Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 29
________________ આપ્તવાણી-૧૧ ભોક્તાપણું છે. એટલે તમારે હવે એમાં એ પ્રમાણે જો કદી વ્યવસ્થિતને માનીને ચાલે તો શુદ્ધ વ્યવહાર કહેવાય. પ્રશ્નકર્તા ઃ એ વ્યવસ્થિતમાં કેવી રીતે ? ૩૧ દાદાશ્રી : વ્યવસ્થિત એટલે ચંદુભાઈ જે કાર્ય કરતા હોય, તે કાર્યને આપણે જોયા કરવું એનું નામ વ્યવસ્થિત. પછી જે કંઈ કાર્ય કરે, ખરાબ, સારું, ખોટું જે કરે તે. એ તમે જોયા કરો, ડખોડખલ ના કરો, એનું નામ વ્યવસ્થિત. પ્રશ્નકર્તા : તો પછી એ દ્રષ્ટાભાવમાં રહ્યા કહેવાય ને ! દાદાશ્રી : તે એ જ વ્યવસ્થિત. કારણ કે વ્યવસ્થિત જ છે એ. બીજું ખોટું કરવાનું નથી, ડખોડખલ કરશો તો ઊંધું થશે અને જે ખોટું-ખરું છે જે, તે ટાંકીમાં માલ ભરેલો છે તે નીકળે. નવું ટાંકીમાં આવવાનું બંધ છે. જૂનું છે એ ડિસ્ચાર્જ થાય છે અને નવું ચાર્જ થતું નથી. એટલે જે છે ભરેલું કોઈ ડામરવાળું હોય, તો પણ ભર્યો છે તે એ માલ નીકળે છે, કંઈ નવો માલ નીકળતો નથી. એટલે તમારે શું કરવાનું કે ચંદુભાઈ જે કરે તે તમારે જોયા કરવાનું. ચંદુભાઈના મનમાં ય આપણે ઘુસવાની જરૂર નહીં. એમના મનમાં ખરાબ વિચાર આવે કે સારા વિચાર આવે તો આપણે એ ય જોયા કરવાના. એટલે તમને સમજાયું થોડું ? વ્યવસ્થિતતું જ્ઞાન વ્યવહારમાં ! પ્રશ્નકર્તા : વ્યવસ્થિતના જ્ઞાન સાથે વ્યવહારમાં કેવું વર્તન જોઈએ ? દાદાશ્રી : આપણે અહીંથી રૂપિયા દસ હજાર આપ્યા. તે પછી ના આવે એમ હોય તો એની આપણે ઉપાધિ નહીં કરવી. શાથી ઉપાધિ નહીં કરવાની ? કારણ કે પેલાને આપ્યા એ કયા કારણથી તે અપાયા હશે ? એ કારણ તમે અંદરખાને જાણતા નથી. એટલે જે બને છે એને કરેક્ટ’ કહેજો. બની ગયું એ કરેક્ટ, વ્યવસ્થિત ! જો તમે આપતા પહેલાં વિચાર કરો તેના માટે, તો વાંધો નહીં. પણ આપ્યા પછી આપણે કોઈ વિચાર ૩૨ આપ્તવાણી-૧૧ કરવાનો ના હોય. પછી બીજે દહાડે કોઈ કહેશે કે આ આને ક્યાં આપ્યા તમે પૈસા ?! ત્યારે કહે, ભઈ ના, બરાબર હિસાબ છે આ તો, જમે કરી દીધા. દાદાએ કહ્યું છે ને કરેક્ટ. આપ્યા એટલે કરેક્ટ જ. થોડું થોડું સમજાયું ? ત્યાં તો જે બની ગયું એ કરેક્ટ. જે જે કંઈ બને તે બની ગયા પછી કરેક્ટ જ કહેવાનું. એની ઉપર દાવો માંડવાનો અધિકાર. જો મહીં વિચાર આવતા હોય કે આ માણસ ઉપર દાવો માંડવો છે તો ય આપણને વિચાર ડખો ના કરતો હોય તો આપણે વકીલને ત્યાં જઈને કહી દેવાનું કે ‘ભઈ, એક માણસ છે, અમારે દાવો માંડવો છે.' તો પણ એ માણસ ઉપર જરાય દ્વેષ ના હોવો જોઈએ આપણે. કારણ કે દાવો માંડવાની ફિલ્મ છે આ. તે ફિલ્મ તો પૂરી કરવી પડશે ને ! હિસાબ છે, ફિલ્મ છે, ત્યાં બારણું બંધ કરીને બેસી જઈએ એ કંઈ ના ચાલે. ‘મારાથી ના જવાય' એ કહેનાર કોણ ? ના જનાર તું કોણ ? જનારો કોણ ? તે આ ડિસ્ચાર્જમાં, વ્યવસ્થિતમાં છે ! એટલે આપણે એ જ કહીએ છીએ કે હવે આ તમને જ્ઞાન મળ્યા પછી હવે કલ્પાંત કરશો નહીં. તમારું વ્યવસ્થિત જ છે. અને જગતના લોકોનું વ્યવસ્થિત નથી. કારણ કે એનો અહંકાર ખુલ્લો છે અને તમારો અહંકાર, કર્તાભાવનો ઉડી ગયો તે વ્યવસ્થિત છે. સમજ પડીને ? પ્રશ્નકર્તા : સમજાયું, દાદા. દાદાશ્રી : પછી કાલે ભૂલી જવાના પાછાં ?! પ્રશ્નકર્તા : દ્રઢ થતું જાય છે, હજુ જેટલું સમજાય છે તેટલું ! દાદાશ્રી : બહુ ઊંડી વાતો આ. આ વાતો જ ઘણી ઊંડી છે ! થઈ શકે શું વ્યવસ્થિત, અવ્યવસ્થિત ? પ્રશ્નકર્તા : આવતા વ્યવસ્થિતને અવ્યવસ્થિત કરવાની શક્તિ કેટલી ? દાદાશ્રી : એવું છે ને આ જ્ઞાન મળ્યા પછી અવ્યવસ્થિત કરવાની શક્તિ નથી. જ્ઞાન ના મળ્યું હોય તો તે અવ્યવસ્થિત કરી નાખે. એટલે જ્ઞાન મળ્યા પછી જેનો અહંકાર ખસી ગયો છે અને ‘હું ચંદુલાલ છું’ એ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155