેં કહ્યું, “શું આવ્યું ?” ત્યારે કહે, ‘આ દુઃખ આવ્યું.’ પેલું જતું રહ્યું. તો આ ય જતું રહેશે, મૂઆ. મેલને, એ વિયોગી * સ્વભાવના છે. સંયોગો ભેગા થાય છે ને પણ મનમાં સમજી જવાનું કે વિખરાવા માટે છે આ બધું. એ કુદરતી વિખરામણ કેવી, કુદરતી રીતે થયા કરે છે, નહીં તો કોઈ મોક્ષે જ ના જાત. પ્રશ્નકર્તા : ચાલતા જ જાયને, આ સંજોગ આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, એનું વહેણ જ છે ને આખું ! દાદાશ્રી : હા, હવે દાઢ દુ:ખવાની શરૂ થઈ, ચેન ના પડતું હોય, ત્યારે કહે, હવે દસ દહાડા સુધી બંધ નહીં થાય તો શું કરીશ. અલ્યા મૂઆ, એ સંયોગ બંધ થઈ ગયા વગર રહે જ નહીં ! આ સંજોગ ભેગો થયો દુઃખવાળો, તે બંધ થયા વગર રહે નહીં. મનમાં થાય કે ‘ફરી દુઃખશે ?’ પણ હમણે થોડીવારમાં બંધ થઈ ગયો હોય. પણ તું એવો ભય ના કરીશ કે દસ દહાડા રહેશે તો શું થશે ? કોઈ રહેવા આવશે કંઈ ? કોઈ રહેવા આવે ખરું ? તમારી જીંદગીમાં કોઈ ફેરો અનુભવ થયેલો તમને ! રહેવા આવે એનો અનુભવ થયેલ ? બધું એની મેળે જ જતું ૫૪ રહે છે ને ! કંઈ કહેવું પડે છે ? પ્રશ્નકર્તા : ના. તો ત્યાં સમભાવ રાખવાનો છે ! આપ્તવાણી-૧૧ દાદાશ્રી : સ્થિરતા રાખવાની. જ્ઞાન સ્થિરતા આપે, મનુષ્યને આ દુષમકાળમાં સામાન્ય મનુષ્યને તો ન રહે, એ સ્વભાવિક છે, દુષમકાળ છે. એટલે વરીઝ જ નહીં રાખવાની મનમાં, ગમે એટલા સંયોગો ભેગા થાય. તો ય એમ ને એમ ઊઠી ઊઠીને જતા રહેશે, બધા ક્યારે જતા રહેશે એ કહેવાય નહીં, તમે જ્ઞાનમાં સ્થિરતા પકડો અને જ્ઞાન હંમેશા સ્થિર જ હોય. જ્ઞાન અસ્થિર હોય નહીં. જ્ઞાનનો સ્વભાવ જ સ્થિર. બધું ચાલ્યું જશે, ક્યાંનું ક્યાં ય ચાલ્યું જશે. જરા મોડું થાય તો તે ઘડીએ તપ કરવાનું, તે ઘડીએ જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ. મોડું થાય તો શું કરવાનું ? એ જ તપ. એ આંતરિક તપ. આ બાહ્ય તપ નહીં, આંતરિક તપ. પ્રશ્નકર્તા : આવા તપ આવે એ તો સારું ને, દાદા ? દાદાશ્રી : રિયલી આ કેટલાં પુણ્યશાળી છે, આ દુષમકાળના જીવો કે ઘેર બેઠાં તપ મળે છે. બૈરી કહે છે, ‘તમારામાં વેતા જ કંઈ છે !’ ‘બહુ સારું થયું બા!' વેતા નહીં એવું કંઈ કહે છે ને ! તે વળી આ પાછા ધોલ મારે લોકો, નહીં ? તારામાં બરકત નથી એમ કહે, નહીં ? પ્રશ્નકર્તા : હા, એ તો બહુ માથાભારે હોય તો કહે. દાદાશ્રી : હા, નહીં તો બીજું કહે, માથાભારે ના હોય તો બીજું શબ્દ, ટોણો તો મારે જ ને ! ત્યારે ટોણાંમાં આવી ગયું ને ! ટોણાં મારે તો ના સમજી જઈએ આપણે કે ધન્ય ભાગ્ય આપણા ! આ બધું, સંજોગ બધા જવાના. એની મહીં હાયવોય કશી કરવી નહીં, જોયા કરવું. હાયવોયથી કર્મ બંધાય અને જોયા કરવાથી કર્મ બંધાય નહીં, છૂટા થઈ જાય. હાયવોય તો આખું જગત કરે જ છે ને ! એ

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155