Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૭ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
५२
દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, પર્યાયની અપેક્ષાએ અનિત્ય હોવાથી તેમાં ઉત્પાદુ અને વ્યય થયા જ કરે છે, તેથી જ તેમાં જન્મ-મરણ, સુખ-દુઃખ, બાલ-યુવાનાદિ, બ્રાહ્મણ-ક્ષત્રિયાદિ, તિર્યંચોમાં પશુ, પક્ષી, કીડા-મંકોડા આદિ પરિસ્થિતિઓ પરિવર્તન થઈ રહી છે.
તે જ રીતે આપની દષ્ટિએ સ્વીકૃત સંસારનું સ્વરૂપ પણ યથોચિત નથી. સમગ્ર રીતે જોતાં કેવળી પ્રરૂપિત આહત સિદ્ધાંતો સૈકાલિક સત્ય છે. કેવળી ભગવાન સર્વજ્ઞ હોવાથી લોકાલોકના ભાવોને યથાર્થ રૂપે જાણે છે અને તેઓ વીતરાગી હોવાથી યથાર્થ રૂપે પ્રરૂપણા કરે છે, તેથી જે કેવળી પ્રરૂપિત ધર્મનો સ્વીકાર કરીને, તેનું યથાતથ્ય આરાધન કરે છે, તે સાધક સ્વયં સંસાર સાગરને તરી જાય છે અને અન્ય જીવોને પણ તરવાનો માર્ગ બતાવે છે. ' છદ્મસ્થોનાસિદ્ધાંતો સૈકાલિક સત્ય હોતા નથી. તેમનું જ્ઞાન અલ્પ હોવાથી અને સ્વયં પણ રાગ-દ્વેષ યુક્ત હોવાથી તેમની પ્રરૂપણા યથાર્થ હોતી નથી. તે ધર્મનો સ્વીકાર કરનાર વ્યક્તિ સ્વયં સંસાર સાગરમાં ડૂબી જાય અને અન્ય જીવોને પણ ડૂબાડે છે.
કેવળી પ્રરૂપિત ધર્મ અને છદ્મસ્થ કથિત ધર્મમાં આસમાન જમીનનો તફાવત છે. તેમાં પરસ્પર તુલના કરવી અથવા ઐક્યતા સ્થાપિત કરવી તે પોતાનું અજ્ઞાન છે. આદ્રકમુનિ અને હસ્તિતાપસો:
संवच्छरेणावि य एगमेगं, बाणेण मारेउ महागयं तु ।
___ सेसाण जीवाण दयट्ठयाए, वासं वयं वित्तिं पकप्पयामो ॥ શબ્દાર્થ :- સંવછરેખ = વર્ષભરમાં વાળ = બાણથી મer = મોટા હાથીને માત્ર = મારીને રિસાળ = શેષ નવાણ = જીવોની રથયાણ = દયાને માટે વાસં = એક વર્ષ સુધી વિત્તિ = આજીવિકા પખવાનો = કરીએ છીએ. ભાવાર્થ:- હસ્તિતાપસો આÁકમુનિને કહે છે કે અમે લોકો અમારી તાપસ પરંપરાનુસાર શેષ જીવોની દયા માટે વર્ષમાં એક મોટા હાથીને બાણથી મારીને એક વર્ષ સુધી તેના માંસથી આજીવિકા કરીએ છીએ.
संवच्छरेणावि य एगमेगं, पाणं हणंता अणियत्तदोसा ।
सेसाण जीवाण वहेण लग्गा, सिया य थोव गिहिणो वि तम्हा ॥ શબ્દાર્થ – ગિયરવોલ = દોષથી નિવૃત્ત નથી વહેણ = જીવોની ઘાતથી સTT = સંલગ્ન. ભાવાર્થ :- આદ્રકમુનિ યુક્તિપૂર્વક પ્રતિવાદ કરતા હસ્તિતાપસીને કહે છે કે જે પુરુષ વર્ષમાં માત્ર એક પંચેન્દ્રિય પ્રાણીને મારે છે, તેઓ પણ દોષોથી નિવૃત્ત થતા નથી, કારણ કે તે માંસને પકાવવામાં વઘારવામાં અગ્નિ, પાણી, વનસ્પતિ આદિ અન્ય જીવોની હિંસા થાય અથવા અલ્પ જીવોને મારનારા મર્યાદાવાન ગૃહસ્થો પણ દોષરહિત માનવામાં આવશે. इन संवच्छरेणावि य एगमेगं, पाणं हणते समणव्वएसु ।
आयाहिए से पुरिसे अणज्जे, ण तारिसा केवलिणो भवति ॥
५४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org