Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૩: આહાર પરિણા
[ ૧૭ ]
આ રીતે વિષ્ટા અને મૂત્ર આદિમાં ઉત્પન્ન થતાં વિકસેન્દ્રિય જીવો અને ગાય,ભેંસ આદિના શરીરમાં ઉત્પન્ન થતાં ચર્મકીટ વગેરે જીવો પણ પોત-પોતાના કર્માનુસાર જન્મ ધારણ કરે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં વિશ્લેન્દ્રિયોના વિવિધ પ્રકારના ઉત્પત્તિ સ્થાનો તથા તેના આહારનું નિરૂપણ છે.
વિકલેન્દ્રિય જીવો ત્રસ કે સ્થાવર જીવોના આશ્રયે ઉત્પન્ન થાય છે, જેમ કે– મનુષ્યો અને તિર્યચ પંચેન્દ્રિયોના સચેત શરીરમાં અર્થાતુ પસીના આદિમાં જા, લીખ આદિ ઉત્પન્ન થાય છે, મનુષ્યના અને વિશ્લેન્દ્રિય પ્રાણીઓના અચેત કલેવરમાં કૃમિ આદિ ઉત્પન્ન થાય છે. સચેત અગ્નિકાય તથા વાયુકાયથી પણ વિકસેન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. પૃથ્વીમાંથી અળસિયા આદિ ઉત્પન્ન થાય છે. વર્ષાઋતુમાં ગરમીના કારણે જમીનમાંથી કંથવા, માખી, મચ્છર આદિ જીવોની ઉત્પત્તિ થાય છે. જળથી પણ અનેક વિકલેન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. વનસ્પતિકાયથી ભમરા આદિ; પંચેન્દ્રિય પ્રાણીઓના મળમુત્ર, પરુ આદિમાં પણ કીડા આદિ; ઉત્પન્ન થાય છે. સચેત અચેત વનસ્પતિઓમાં પણ ધુણ-કીડા આદિ ઉત્પન્ન થાય છે. તે જીવો જ્યાં-જ્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં ત્યાં આશ્રયદાયી સચેત કે અચેત પ્રાણીઓનાં શરીરોમાંથી મળ, મૂત્ર, પસીના, રક્ત, જળ, પરુ આદિનો સર્વ પ્રથમ આહાર કરે છે. આ સર્વ જીવો સમૂર્છાિમ અને અસશી કહેવાય છે. અકાચની ઉત્પત્તિ અને આહારાદિ - २२ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता णाणाविहजोणिया जाव कम्मणियाणेणं तत्थवक्कमा णाणाविहाणं तस-थावराणं पाणाणं सरीरेसु सचित्तेसु वा अचित्तेसु वा उदगत्ताए विउम॒ति । तं सरीरगं वायसंसिद्धं वा वायसंगहियं वा वायपरिगयं उड्डे वाएसु उड्डभागी भवइ, अहे वाएसु अहेभागी भवइ, तिरियं वाएसु तिरियभागी भवइ, तं जहा- ओसा हिमए महिया करए हरतणुए सुद्धोदए । ते जीवा तेसिं णाणाविहाणं तस-थावराणं पाणाणं सिणेहमाहारेति । ते जीवा आहारैति पुढविसरीरं जाव आहारेति । अवरे वि य णं तेसिं तस-थावर जोणियाणं उस्साणं जाव सुद्धोदगाणं सरीरा णाणावण्णा जाव मक्खायं । શબ્દાર્થ:- વાયસિદ્ધ = વાયુથી યુક્ત
વાર્થ = વાયુ દ્વારા સંગૃહિત વાયાયં = વાયુમાં સ્થિત, વાયુ દ્વારા ધારણ કરાયેલો રૂઠ્ઠું વાપણુ = ઊર્ધ્વવાયુ થવા પર 3ઠુમાન = ઉપર જનારો ગોસા = ઓસ, ઝાકળ મરિયા = મહિકાદરતપુર = હરતનુ—ઘાસ ઉપર જામી જતાં જલબિંદુ સુદ્ધોવા= શુદ્ધ જળ. ભાવાર્થ :- શ્રી તીર્થકરોએ કહ્યું છે કે આ લોકમાં કેટલાક જીવો વિવિધ પ્રકારની યોનિઓમાં યથાવત પોત-પોતાના કર્મના ઉદયથી ત્યાં આવીને વિવિધ પ્રકારના ત્ર-સ્થાવર જીવોના સચેત કે અચેત શરીરમાં અખાય રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવોના શરીરો વાયુથી યુક્ત, વાયુથી ગ્રહણ કરાયેલા, વાયુથી ધારણ કરાયેલા હોય છે. તે જીવો વાયુ ઉપર જતાં ઉપર જાય છે; વાયુ નીચે જાય ત્યારે નીચે જાય છે; વાયુ તિરછો જાય ત્યારે તિરછા જાય છે. તે વાયુયોનિક અપ્લાયિક જીવો આ પ્રમાણે છે- ઝાકળ, હીમ, ધુમ્મસ, કરા, હરતનુ, શુદ્ધોદક વગેરે. તે જીવો અનેક પ્રકારના ત્રણ-સ્થાવર જીવોની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે ઉપરાંત પૃથ્વી આદિના શરીરોનો પણ આહાર કરીને પોતાના શરીર રૂપે પરિણત કરે છે. તે ઓસ યાવત શુદ્ધોદક વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org