________________
આપ્તવાણી-૧૧
૨૩ પ્રશ્નકર્તા : આ જ્ઞાન આપ્યું એટલે કર્તાભાવ આખો તોડી નાખ્યો ! દાદાશ્રી : હા, અહંકાર ને મમતા બેઉ ઊડી ગયાં, હડહડાટ !
અહંકાર કર્તા-ભોક્તાપણાતો !
૨૪
આપ્તવાણી-૧૧ નિકાલ થઈ રહ્યો, એ પૂર્ણ અવતાર. એટલે આ વચલી દશા, ઇન્દ્રિમ ગવર્મેન્ટ.
રહ્યું શુદ્ધાત્મા તે સંયોગ !
પ્રશ્નકર્તા : હવે આત્મા અને સંજોગ, આ બે જ વસ્તુ છે. દાદાશ્રી : હા, બીજું છે નહીં.
પ્રશ્નકર્તા : એટલે હવે જે જેને નિવારવાનું છે. એ સંજોગને નિવારવાના છે. સંજોગ જાય, એટલે આત્મા છૂટો થઈ જાય. એટલે સંજોગ જે છે, એ તો ડિસ્ચાર્જ ભાવ છે અને સંજોગ એ જ વ્યવસ્થિત
કર્તાભાગનો અહંકાર સંપૂર્ણ જાય છે અને ભોક્તાભાગનો અહંકાર જીવતો હોતો નથી. જે ભોક્તાપણું છે, જે પ્રારબ્ધ જ છે એ પ્રારબ્ધ ભોગવનારો જીવતો હોતો નથી. કર્મ કરનારો જીવતો હોય છે.
કર્તા હોય ત્યાં સુધી તો બધું જ અંધારું હોય. પહેલું કર્તાપણું જાય, પછી બુદ્ધિ ધીમે ધીમે ચાલ્યા કરે. બુદ્ધિની જરૂર જ નથી. કર્તાપદ છે ત્યાં સુધી બુદ્ધિની જરૂર છે. અહંકાર બિલકુલ આંધળો છે, એટલે એને બુદ્ધિની જરૂર છે અને અહંકાર એ બુદ્ધિની આંખે ચાલે છે !
એ કર્મ કરનારો અહંકાર ના હોય અને પછી બુદ્ધિ ખલાસ થઈ જાય, એટલે એ શુદ્ધ થઈ ગયો. પછી બધે યાદ જ રહ્યા કરે છે. એની મેળે જ લોકોને યાદ રહે. પણ ટ્રાસ્યુરન્ટ થવો જોઈએ. બુદ્ધિ હોય ત્યાં સુધી એ ટ્રાસ્યુરન્ટ ન થાય.
દાદાશ્રી : વ્યવસ્થિત જુદું છે.
પ્રશ્નકર્તા: સંજોગ તો પરિણામ છે ને ! અને આપે વ્યવસ્થિત એ પરિણામ કહ્યું, એટલે સંજોગ એ જ વ્યવસ્થિત કે શું ?
દાદાશ્રી : સંયોગ તો સીગરેટનો ય થાય. એટલે સંયોગો બધા થાય, તો તે એક જ સંયોગને સંયોગ કહેવાય. પણ આ તો વ્યવસ્થિત એટલે લિન્ક સાથે હોય, કમ્પલીટ લિન્ક !
થઈ વિદાય અહંકાર-મમતા તણી !
જેને કર્તાપણું છુટ્યું એનો અહંકાર ગયો એટલે મમતા પણ જોડે ગઈ. હવે આપણી પોતાની મમતા તો ગઈ, પણ આપણે કરાર કરેલા એટલે સામાની મમતા હજી છે. સામા જોડે જે કરાર કરેલા તે કરાર તો પૂરો કરવા પડશેને ? હવે એ જો છોડી દે તો વાંધો નહીં. પણ એવું કોઈ છોડી દે નહીંને ? હિસાબ ચૂકવ્યા વગર કોણ છોડી દે ?
હવે પાછલું જે અહંકારથી ઊભું થયેલું એ કાયમનો નિવેડો તો લાવવો જ પડે ને ! નિવેડો. એટલે ફાઈલોના નિકાલ કરવા પડે બધા અને એનું પરિણામ ભોગવવું જ પડેને. છૂટકો જ નહીં ને ! એ વ્યવસ્થિતના હિસાબે ભોગવવું જ પડે ઠેઠ સુધી. એટલે જ્યાં સુધી વ્યવસ્થિત ભોગવવાનું છે, ત્યાં સુધી અંતરાત્મા. ભોગવવાનું પૂરું થયું એટલે પૂત્મા. ફાઈલનો
પ્રશ્નકર્તા: સંજોગ જુદા જુદા પણ હોય, અને આ વ્યવસ્થિત લિન્ક હોય એમ !?
દાદાશ્રી : આ વ્યવસ્થિત જુદી વસ્તુ છે. આખી લિન્ક છે, ધારા છે એ, ધારા ! આમ તો સંયોગ જ છેને જગત. વ્યવસ્થિત એ શું કહેવા માંગે છે, કે અઠ્ઠાણું આવ્યા એટલે નવ્વાણું જ આવશે હવે અને પછી સો આવશે.
અને સંસારમાં શું થાય ? અઠ્ઠાવન આયા પછી સત્યાવીસ આવીને ઊભા રહે. એવા સંયોગો આવે.
પ્રશ્નકર્તા : હી બને. જુદા જુદા સંયોગો આવે.