Book Title: Vastu Vigyana sara
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Sangh

View full book text
Previous | Next

Page 100
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનની સ્વાધીનતા ને અંશમાં પૂર્ણની પ્રત્યક્ષતા — — — — — — — — — — ————— જ્ઞાનની વિશેષરૂપ અવસ્થા પરાવલંબન વગર સ્વાધીનપણે છે. (૨) તે સ્વાધીન અંશમાં આખું કેવળજ્ઞાન પ્રત્યક્ષ આવે છે. આ બે મુખ્ય વિશેષતા છે.) જ્ઞાન સ્વભાવી આત્મા છે. તે જ્ઞાન અત્યારે પણ ઇન્દ્રિયના અવલંબનથી જાણે છે કે ઇન્દ્રિય વગર? જે વર્તમાન જ્ઞાન ઇન્દ્રિયથી જાણે તો સામાન્ય જ્ઞાન સ્વભાવના વર્તમાન વિશેષનો અભાવ થાય. જો જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું હોય તો તે વખતે સામાન્યજ્ઞાન છે તેનું વિશેષ શું? આત્માનું જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું નથી, પણ સામાન્ય જ્ઞાનની વિશેષ અવસ્થાથી જાણે છે. જો વર્તમાનમાં વિશેષજ્ઞાનથી જીવ ન જાણતો હોય અને ઇન્દ્રિયથી જાણતો હોય તો વિશેષ જ્ઞાને શું કાર્ય કર્યું? ઇન્દ્રિયથી આત્મા જ્ઞાનનું કાર્ય કરતો જ નથી. જ્ઞાન પોતાથી જ વિશેષરૂપ જાણવાનું કાર્ય કરે છે. નીચલી દશામાં પણ જડ ઇન્દ્રિય અને જ્ઞાન ભેગા થઈને જાણવાનું કાર્ય કરતાં નથી, પણ સામાન્ય જ્ઞાન જે આત્માનો ત્રિકાળ સ્વભાવ છે તેનું જ વિશેષરૂપ જ્ઞાન જાણવાનું કાર્ય કરે છે. પ્રશ્ન:- જો જ્ઞાનનું વિશેષ જ જાણવાનું કાર્ય કરે છે તો ઇન્દ્રિય વગર કેમ જાણવાનું કાર્ય થતું નથી. ઉત્તર- જ્ઞાનની તેવા પ્રકારની વિશેષતાની લાયકાત ન હોય ત્યારે ઇન્દ્રિય ન હોય. ઇન્દ્રિય હોય ત્યારે પણ જ્ઞાન જાણવાનું કાર્ય તો પોતાથી જ કરે છે. કેમકે જ્ઞાન પરના અવલંબન વગરનું છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરવું જોઈએ એમ મોક્ષ માર્ગ પ્રકાશક પાનું ર૬૪ માં કહ્યું છે તેનું આ વિવરણ ચાલે છે. ઇન્દ્રિય હાજર છે પણ જ્ઞાન સ્વતંત્રપણે પોતાની અવસ્થાથી જાણે છે. જે ઇન્દ્રિયથી જાણે છે એમ માનવામાં આવે તો જ્ઞાનનો વિશેષ સ્વભાવ કામ નથી કરતો એમ થાય. અને વિશેષ વગર સામાન્ય જ્ઞાનનો જ અભાવ આવે. માટે જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું નથી. અધૂરું જ્ઞાન પોતાથી જાણવાનું કાર્ય કરે છે ત્યારે અનુકૂળ ઇન્દ્રિયો હાજરરૂપ છે, પણ તે ઇન્દ્રિયના અવલંબને Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114