Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૭: નાલંદીય _
[ ૨૦૭ ]
ત્યાગ કરી ગૌતમ સ્વામીને સમર્પિત ભાવે નિવેદન કર્યું કે હું પ્રભુ પાર્શ્વનાથના શાસનથી હવે પ્રભુ મહાવીરના શાસનમાં ભળી જવા ઇચ્છું છું એટલે મને આપ શિષ્ય રૂપે સ્વીકાર કરવા કૃપા કરો. ત્યારે ગૌતમ સ્વામી પોતાના અભિમાનનું પોષણ ન કરતાં પ્રભુ મહાવીર પાસે લઈ જઈને તેઓનું શિષ્યત્વ ગ્રહણ કરાવે છે. ઉદક પેઢાલ પુત્રે પ્રભુ મહાવીર સ્વામીને વિનયપૂર્વક વંદન-નમસ્કાર કરીને પ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રતરૂપ ધર્મનો સ્વીકાર કર્યો અને પ્રભુની આજ્ઞામાં વિચરણ કરવા લાગ્યા.
ઉપરોક્ત પ્રસંગથી સ્પષ્ટ થાય છે કે કોઈ પણ વિષયમાં શંકા થાય ત્યારે સંતો પાસે જઈને, તેનું સમાધાન કરીને, સત્યનો સ્વીકાર કરવો તેમજ ધર્મ શ્રદ્ધાને દઢ અને દઢતમ કરવી, તે જ સાધકોનું કર્તવ્ય છે, તે જ સાધનાનો વિકાસ છે.
સાતમું અધ્યયન સંપૂર્ણ છે બીજો શ્રુતસ્કંધ સંપૂર્ણ . સૂયગડાંગ સૂત્ર સંપૂર્ણ /
A
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org