Book Title: Vastu Vigyana sara
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Sangh

View full book text
Previous | Next

Page 102
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનની સ્વાધીનતા ને અંશમાં પૂર્ણની પ્રત્યક્ષતા ૯૫ જ્ઞાનનું વિશેષ કહો કે કાયમના જ્ઞાન સ્વભાવનું પરિણમન કહો કે જ્ઞાનની વર્તમાન દશા (હાલત પર્યાય) કહો તે એક જ છે. આત્માનો સ્વભાવ જ્ઞાન છે, જ્ઞાન એકલું જાણવાનું જ કાર્ય કરે છે. શબ્દને કે રૂપને ગમે તેને જાણવામાં જ્ઞાન એક જ છે, જ્ઞાનમાં ફેર પડી જતો નથી. આત્માનો જ્ઞાન સ્વભાવ પોતાથી છે, કોઈના નિમિત્તથી તે નથી. આત્માનો ત્રિકાળી જ્ઞાન સ્વભાવ છે તે જ્ઞાન પોતાથી જ વિશેષરૂપ કાર્ય કરે છે. આત્મા ઇન્દ્રિયથી જાણતો જ નથી, પોતાના જ્ઞાનની વિશેષ અવસ્થાથી જ જાણે છે. સામાન્ય જ્ઞાન પોતે પરિણમીને વિશેષરૂપ થાય છે તે વિશેષજ્ઞાન જાણવાનું કાર્ય કરે છે. જ્ઞાન પરના અવલંબનથી જાણે એમ માનવું તે અધર્મ છે. જ્ઞાન સ્વાવલંબનથી જાણે એવી શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા તે ધર્મ છે. અહીં, પરાવલંબન રહિત જ્ઞાનની સ્વાધીનતા બતાવી છે. આ જયધવલા શાસ્ત્રની ખાસ વિશેષતા છે. બીજી અનેક વાતો છે તેમાં આ એક વિશેષ છે. મારા જ્ઞાનનું પરિણામરૂપ વર્તન, તે વર્તનરૂપ વિશેષ વ્યાપાર (ઉપયોગ) મારાથી થાય છે. તેને કોઈ પરના નિમિત્તની કે પરદ્રવ્યની જરૂર નથી. એટલે કે જ્ઞાન સ્વાધીનતાથી કદી ખસીને પરાવલંબનમાં જતું નથી તેથી તે જ્ઞાન પોતે સમાધાન અને સુખ સ્વરૂપ છે. સ્વાધીન જ્ઞાન સ્વભાવે જ નિગોદથી સિદ્ધ સુધી બધા જીવોને જ્ઞાન થાય છે; પણ જેમ થઈ રહ્યું છે તેમ અજ્ઞાની નથી માનતો, તેથી જ તેની માન્યતામાં વિરોધ આવે છે. સર્વે જીવોનો સામાન્ય જ્ઞાન સ્વભાવ છે, તે જ્ઞાનનું વિશેષ કાર્ય પોતાના સામાન્ય સ્વભાવના અવલંબને જ થાય છે. એટલે રાગ કે પર નિમિત્તના અવલંબન વગર જ જ્ઞાન કાર્ય કરે છે તેથી જ્ઞાન રાગ કે સંયોગ રહિત છે. આજે શ્રુતપૂજનનો મહાન દિવસ છે. ૨૦૦૦ વર્ષ પહેલાં સાતમાછઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મહાન સંતમુનિઓ પુષ્પદંત અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114