Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
અનેક પ્રકારના કમળો કહ્યા છે. તે અનુક્રમથી જલ અને કીચડથી ઉપર ઊઠેલા, અત્યંત દીપ્તિવાન, શ્રેષ્ઠ વર્ણવાળા, સુગંધી, રસથી સભર, કોમળ સ્પર્શવાળા, ચિત્તને પ્રસન્ન કરનારા, દર્શનીય, પ્રશસ્ત રૂપસંપન્ન તથા મનોહર છે.
તે પુષ્કરિણીની બરાબર મધ્યમાં એક બહુ મોટું તથા બીજા કમળથી શ્રેષ્ઠ શ્વેત કમળ કહ્યું છે. તે કમળ ક્રમશઃ ઉપર ઊઠેલું, પાણી અને કીચડથી નિર્લેપ અથવા સર્વ કમળોથી ઊંચુ, અત્યંત દીપ્તિવાન, રંગ-રૂપમાં અતિ સુંદર, સુગંધિત, રસથી ભરપૂર, કોમળ સ્પર્શવાળું, ચિત્તને પ્રસન્ન કરનારું, દર્શનીય, અદ્વિતીય રૂપસંપન્ન, મનોહર–આકર્ષક છે.
આ રીતે તે પુષ્કરિણીમાં ઠેકઠેકાણે ઘણા ઉત્તમોત્તમ સ્વેત કમળો કહ્યા છે. તે ક્રમશઃ ઉપર ઊઠેલા થાવત્ અદ્વિતીય રૂપસંપન્ન તથા મનોહર છે.
તે પુષ્કરિણીની બરાબર મધ્યમાં એક મહાન ઉત્તમ પુંડરીક શ્વેતકમળ કહ્યું છે, તે ક્રમશઃ પૂર્વોક્ત સર્વ ગુણોથી સંપન્ન અને બહુ મનોહર છે. શ્રેષ્ઠ પુંડરીકની પ્રાપ્તિમાં નિષ્ફળ-સફળ પાંચ પુરુષો:
२ अह पुरिसे पुरत्थिमाओ दिसाओ आगम्म तं पुक्खरणिं, तीसे पुक्खरणीए तीरे ठिच्चा पासइ तं महं एगं पउमवरपोंडरीयं अणुपुव्वुट्ठियं ऊसियं रुइलं वण्णमंतं जाव पडिरूवं । ___ तए णं से पुरिसे एवं वयासी- अहमंसि पुरिसे देस कालण्णे खेयण्णे कुसले पंडिए वियत्ते मेहावी अबाले मग्गण्णे मग्गविऊ मग्गस्स गइपरक्कमण्णू, अहमेयं पउमवरपोंडरीय उण्णिक्खिस्सामि त्ति वच्चा से पुरिसे अभिक्कमे तं पुक्खरणिं, जावं जावं च णं अभिक्कमेइ तावं तावं च णं महंते उदए, महंते सेए, पहीणे तीरं, अप्पत्ते पउमवरपोंडरीयं, णो हव्वाए णो पाराए, अंतरा पुक्खरणीए सेयंसि विसण्णे । पढमे पुरिसज्जाए। શબ્દાર્થ - આરામ્ય = આવીને પુત્યિના = પૂર્વ વિસા = દિશામાંથી, દિશા તરફથી તીરે = કિનારા પર વિશ્વ = ઊભા રહીને વિયરે = વ્યક્ત, પરિપકવ બુદ્ધિવાળા મUM = માર્ગસ્થ, માર્ગમાં રહેલા મુવિઝ = માર્ગના જાણકાર કરવામાબૂ = ગતિપરાક્રમજ્ઞ, ઇષ્ટ સ્થાનને પ્રાપ્ત કરાવનાર માર્ગના જ્ઞાતા ક્રિામિ = ઉખેડીશ, કાઢીશ અમે= પ્રવેશ કરે છે પદીને = છૂટી ગયો
પત્તે = અપ્રાપ્ત, ન મળ્યો ઢવ્વાણ = આ પાર(આ કિનારે) પારાઈ = તે પાર (તે કિનારે) સેલિ = કીચડમાં ખિસ = ફસાઈ ગયો. ભાવાર્થ - કોઈ પુરુષ, પૂર્વ દિશામાંથી તે પુષ્કરિણી પાસે આવીને, તેના કિનારે ઊભા રહીને, તે મહાન, ઉત્તમ, ક્રમશઃ ઉપર ઊઠેલા યાવતું મનોહર એક પુંડરીક કમળને જોયું, તે શ્વેત કમળને જોઈને તે પુરુષે વિચાર્યું કે, હું દેશ-કાલનો જ્ઞાતા છું, ક્ષેત્રજ્ઞ અથવા ખેદજ્ઞ-માર્ગના પરિશ્રમનો જ્ઞાતા, હિતની પ્રાપ્તિ અને અહિતનો ત્યાગ કરવામાં કુશળ, વિવેકવાન, પરિપકવ બુદ્ધિવાળો, બુદ્ધિમાન, બાલ્યાવસ્થાથી નિવૃત્ત થયેલો અને યુવાવસ્થાને પ્રાપ્ત થયેલો, સજ્જનો દ્વારા આચરિત માર્ગ પર સ્થિત, માર્ગનો જ્ઞાતા, માર્ગની ગતિ-વિધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org