________________
૯૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
અજ્ઞાની કરે છે. ‘ વ્યવહાર ! વ્યવહાર ! અને જ્ઞાની કરે છે નિશ્ચયના આશ્રયે વ્યવહારનો નિષેધ ! નિષેધ !'
*
“વળી, શ્રી પ્રવચનસારજીમાં કહ્યું છે કે, જેને આગમ જ્ઞાન એવું થયું છે કે જે વડે સર્વ પદાર્થાને હસ્તામલકવત જાણે છે તથા એમ પણ જાણે છે કે આનો જાણવાવાળો હું છું' પરંતુ ‘હું જ્ઞાન સ્વરૂપ છું' એવો પોતાને પરદ્રવ્યથી ભિન્ન કેવળ ચૈતન્ય દ્રવ્ય અનુભવતો નથી ” (મો. પ્ર. ૨૪૧ પાનું) એટલે કે સ્વ-૫૨ને જાણવા છતાં પોતાના નિશ્ચય સ્વભાવ તરફ ઢળતો નથી. પરંતુ વ્યવહારની પકડમાં અટકે છે. માટે જ્ઞાનમાં ખ્યાલ હોવા છતાં તેને તે કાર્યકારી નથી. કેમકે તે નિશ્ચયનો આશ્રય લેતો નથી.
૬.
જ્ઞાનની સ્વાધીનતા ને અંશમાં પૂર્ણની પ્રત્યક્ષતા
મહાન ૫૨માગમ શ્રી જયધવલાનાં અદ્ભૂત ન્યાયો
૫૨ ૫૨મ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીનું પ્રવચન
શ્રુતપંચમી ૨૪૭૧: ૧૪-૬-૪૫, ગુરુવાર
(આજે શ્રુતપૂજનનો મહાન દિવસ છે. ૨૦૦૦ વર્ષ પહેલાં સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મહાન સંતમુનિઓ-પુષ્પદંત અને ભૂતબલિ આચાર્યોએ, જ્ઞાન પ્રભાવનાનો વિકલ્પ ઊઠતાં મહાન પરમાગમ શાસ્ત્રો (પટખંડાગમ ) રચીને અંકલેશ્વરમાં ઉત્સાહપૂર્વક ઉત્સવથી તેની શ્રૃતપૂજના કરી હતી. તે શ્રુતપૂજનનો માંગલિક દિવસ આજે (જેઠ સેદ ૫ ના રોજ ) છે. અહો ! આ જયધવલામાં કેવળજ્ઞાનનાં રહસ્ય ભર્યાં છે. તેની મુખ્ય બે વિશેષતા છે તેની સ્પષ્ટતા જાહેર થાય છે. (૧) પોતાના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com