Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 24
________________ આપ્તવાણી-૧૧ અક્રમ વિજ્ઞાન શું તારણ કહે છે ? કર્તાનો આધાર છૂટી ગયો એટલે કર્મ પડી ગયાં. નિરાધાર થાય તો કોઈ વસ્તુ રહે નહીં અને કર્તા નથી ત્યાં કર્મ હોય નહીં. અને આ જ આખો ચોવીસ તીર્થંકરોનો વીતરાગ માલ છે. દરેક તીર્થંકરનો પોતપોતાના કાળના પ્રમાણે ઉપદેશ અપાયેલો. અત્યારે ચોવીસ તીર્થંકરોનો ભેગો ઉપદેશ અપાય છે. આ માલ જે ચોવીશ તીર્થકરોના વખતથી રખડી પડેલો માલ તે આ ભેગો છે, તે આ ભેગું જ્ઞાન છે, વીતરાગ વિજ્ઞાનનું એટલે દરેક જગ્યાએ એડજસ્ટ થઈ જાય. તમને “જ્ઞાન” આપ્યું એ તો બેઝીક રીતે આપ્યું છે, વિગતવાર હવે તમારે અહીં જરા પ્રશ્ન પૂછવો હોય તો પૂછી જોવાનો. તથી સામો પણ કર્તા કદિ.. ૨૨ આપ્તવાણી-૧૧ સામાને ‘કર્તા છે” એવું મનાય જ નહીં તમારાથી હવે. ‘હું કર્તા નથી.’ એવી રીતે સામો પણ કર્તા નથી. પણ એને કર્તા માનો તો તમે કર્તા જ થઈ ગયાં ! બીજાને કર્તા ના દેખે, પોતે અકર્તા, સામા ય અકર્તા. ‘હું કરું છું, તું કરે છે અને તેઓ કરે છે', એ ત્રણે ય છે તે કર્તાપદ ના હોવું જોઈએ, બધામાં ય. ગમે તે કોઈ કરતું જ નથી, એવી રીતે દેખાવું જોઈએ. કો'ક ગાળ ભાંડે તો આપણને ‘એ કર્તા નથી, વ્યવસ્થિત કર્તા છે', એવું ભાન રહેવું જોઈએ. ત ફરે આચાર આ ભવમાં... અને લોકો કહે છે, “આચાર કેમ તમારા બરોબર નથી !' અલ્યા, પણ જે ચીજનો હું કર્તા નથી. એ મારાથી શી રીતે ફરે ?! તું તો કર્તા માની બેઠો છું તે ય ખોટું છે, તારાથી પણ કંઈ ફેરવી ન શકાય.' જ્ઞાની પુરુષની અંદર બોધકળા અને જ્ઞાનકળા બન્ને હોય, એ કળા શીખેને એટલે પોતે સમજી જાય કે આ ખોટું છે. કોઈ તમને વાંધો કહે, કે ‘તમે કંઈ ફર્યા નથી દાદાને મળ્યા છતાં.’ તો તમને વાંધો લાગે પછી ? પ્રશ્નકર્તા : વ્યવસ્થિત કર્તાનું ભાન થાય પણ દેહ ધારણ કર્યો હોય ત્યાં સુધી કર્તાભાવ તો રહે ને ? પ્રશ્નકર્તા : ના, જરાય ના લાગે. - દાદાશ્રી : કર્તાભાવ જવાને માટે તો આ જ્ઞાન છે. જો સામાને કર્તા માનીએ, સામો ગાળ ભાંડે છે, એને કર્તા માનીએ તો વાત આખી સમજતા જ નથી. સિદ્ધાંત જ એ છે કે આ પરસત્તા કામ કરી રહી છે. એટલે ‘હું કર્તા નથી’ એવું ભાન થયું. બીજા ય કર્તા નથી, પરસત્તા કરે છે, એટલે વ્યવસ્થિત શક્તિ કરે છે આ બધું. પ્રશ્નકર્તા : એ તો “અક્રમ વિજ્ઞાન'ના અંકમાં વાણી વિષેનો સત્સંગ બહુ સરસ આવ્યો છે કે “આ વાણી એ ટેપ છે. સામાની વાણી પણ ટેપ છે ને તારી વાણી પણ ટેપ છે.’ દાદાશ્રી : ત્યારે પેલા એક ભાઈ કહે છે, કોઈને માન્યામાં આવે એવી વસ્તુ નથી. મેં કહ્યું, “ના, માનો કે માનો પણ આમ જ છે. તમારી વાણી હઉ એવી ટેપ છે. વાણીનો કર્તા જો એને માનીએ તો એને કર્તા તમે માન્યો. આપણું અવિરોધાભાસ મુફ થવું જોઈએ, હરેક બાબતમાં એક શબ્દ વિરોધાભાસ ન લાગવો જોઈએ.’ દાદાશ્રી : કારણ કે ફરવાની સત્તા કોના હાથમાં ? પરસત્તાના હાથમાં છે. આ તો એ બોલે, એ અણસમજણ છે. એટલે એ બોલે એવું, એ એમ જાણે છે કે “આ આપણા હાથમાં સત્તા છે” એવું જાણે છે. જગત વ્યવહારમાં કર્તાભાવથી કરવાનું છે. અહીં જ્ઞાતાભાવથી જાણવાનું, “શું થઈ રહ્યું છે' એ. પ્રશ્નકર્તા : જેનામાં જ્ઞાન પરિણામ પામ્યું હોય, તેનામાં કર્તાપણું ભાસ્યમાન દેખાય, પણ કર્તાભાવ ના હોય. દાદાશ્રી : ભાસ્યમાન દેખાય છેને, એ તો છે તે ડિસ્ચાર્જ કર્તાભાવ છે, એટલે ભોક્તાભાવ છે. એ અહંકાર મરેલો હોય અને પેલો જીવતો હોય ચાર્જમાં, એટલે કર્મો જ બાંધે.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155