Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
હે બ્રાહ્મણ ! આપે અમને આ તજીવ તત્સરીવાદ રૂપ ઉત્તમ ધર્મનું નિરૂપણ કરી સમજાવ્યું તે બહુ સારું કર્યું. હે આયુષ્યમાન ! અમે આપનો સત્કાર કરીએ છીએ; અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અથવા વસ્ત્ર, પાત્ર, કંબલ અથવા પાદ-પ્રોપ્શન વગેરેથી સન્માન કરીએ છીએ. આમ કહીને કેટલા ય રાજા વગેરે તેમની પૂજામાં પ્રવૃત્ત થાય છે અથવા તે તજીવ તસ્કૃરીરવાદી પોતાની પૂજા-પ્રતિષ્ઠામાં પ્રવૃત્ત થઈ જાય છે અને તે રાજા વગેરેને પોતાની પૂજા-પ્રતિષ્ઠા માટે પોતાના સિદ્ધાંતમાં દઢ કરે છે. | २३ पुवामेव तेसिं णायं भवइ- समणा भविस्सामो अणगारा अकिंचणा अपुत्ता अपस परदत्तभोई भिक्खणो, पावं कम्मं णो करिस्सामो समद्वाए । ते अप्पणा अप्पडिविरया भवति । सयमाइयंति, अण्णे वि आइयाति, अण्णं पि आइयंत समणुजाणंति । एवामेव ते इत्थिकामभोगेहिं मुच्छिया गिद्धा गढिया अज्झोववण्णा लुद्धा रागदोसवसट्टा । ते णो अप्पाणं समुच्छेदेति, णो परं समुच्छेदंति, णो अण्णाई पाणाई भूयाई जीवाई सत्ताई समुच्छेदेति । पहीणा पुव्वसंजोगं, आरियं मग्गं असंपत्ता, इति ते णो हव्वाए णो पाराए, अंतरा कामभोगेसु विसण्णा । इति पढमे पुरिसज्जाए तज्जीवतस्सरीरिए आहिए । શબ્દાર્થ -ળવં = પ્રતિજ્ઞા સર્વ = સ્વયં(પોતે) આતિ = પરિગ્રહ સ્વીકારે છે રાવોલવસE = રાગદ્વેષને વશીભૂત સમુછેલૈંતિ = મુક્ત કરી શકે છે મરિયં મા = આર્યમાર્ગને સંપત્તા = પ્રાપ્ત ન થતાં વિસા = નિમગ્ન, આસક્ત તનવતસરશિપ = તજીવ તન્શરીરવાદી, જે જીવ તે જ શરીર અને શરીર તે જ જીવ, એમ માનનારા. ભાવાર્થ:- તજીવ તન્શરીરવાદીઓ પહેલાં આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે કે અમે શ્રમણ થશું, ઘરબારનો ત્યાગ કરી અણગાર થશું, સર્વ પરિગ્રહનો, પુત્ર-પરિવારનો, પશુ આદિનો ત્યાગ કરશું, બીજા દ્વારા અપાયેલી ભિક્ષાનો સ્વીકાર કરનાર ભિક્ષુ બનીને, પાપકર્મનો ત્યાગ કરશું, આ પ્રકારની પ્રતિજ્ઞા કરીને શ્રમણ ધર્મમાં ઉદ્યમવંત થાય છે, પરંતુ દીક્ષા ગ્રહણ કરીને પણ તે સ્વયં પાપકર્મોથી નિવૃત્ત થતા નથી. તે સ્વયં પરિગ્રહને ગ્રહણ કરે છે, બીજાને ગ્રહણ કરાવે છે અને પરિગ્રહ ગ્રહણ કરનારાની અનુમોદના કરે છે; તેઓ સ્ત્રી તથા અન્ય કામભોગોમાં આસક્ત, વૃદ્ધ, તેમાં અત્યંત ઇચ્છા અને લાલસાવાળા, લોભી, રાગદ્વેષને વશીભૂત અને ચિંતાતુર રહે છે. તેઓ પોતાના આત્માને સંસારના કર્મબંધનથી મુક્ત કરી શકતા નથી કે બીજાને મુક્ત કરાવી શકતા નથી, તેમજ બીજા પ્રાણ, ભૂત, જીવ કે સત્ત્વોને મુક્ત કરી શકતા નથી. તેઓ સ્ત્રી-પુરુષ, ધન, ધાન્ય વગેરે પૂર્વસંયોગથી ભ્રષ્ટ થયેલા છે અને સમ્યગ્દર્શનાદિથી યુક્ત મોક્ષમાર્ગને પામી શકતા નથી. આ રીતે તેઓ આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના વચ્ચે જ કામભોગોમાં આસક્ત થઈ જાય છે. આ તજીવ તન્શરીરવાદી મતવાળા પ્રથમ પુરુષનું કથન થયું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સજીવ તન્શરીરવાદીઓની માન્યતાઓનું નિરૂપણ છે. તજજીવ તન્શરીરવાદી- શરીર તે જ જીવ છે અને જીવ છે તે શરીર છે. શરીરની ઉત્પત્તિ સાથે જીવની ઉત્પત્તિ અને શરીરના નારા સાથે જીવનો નાશ થાય છે. આ પ્રકારની માન્યતા–વિચારધારાવાળા તજીવ તન્શરીરવાદી કહેવાય છે. તેઓ પોતાના મતની પુષ્ટિ માટે આ રીતે કથન કરે છે– (૧) શરીરથી ભિન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org