Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 31
________________ (30) ******************************************** સર્વ વસ્તુઓનું તારતમ્ય ક્યાંક તો વિરામ પામે જ છે પણ આશ્ચર્યની વાત છે કે – સુંદર એવું નિર્મમત્વ તો કેવળજ્ઞાનથી પણ ઉપર રહેલું છે. કિવલ્ય વખતે પણ કાયમ રહે છે, માટે તે જ શ્રેષ્ઠ છે.) ૧૫ ममत्वविषमूर्छाल-मान्तरं तत्त्वमुच्चकैः । तद्वैराग्यसुधासेका-च्चेतयन्ते हि योगिनः ॥१६॥ મમત્વરૂપી વિષથી અત્યંત મૂચ્છિત બની ગયેલા આંતર (આત્મ) તત્ત્વને યોગીઓ વૈરાગ્યરૂપી સુધાના સિંચનથી સચેતન-જીવંત કરે છે. ૧૬ विरागो विषयेष्वेषु - परशुर्भवकानने । સમૂનવાષ-ષિત-ગમત- વ UT: ૨૭ આ વિષયોમાં વિરાગ તે સંસારરૂપી વનનો ઉચ્છેદ કરનારો એવો ઉલ્બણ (કઠોર) તીક્ષ્ણ કુહાડો છે, કે જે મમતારૂપી વલ્લિ (લતા)ને મૂળ સાથે ઉખાડી નાંખે છે. ૧૭ शरीरकेऽपि दुःखाय मोहमाधाय तत्परा । क्लिश्यन्ते जन्तवो हन्त ! दुस्तरा भववासना ॥१८॥ . શરીરમાં પણ મોહ રાખીને દુઃખ માટે તત્પર થયેલા પ્રાણીઓ કુલેશ પામે છે. ખરેખર ! (ખેદની વાત છે કે), સંસારની વાસના દુસ્તર (દુઃખે કરીને પાર પમાય તેવી) છે. ૧૮ अहो ! मोहस्य माहात्म्यं, विद्वत्स्वपि विजृम्भते । अहङ्कारभवात्तेषां, यदन्धङ्करणं श्रुतम् ॥१९।। અહો ! મોહનું માહાસ્ય જ્ઞાનીઓમાં પણ સ્કુરાયમાન થાય છે - વિસ્તાર પામે છે. અહંકારની ઉત્પત્તિથી તેમને જ્ઞાન (પણ) અંધ કરનારું બને છે. ૧૯ श्रुतस्य व्यपदेशेन, विवत्तस्तमसामसौ. । अन्तः सन्तमसः स्फाति-र्यस्मिन्नुदयमियुषि ॥२०॥ જે (જ્ઞાન) ઉદય પામતાં આત્મામાં અંધકારનો વિસ્તાર થાય, તે વાસ્તવિક જ્ઞાન નથી પણ જ્ઞાનના બહાને અંધકારનો સમૂહ છે. ર૦

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98