________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
નહિ. નિમિત્ત હોય ખરું પણ નિમિત્ત કાંઈ જ કરે નહિ અહીં ઉપરમાં પુદગલનું દષ્ટાંત લીધું, તેમ હવે જીવનું દૃષ્ટાંત આપી સમજાવે છે. કોઈ જીવ કેવળજ્ઞાન પામવાનો હોય અને શરીરમાં વર્ષભનારાચસંહનન ન હોય તો કેવળજ્ઞાન અટકી જાય એવી માન્યતા તદ્દન અસત્ય પરાધીન દષ્ટિની છે. જીવ કેવળજ્ઞાન પામવા તૈયાર થયો અને શરીરમાં વજર્ષભનારાચસંહનન ન હોય એમ કદાપિ બને જ નહિ. જ્યાં ઉપાદાન પોતે તૈયાર થયું ત્યાં નિમિત્ત સ્વયં હોય જ. જે સમયે ઉપાદાન કાર્યરૂપ પરિણમે તે જ સમયે બીજી ચીજ નિમિત્તરૂપ હાજર હોય, નિમિત્ત પાછળથી આવે એમ બને નહિ. જે વખતે ઉપાદાનનું કામ તે જ વખતે નિમિત્તની હાજરી. આમ હોવા છતાં ઉપાદાનના કાર્યમાં નિમિત્ત કાંઈ જ મદદ, અસર કે ફેરફાર કરે નહિ. નિમિત્ત ન હોય એમ ન બને અને નિમિત્તથી કાર્ય થાય એમ પણ ન બને. ચેતન કે જડ દ્રવ્યમાં તેની પોતાની જે ક્રમબદ્ધ અવસ્થા જ્યારે થવાની હોય છે ત્યારે અનુકૂળ નિમિત્ત હોય છે. આવો જે સ્વાધીન દષ્ટિનો વિષય તે સમ્યગ્દષ્ટિ જ જાણે છે, મિથ્યા દષ્ટિઓને વસ્તુની સ્વતંત્રતાની પ્રતીત નથી એટલે તેની દષ્ટિ નિમિત્ત ઉપર જાય છે.
અજ્ઞાનીને વસ્તુસ્વરૂપનું સાચું જ્ઞાન નથી એટલે તે વસ્તુના ક્રમબદ્ધ પર્યાયમાં શંકા કરે છે કે આ આમ કેમ બન્યું? તેને સર્વજ્ઞના જ્ઞાનની અને વસ્તુની સ્વતંત્રતાની પ્રતીત નથી. જ્ઞાનીને વસ્તુસ્વરૂપમાં શંકા પડતી નથી. તે જાણે છે કે જે કાળે જે વસ્તુનો જે પર્યાય થાય છે તે તેની કમબદ્ધ વ્યવસ્થા છે, હું માત્ર જાણનાર છે. આમ, જ્ઞાનીને પોતાના જાણનાર સ્વભાવનું ભાન છે તેથી સર્વજ્ઞ ભગવાને જાણેલા વસ્તુસ્વરૂપનું ચિંતવન કરીને તે પોતાના જ્ઞાનની ભાવના વધારે છે કે જે કાળે જેમ બને તેમ હું તેનો જ્ઞાયક જ છું. મારા જ્ઞાયકસ્વરૂપની ભાવના કરતાં કરતાં મારું કવળજ્ઞાન પ્રગટવાનું છે.
આ ભાવના કેવળી ભગવાન વિચારતા નથી જેને પરંતુ હજી અલ્પ રાગ-દ્વષ પણ થાય છે એવા ચોથા, પાંચમા, છઠ્ઠી ગુણસ્થાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com