Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 30
________________ આપ્તવાણી-૧૧ ૩૩ તમારા જ્ઞાનમાંથી જતું રહ્યું છે એટલે પછી એને અવ્યવસ્થિત કરવાની શક્તિ કશી રહી જ નહીંને ! પછી વ્યવસ્થિત છે જ બધું તમારું. પ્રશ્નકર્તા: આ બધું કમ્પ્લીટ વ્યવસ્થિત છે? એમ આ પ્રશ્ન આવીને ઊભો રહે. દાદાશ્રી : ના. બધું વ્યવસ્થિત નથી. જો આ અહંકાર જતો રહેને, તો આ બધું વ્યવસ્થિત છે. પ્રશ્નકર્તા : આપણે જ્ઞાન લીધા પછી.... દાદાશ્રી : આ જ્ઞાન લીધા પછી ‘બિલકુલ વ્યવસ્થિત છે. અમારી બિલીફ છે જ નહીં બીજી, જો આજ્ઞા પાળે તો. આજ્ઞા ના પાળે તો પેલા જેવો જ થઈ ગયોને ! પ્રશ્નકર્તા ઃ હવે આજ્ઞા કેમ પાળે ને કેમ ન પાળે ? દાદાશ્રી : આજ્ઞા પાળવાનો નિશ્ચય છે, એ સીત્તેર ટકા પાળે તો અમારે વાંધો નથી. પણ નિશ્ચય એનો હોવો જોઈએ. આપને સમજાયું ? બેસી રહેવાય વ્યવસ્થિત કરીતે ?' ૩૪ આપ્તવાણી-૧૧ બહારનાં સંયોગોમાં અને આપણી પ્રકૃતિના કાર્યમાં, હાથ ઊંચો થાય કે પગ આઘોપાછો થાય કે મહીં અંદરથી કહે ને આ હેંડવા માંડે, એ બધામાં આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું, એનું નામ વ્યવસ્થિત. પ્રશ્નકર્તા: ફરીથી કહો. દાદાશ્રી : ફરીથી કહું ? “શુદ્ધાત્મા' સિવાય બીજું પ્રકૃતિ રહી, તે પ્રકૃતિ અને બહારનાં સંયોગો બધાં ભેગા થતાં હોયને, તે જે કાર્ય કરે એ બધું વ્યવસ્થિત. શુદ્ધાત્મા સિવાય બીજો કયો ભાગ રહ્યો ? પ્રકૃતિ રહી. તે ગુનેગારી છે. તે પ્રકૃતિ જે કરતી હોય તેમાં આપણે કહીએ, ‘તું જોશથી કર.” એમે ય નહીં કહેવાનું, અને ‘ના કરીશ” એમે ય નહીં કહેવાનું. આપણે જ્ઞાતાદ્રષ્ટા રહેવાનું, તો ‘વ્યવસ્થિત'. અને કોઈ ફેરો જ પહેલું પ્રકૃતિને ઠંડક રહે એટલા માટે કહી દેવું પડે કે વ્યવસ્થિત છે. કારણ કે મહીં જાતજાતના ગૂંચાળા ઊભા થાય, લૌકિક જ્ઞાન હાજર થઈ જાય એટલે આપણે આ જ્ઞાન પહેલેથી કહી દેવું પડે કે વ્યવસ્થિત છે. બાકી વ્યવસ્થિતનો અર્થ એ છે કે પ્રકૃતિના કાર્યમાં ડખો નહીં કરવાનો. આપણે ગજવું દાબી રાખવું પડે. જો આ પોતે બધું ગોઠવાયેલું કહેને તો તો ગજવું દબાવે નહીં. ગોઠવાયેલું છે જગત એવું તમને લાગ્યું? પ્રશ્નકર્તા : “કોઈ કર્તા નથી” કહ્યું, એનો અર્થ એમ કે વ્યવસ્થિત ગોઠવાયેલું છે ? દાદાશ્રી : ખરેખર ગોઠવાયેલું છે, પણ આ લોકોને કહેવાય નહીં એવું. એવું કહે તો આ લોકો કેવાં છે ? હાથે ય હલાવે નહીં, એવાં છે. હાથને કહેશે ‘તું હાલીશ જ નહીં'. તો ઊંધી પ્રક્રિયા થઈ જશે. સહજ રીતે રહેવાનું. જો સહજ રીતે રહી શકતો હોય, જે મન-વચન-કાયામાં ડખલ નહીં કરતો હોય, તેને વ્યવસ્થિત જ છે જગત, ગોઠવાયેલું જ છે ! પણ આ તો મન-વચન-કાયામાં ડખલ કરે કે હવે નહીં જઈએ તો ચાલશે. પ્રશ્નકર્તા: જો કોઈ કહે કે નહીં, હવે જે થવાનું હશે તે થશે તો ? દાદાશ્રી : ના ચાલે. તેથી આપણે જ્ઞાન આપીએ છીએ તે અલૌકિક જ્ઞાન આપીએ છીએ બધાને. ‘વ્યવસ્થિત'નો જો અર્થ સમજે તો તો કામ કાઢી નાખે. અને ભ્રાંતિવાળો હોય એ ક્યારે અર્થ એનો બગાડી નાખે એ કહેવાય નહીં. પ્રશ્નકર્તા : વ્યવસ્થિત કહીને બેસી રહે તો તો દુનિયા એમ કહે કે આ તો આળસુનો સરદાર છે, કંઈ કામ નથી કરતો. દાદાશ્રી : વ્યવસ્થિત કરીને બેસી રહેવાનું ક્યારે ? એવું ‘વ્યવસ્થિત' કોને કહેવાય છે, એ તમને કહું કે આપણી પ્રકૃતિના કાર્યમાં અને બહારનાં એવિડન્સનાં કાર્યમાં ડખો નહીં કરવો એનું નામ “વ્યવસ્થિત'.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155