________________
આપ્તવાણી-૧૧
૨૫ દાદાશ્રી : એ અજ્ઞાનદશામાં. અને આમાં આપણને નહીં. વ્યવસ્થિત એટલે બધી બાબતમાં એક્કેક્ટ સંયોગ. બીજું બધું એક્કેક્ટ આવે. બહુ કારણો ભેગાં થાય ત્યારે વ્યવસ્થિત કહેવાય.
એટલે વ્યવસ્થિતની સરખામણી કોઈ જગ્યાએ થાય એવી નથી. એટલે એનો અધર વર્ડ પૂછવો નહીં. આપણે સ્વતંત્ર જ રાખો.
પ્રશ્નકર્તા : આપ જ્યારે જ્ઞાનમાં જે આજ્ઞાઓ સમજાવો છો, તે વખતે આપ કહો છો ને કે તું હવે શુદ્ધાત્મા થઈ ગયો, તારું વ્યવસ્થિત શક્તિ સંભાળી લેશે.
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : એ વ્યવસ્થિત ક્રમમાં જ હોય છે. અને વ્યવસ્થામાં જ હોય છે. એ બુદ્ધિથી ના પહોંચી વળાય. વ્યવસ્થિત એટલે બધું ક્રમમાં પધ્ધતિસર, કોઈ ભૂલ ના કાઢે.
પ્રશ્નકર્તા : હા, એ વાત બરોબર છે. પણ કર્મ અમુક વખતે પાકે અને ઉદયમાં આવે છે. પણ અમુકનું અમુક વખતે પાકે, અમુકનું અમુક વખતે પાકે, એ જે વસ્તુ છે, એનું નિયમન કેવી રીતે થાય છે ? એ વ્યવસ્થિતથી જ થાય છે એ બરાબર છે, પણ એની પાછળ કંઈક રહસ્ય હશેને બધું, ઓટોમેટીક જ છે એ બધું ? કંઈક તો હશે ને ?
દાદાશ્રી : બધું વ્યવસ્થિત જ છે. દાદરો ચઢીયે તો કયું પગથિયું આવે ?
પ્રશ્નકર્તા : હા, એક પછી એક !
દાદાશ્રી : હવે નવમું કેમ મોડું આવે છે એમ કહીએ તો શું થાય ? એના જેવું છે. જે ચીકણું છે એ નવમું પગથિયું છે, વધારે ચીકણું. એથી ઓછું છે તે આઠમું છે, તે એથી ઓછું ચીકણું થતું જાય તો સાતમું છે. એ પ્રમાણે બધાં કર્મના ઉદય આવે.
પ્રશ્નકર્તા : એટલે કર્મ જેવા ચીકણાં હોય એ પ્રમાણે એનો ઉદય
દાદાશ્રી : એટલે હવે સત્તાણું પછી એકાણું આવશે કે કેટલા આવશે, એ તારે ચિંતા કરવાની જરૂર નહીં. એની પછી અઠ્ઠાણું જ આવીને ઊભા રહેશે. યુ ડોન્ટ વરી.
પ્રશ્નકર્તા : બરાબર છે. પણ એ વખતે આપ જે શબ્દપ્રયોગ કરો છો કે વ્યવસ્થિત શક્તિ તમારું સંભાળી લેશે.
દાદાશ્રી : એ તો સમજાવવા માટે કહું છું. અને બધાને એક જ શબ્દથી સમજાવા માંગું છું. એટલે બધા પોતપોતાની ભાષામાં સમજી જાય.
આવે.
અઠ્ઠાણું એ સંયોગ કહેવાય અને અઠ્ઠાણું પછી નવ્વાણું આવશે એ સંયોગની ખબર હોય નહીં. એટલે આપણે તે ઘડીએ મૂકી દેવાનું કે હવે વ્યવસ્થિતને તાબે. મૂળ સ્વભાવમાં આવી ગયું, વ્યવસ્થિત !
આત્મા આત્મસ્વભાવમાં આવ્યો અને પુદ્ગલ છે તે પુદ્ગલ સ્વભાવમાં આવ્યું !
વ્યવસ્થિત એટલે એ તારે એ બાજુ જોવા જેવું નથી. કારણ કે વ્યવસ્થિત એ ગોઠવેલું હોય ડિઝાઈન !
દાદાશ્રી : એ પાકે ત્યારે ઉદયમાં આવે ને. નાઈન્ટી એઈટ આવ્યા એટલે પછી નાઈન્ટી નાઈન આવવાનું. બીજું શું આવવાનું ? એ તો કાયદેસરનું છે બિલકુલ. તેથી જ કહીએ છીએ ‘વ્યવસ્થિત', એનાથી રૂપાળો કયો શબ્દ હોય ?!
મંડાયો એકડો પછી ચઢે મીંડાં...
પ્રશ્નકર્તા: આ કર્મ જે કર્યા હોય, પણ કેટલાંક નજીકનાં ઉદયમાં આવે, કેટલાંક પછી ઉદયમાં આવે. એમાં એ ક્રમ નથી રહેતો, એ ગમે ત્યારે ઉદયમાં આવે. એની વ્યવસ્થા કેવી રીતે જળવાય છે ? એ કેમ બને છે ?
પ્રશ્નકર્તા : એટલે આપ કહો છો કે વ્યવસ્થિતનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો, તે એ પ્રસંગ જ્યારે થાય તે વખતે આ, જે થયું છે. તે સરકમસ્ટેન્શિયલ એવિડન્સીસ બધા ભેગા થયા તેને લીધે જ આ થયું છે એમ સમજી લેવાનું ?