Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 27
________________ 28 આપ્તવાણી-૧૧ દાદાશ્રી : આપણે જતી વખતે ઘરમાં સાતે ય માણસ જીવતા હતા અને આવ્યા ત્યારે ગુંડાઓએ કાપી નાખ્યા, તો આપણને કશું ય મહીં ફેરફાર નહીં. આ વ્યવસ્થિત છે. આપણે શુદ્ધાત્મા ! આ તો હિસાબ હતા તે ચુક્ત કર્યા. હવે એની પાછળ રડારડ કરશો તો કંઈ સાજા થવાના નથી. આ તો ઘાંટાઘાટ કરો તો તમારો ઘાંટો બેસી જાય એટલું જ. એ બધું જોયેલું જ્ઞાનીઓએ ! જ્ઞાનીઓના આધારે ચાલોને ! એકડો કરીએ ત્યારે બીજી સંખ્યામાં પેસીએને ! પ્રશ્નકર્તા : ઓહોહો ! મોટી વાત છે. દાદાશ્રી : એકડો કરીએ તો સંખ્યામાં પેસીએને ! એકડો જ કર્યો નહીંને, મીંડું-મીંડું ! સંખ્યામાં પેસીએ ત્યારે ગોટાળો વળને ! આ બધા ગોટાળા સંખ્યામાં પેઠા તેના. હવે જેને જે જગ્યામાં પેસવા માંગતો નથીને, તેને સમાધાન થઈ જાય છે અને જેને વહેમ છે કે સંખ્યામાં પેસવા જેવું છે. તેને માટે કોર્ટો હોય, એ કોર્ટમાં હઉ જાય અને જવાની છૂટ છે. વ્યવસ્થિત શું કહે છે કે તું કોર્ટમાં પણ જા, કોર્ટમાં જવાનો વાંધો નથી. કોઈ પણ બાબતે એ કરોને તો કોર્ટમાં જવાનું. મહીં અહીં ઝીરો ના કરી શકતું હોય, તો કોર્ટમાં જવું પડે. તો કોર્ટમાં ય પણ એની જોડે “ચાલ, ચા-બા પીએ” રાગ-દ્વેષ રહિત કરો. આત્મા થઈને કોર્ટ કરો. કારણ કે હિસાબ છે. તમે આજે આ કોર્ટ ગોઠવી નથી. પહેલાં અજ્ઞાન દશામાં ગોઠવેલી છે માટે આ જોવાની છે. અજ્ઞાન દશાની ગોઠવેલી વસ્તુઓ ‘જોવાની’ છે. અને જ્ઞાનીઓ તો ત્યાં ને ત્યાં જ મીંડું વાળી દે. સાત જણને કાપી નાખ્યા હોયને, જોતાંની સાથે જ મીંડું વાળી દે. પાડોશી કહેશે, “શું દાદા તમને કશું બહુ અડચણ પડતી હશેને આ બધું ?" ત્યારે કહે, ‘હા, બહુ, શું થાય ?' અટાવી-પટાવીને વાત કરીએ. પાડોશી જોડે એવું બોલેને કે ‘અમને કશું થાય નહીં. આમ છે ને તેમ છે'. એ પાછા પાડોશીઓ બધું મશ્કરીઓ કરે નહીં. એના કરતાં, ‘ભઈ, શું થાય, અમને બહુ દુઃખ થાય છે ?" એવું પટાવીને કામ થાય. પ્રશ્નકર્તા : કોઈ પણ વસ્તુની શરૂઆત કરી હોય તો બધું સંઘર આપ્તવાણી-૧૧ એને લાગે ને ! એકડો માંડ્યો હોય તો પછી બધા આંકડા એને મંડાય ને ! દાદાશ્રી : એટલે એમાં ફરી એકડો માંડવો નહીં એવું કહેવા માંગતા હતા. હવે પહેલાં એકડા મંડાઈ ગયા એ મંડાઈ ગયા, પણ હવે મીંડાં કર કર કર્યા કરવાં. કાપી નાખે ને આપણે જોઈએ તો આપણો એકડો ન થવો જોઈએ. મીંડું કરી દેવાનું. તમને સમજ પડી ? પ્રશ્નકર્તા: એટલે મૂળ શરૂઆત જો કરી હોય, એટલે એકડો જો માંડ્યો હોય તો એને મીંડાં ચઢે. દાદાશ્રી : એવું નહીં. ગુંડાઓએ કાપી નાખેલા હોય, આપણે ઘેર આવીએ ત્યારે, બધાં ય માણસોને, અને આ જ્ઞાન તો આપણી પાસે છે જ, તો હવે આપણે શું શું કરવું અહીં આગળ ? એકડો માંડીએ એટલે આ પૌલિક વિચાર કરીએ તો છે તે બીજા મીંડાં ચઢે ને ! એકડો જ માંડીએ નહીં તો ! એવું આપણું વિજ્ઞાન છે. ત્યાં તે ઘડીએ એનું બધું ભૂલી જાય, આત્મા-બાત્માનું બધું, પાછલું યાદ આવીને બધું ગા-ગા કરે, બધા એકડા માંડી છે બધા. એ ના માંડવા. માટે ચેતવી આપું છું. ગમે તેવા સંજોગ આવે પણ શેને માટે ?! પ્રશ્નકર્તા : સાત વ્યક્તિ ઘેર હોય અને સાંજે પાછા આવીએ તો છે મરી જાય. દાદાશ્રી : છ શું, એકે ય ના હોય. આપણું જ્ઞાન તો શું કહે છે કે ભઈ, ‘આ તો વ્યવસ્થિત'. વ્યવસ્થિત બધું એક્કેક્ટ. બધું જ્ઞાન ચોખ્ખું જ કહે છેને આપણું ! જે જોયું, જે પરિસ્થિતિ ઘેર આવીને જોઈ એ વ્યવસ્થિત જ છે કે નહીં ? કે અવ્યવસ્થિત છે ? પ્રશ્નકર્તા : છે વ્યવસ્થિત જ ! દાદાશ્રી : તો પછી વ્યવસ્થિતમાં અવ્યવસ્થિત કેમ કરો છો ? તો પછી એનું અવ્યવસ્થિત કરવાનું કારણ શું ?! એકડો કરવાનું કારણ જ

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155