________________
આપ્તવાણી-૧૧
અક્રમ વિજ્ઞાન શું તારણ કહે છે ? કર્તાનો આધાર છૂટી ગયો એટલે કર્મ પડી ગયાં. નિરાધાર થાય તો કોઈ વસ્તુ રહે નહીં અને કર્તા નથી ત્યાં કર્મ હોય નહીં. અને આ જ આખો ચોવીસ તીર્થંકરોનો વીતરાગ માલ છે. દરેક તીર્થંકરનો પોતપોતાના કાળના પ્રમાણે ઉપદેશ અપાયેલો. અત્યારે ચોવીસ તીર્થંકરોનો ભેગો ઉપદેશ અપાય છે. આ માલ જે ચોવીશ તીર્થકરોના વખતથી રખડી પડેલો માલ તે આ ભેગો છે, તે આ ભેગું જ્ઞાન છે, વીતરાગ વિજ્ઞાનનું એટલે દરેક જગ્યાએ એડજસ્ટ થઈ જાય.
તમને “જ્ઞાન” આપ્યું એ તો બેઝીક રીતે આપ્યું છે, વિગતવાર હવે તમારે અહીં જરા પ્રશ્ન પૂછવો હોય તો પૂછી જોવાનો.
તથી સામો પણ કર્તા કદિ..
૨૨
આપ્તવાણી-૧૧ સામાને ‘કર્તા છે” એવું મનાય જ નહીં તમારાથી હવે. ‘હું કર્તા નથી.’ એવી રીતે સામો પણ કર્તા નથી. પણ એને કર્તા માનો તો તમે કર્તા જ થઈ ગયાં ! બીજાને કર્તા ના દેખે, પોતે અકર્તા, સામા ય અકર્તા. ‘હું કરું છું, તું કરે છે અને તેઓ કરે છે', એ ત્રણે ય છે તે કર્તાપદ ના હોવું જોઈએ, બધામાં ય. ગમે તે કોઈ કરતું જ નથી, એવી રીતે દેખાવું જોઈએ. કો'ક ગાળ ભાંડે તો આપણને ‘એ કર્તા નથી, વ્યવસ્થિત કર્તા છે', એવું ભાન રહેવું જોઈએ.
ત ફરે આચાર આ ભવમાં...
અને લોકો કહે છે, “આચાર કેમ તમારા બરોબર નથી !' અલ્યા, પણ જે ચીજનો હું કર્તા નથી. એ મારાથી શી રીતે ફરે ?! તું તો કર્તા માની બેઠો છું તે ય ખોટું છે, તારાથી પણ કંઈ ફેરવી ન શકાય.'
જ્ઞાની પુરુષની અંદર બોધકળા અને જ્ઞાનકળા બન્ને હોય, એ કળા શીખેને એટલે પોતે સમજી જાય કે આ ખોટું છે. કોઈ તમને વાંધો કહે, કે ‘તમે કંઈ ફર્યા નથી દાદાને મળ્યા છતાં.’ તો તમને વાંધો લાગે પછી ?
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત કર્તાનું ભાન થાય પણ દેહ ધારણ કર્યો હોય ત્યાં સુધી કર્તાભાવ તો રહે ને ?
પ્રશ્નકર્તા : ના, જરાય ના લાગે.
- દાદાશ્રી : કર્તાભાવ જવાને માટે તો આ જ્ઞાન છે. જો સામાને કર્તા માનીએ, સામો ગાળ ભાંડે છે, એને કર્તા માનીએ તો વાત આખી સમજતા જ નથી. સિદ્ધાંત જ એ છે કે આ પરસત્તા કામ કરી રહી છે. એટલે ‘હું કર્તા નથી’ એવું ભાન થયું. બીજા ય કર્તા નથી, પરસત્તા કરે છે, એટલે વ્યવસ્થિત શક્તિ કરે છે આ બધું.
પ્રશ્નકર્તા : એ તો “અક્રમ વિજ્ઞાન'ના અંકમાં વાણી વિષેનો સત્સંગ બહુ સરસ આવ્યો છે કે “આ વાણી એ ટેપ છે. સામાની વાણી પણ ટેપ છે ને તારી વાણી પણ ટેપ છે.’
દાદાશ્રી : ત્યારે પેલા એક ભાઈ કહે છે, કોઈને માન્યામાં આવે એવી વસ્તુ નથી. મેં કહ્યું, “ના, માનો કે માનો પણ આમ જ છે. તમારી વાણી હઉ એવી ટેપ છે. વાણીનો કર્તા જો એને માનીએ તો એને કર્તા તમે માન્યો. આપણું અવિરોધાભાસ મુફ થવું જોઈએ, હરેક બાબતમાં એક શબ્દ વિરોધાભાસ ન લાગવો જોઈએ.’
દાદાશ્રી : કારણ કે ફરવાની સત્તા કોના હાથમાં ? પરસત્તાના હાથમાં છે. આ તો એ બોલે, એ અણસમજણ છે. એટલે એ બોલે એવું, એ એમ જાણે છે કે “આ આપણા હાથમાં સત્તા છે” એવું જાણે છે.
જગત વ્યવહારમાં કર્તાભાવથી કરવાનું છે. અહીં જ્ઞાતાભાવથી જાણવાનું, “શું થઈ રહ્યું છે' એ.
પ્રશ્નકર્તા : જેનામાં જ્ઞાન પરિણામ પામ્યું હોય, તેનામાં કર્તાપણું ભાસ્યમાન દેખાય, પણ કર્તાભાવ ના હોય.
દાદાશ્રી : ભાસ્યમાન દેખાય છેને, એ તો છે તે ડિસ્ચાર્જ કર્તાભાવ છે, એટલે ભોક્તાભાવ છે. એ અહંકાર મરેલો હોય અને પેલો જીવતો હોય ચાર્જમાં, એટલે કર્મો જ બાંધે.