Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| अध्ययन-१: ss
અને પરાક્રમનો જ્ઞાતા અર્થાત્ જે માર્ગ ઉપર ચાલીને ઇષ્ટ સ્થાનમાં પહોંચી શકાય, તેવા માર્ગનો જ્ઞાતા છું.
હું આ શ્રેષ્ઠ કમળને ચૂંટીને બહાર લઈ આવીશ. આ પ્રમાણે નિશ્ચય કરીને તે પુરુષે પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો. જેમ-જેમ તે પુષ્કરિણીમાં આગળ વધતો ગયો તેમ-તેમ તે પુરુષ કિનારાથી દૂર થતો ગયો અને આગળ અધિકાધિક ઊંડુ પાણી તથા કીચડ આવતા તે પુરુષ શ્રેષ્ઠ કમળ સુધી પહોંચી શક્યો નહીં. તે પુરુષ આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના જ પુષ્કરિણીની મધ્યમાં ઊંડા કીચડમાં ફસાઈને દુઃખી થયો. આ પ્રથમ પુરુષનું વૃત્તાંત છે. | ३ अहावरे दोच्चे पुरिसज्जाए- अह पुरिसे दक्खिणाओ दिसाओ आगम्म तं पुक्खरणिं, तीसे पुक्खरिणीए तीरे ठिच्चा पासइ तं महं एगं पउमवरपोंडरीयं अणुपुव्वुट्ठियं जाव पडिरूवं, तं च एत्थ एगं पुरिसजायं पासइ पहीणे तीरं, अपत्ते पउमवरपोंडरीयं, णो हव्वाए णो पाराए, अंतरा पुक्खरणीए सेयसि विसण्णं ।
तए णं से पुरिसे तं पुरिसं एवं वयासी- अहो णं इमे पुरिसे अदेसकालण्णे अखेयण्णे अकुसले अपंडिए अवियत्ते अमेहावी बाले णो मग्गण्णे णो मग्गविऊ णो मग्गस्स गइ परक्कमण्णू । जंणं एस पुरिसे अहं देसकालण्णे अहं खेयण्णे कुसले जाव पउमवरपोंडरीयं उण्णिक्खिस्सामि, णो य खलु एयं पउमवरपोंडरीयं एवं उण्णिक्खेयव्वं जहा णं एस पुरिसे मण्णे ।
अहमंसि पुरिसे देसकालण्णे खेयण्णे कुसले पंडिए वियत्ते मेहावी अबाले मग्गण्णे मग्गविऊ मग्गस्स गइ परक्कमण्णू, अहमेयं पउमवरपोंडरीयं उण्णिक्खिस्सामि त्ति वच्चा से पुरिसे अभिक्कमे तं पुक्खरणिं । जावं जावं च णं अभिक्कमेइ तावं तावं च णं महंते उदए महंते सेए, पहीणे तीरं, अप्पत्ते पउमवरपोंडरीयं, जो हव्वाए णो पाराए, अंतरा पुक्खरणीए सेयंसि विसण्णे । दोच्चे पुरिसजाए । शार्थ :- मण्णे = मान्यु, उण्णिक्खेयव्वं = 6मेडी शय, यूंटी आय. ભાવાર્થ :- હવે બીજા પુરુષનું વૃત્તાંત આ પ્રમાણે છે– પહેલો પુરુષ કીચડમાં ફસાઈ ગયો, ત્યાર પછી બીજા પુરુષે, દક્ષિણ દિશામાંથી તે પુષ્કરિણી પાસે આવીને તેના દક્ષિણ કિનારા પર ઊભા રહીને તે શ્રેષ્ઠ, ક્રમશઃ ઉપર ઊઠેલા યાવતું મનોહર પુંડરીક કમળને જોયું અને કિનારાથી દૂર તથા શ્રેષ્ઠ કમળ સુધી ન પહોંચી શકેલા, આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના પુષ્કરિણીની મધ્યમાં કીચડમાં ફસાયેલા તે પુરુષને પણ જોયો.
ત્યાર પછી દક્ષિણ દિશાથી આવેલા બીજા પુરુષે વિચાર્યું કે– અહો ! આ પુરુષ દેશકાલનો જ્ઞાતા નથી, ક્ષેત્રજ્ઞ કે ખેદજ્ઞ નથી, કુશલ નથી, પંડિત નથી, પરિપકવ બુદ્ધિવાળો કે મેધાવી નથી, બાલભાવથી મુક્ત નથી, સપુરુષોના માર્ગમાં સ્થિત નથી, માર્ગવેત્તા નથી, માર્ગની ગતિ-વિધિ કે પરાક્રમને જાણતો નથી, આ પુરુષને એમ હતું કે હું દેશકાલનો જ્ઞાતા, ખેદજ્ઞ, કુશલ છું યાવતું શ્રેષ્ઠ શ્વેત કમળને હું ચૂંટી લઈશ. જે રીતે કાદવમાં ફસાયેલો આ પુરુષ સમજે છે, તે રીતે આ શ્રેષ્ઠ કમળને ચૂંટીને લાવી શકાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org